SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭/૪/૧૪,૧૫/૪૬૮ . ઉત્તરોત્તર અસંખ્યાતગણાં ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ - x - x - સમજી લેવું. છે પદ-૧૭, ઉદ્દેશો-૫ સ ૧૭૭ - ૦ ચોથો ઉદ્દેશો કહ્યો. હવે પાંચમાંનો આરંભ કરે છે – - સૂત્ર-૪૬૯ : કૃષ્ણ યાવત્ ભગવન વેશ્યાઓ કેટલી છે ? ગૌતમ ! છ લૈશ્યાઓ છે શુકલ, ભગવન્ ! નિશ્ચે કૃષ્ણવેશ્યા, નીલલેશ્યા પામીને તેના સ્વરૂપે . તેના વર્ણ-ગંધ-રસ-સ્પર્શપણે વારંવાર પરિણમે ? ગૌતમ ! અહીંથી આરંભી જેમ ચોથો ઉદ્દેશો કહ્યો, તેમ ધૈર્યમણિના દૃષ્ટાંત સુધી કહેવું. ભગવન્ ! નિશ્ચે કૃષ્ણવેશ્યા, નીલલેશ્યાને પામીને તેના સ્વરૂપપણે યાવત્ સ્પર્શપણે વારંવાર પરિણમતી નથી. હા, ગૌતમ! નિશ્ચે કૃષ્ણવેશ્યા, નીલલેશ્યાને પામીને, તેના વર્ણ-ગંધ-રસ અને સ્પર્શપણે વારંવાર પરિણમતી નથી. ભગવત્ ? એમ કેમ કહો છો? ગૌતમ ! તે તેના આકારમાત્ર વડે છે, તેના પ્રતિબિંબ માત્ર વડે તે નીલલેશ્યા છે, પણ તે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા રૂપે નથી, કૃષ્ણવેશ્યા ત્યાં સ્વ રૂપમાં રહેલી નીલલેશ્યાને પ્રાપ્ત થાય છે. માટે ગૌતમ ! એમ કહું છું કે કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને તપપણે યાવત્ વારંવાર પરિણમતી નથી. ભગવન્ ! નિશ્ચે નીલલેશ્યા, કાપોતલેશ્યાને પામીને તરૂપપણે યાવત્ વારંવાર પરિણમતી નથી ? ગૌતમ ! નિશ્ચે તે પરિણમતી નથી. ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! નીલલેશ્યા તે કાપોતલૈશ્યાના આકારમાત્ર વડે હોય અથવા પ્રતિબિંબભાવ માત્ર વડે હોય છે. તે નીલલેશ્યા છે, પણ કાūતલેશ્યા નથી. તે સ્વ-રૂપમાં રહેલી નીલલેશ્યા પ્રાપ્ત થાય છે, તેથી કહું છું કે નીલલેશ્યા કાપોત પામીને તપપણે યાવત્ વારંવાર પરિણમતી નથી. એ પ્રમાણે કાપોતલેશ્યા, તેજોલેશ્યાને પામીને, તેજ પાલેશ્યાને પામીને, પ શુકલલેશ્યાને પામીને - ૪ - પરિણમે નહીં. . ! ભગવન્ ! નિ શુકલલેશ્યા, પાલેશ્યાને પામીને તરૂપે યાવત્ વારંવાર પરિણમતી નથી ? હા, ગૌતમ ! નાં પરિણમે. ભગવન્ ! એમ કેમ કહો છો ? હા, ગૌતમ ! ન પરિણમે. ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! હું એમ કહું છું ચાવત્ પરિણમતી નથી. ♦ વિવેચન-૪૬૯ : લેશ્યા કેટલી છે ? ઈત્યાદિ ચોથા ઉદ્દેશાની માફક પૈસૂર્યમણિના દૃષ્ટાંત સુધી કહેવું. તેની વ્યાખ્યા પૂર્વવત્ કરવી. પૂર્વોક્ત આ સૂત્રનું પુનઃ કચન આગળના સૂત્રના સંબંધાર્થે છે. ભગવન્ ! નિ કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા પામીને વારંવાર તે રૂપે પરિણમતી નથી ? ઈત્યાદિ. અહીં હમણાં તિર્યંચ અને મનુષ્ય સંબંધી સૂત્ર કહ્યું, આ સૂત્ર દેવ 21/12 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અને નૈરયિક સંબંધે જાણવું. કેમકે દેવ અને નાસ્કો પૂર્વભવના છેલ્લા અંતર્ મુહૂર્તથી આરંભી પરભવના પ્રથમ અંતર્મુહૂર્ત સુધી અવસ્થિત લેશ્યાવાળા હોય છે. તેથી તેઓને કૃષ્ણાદિ લેશ્યા દ્રવ્યોનો પરસ્પર સંબંધ હોવા છતાં પણ પરિણામક ભાવ ઘટી ન શકે. તેથી યથાર્ય પરિજ્ઞાન થવા માટે પ્રશ્ન કરે છે – ૧૩૮ મે શબ્દ પ્રશ્નાર્થમાં છે, નૂનં - નિશ્વિત્ કૃષ્ણલેશ્યા દ્રવ્યો, નીલલેશ્યા દ્રવ્યોને પ્રાપ્ત કરીને, અહીં પ્રાપ્તિનો અર્થ માત્ર ‘સમીપ’ છે. પણ પરિણામકભાવ વડે પરસ્પર સંબંધરૂપ નથી. તપ - નીલલેશ્યાના સ્વભાવપણે - તાંદિ અર્થાત્ નીલલેશ્યાના વર્ણાદિ રૂપે - ૪ - પરિણમતી નથી ? ગૌતમ ! અવશ્ય, કૃષ્ણલેશ્યા નીલલેશ્યારૂપે ન પરિણમે. (પ્રશ્ન) જો કૃષ્ણલેશ્યા અન્યલેશ્યાપણે ન પરિણમે તો સાતમી નરપૃથ્વીમાં સમ્યકત્વની પ્રાપ્તિ શી રીતે થાય ? કેમકે સમ્યક્ત્વ તેજોલેશ્યાદિ શુભલેશ્યાનો પરિણામ હોય ત્યારે થાય છે. સાતમી નકમાં કૃષ્ણલેશ્યા છે. તેથી “ભાવની પરાવૃત્તિ થવાથી દેવ અને નારકને છ એ લેશ્યા હોય'' આ વાક્ય શી રીતે ઘટે? અને લેશ્યાદ્રવ્યના સંબંધથી તપ પરિણામ અસંભવ હોવાથી ભાવની પરાવૃત્તિ નહીં થઈ શકે. (ઉત્તર) - ૪ - આકારમાત્ર વડે હોય. અહીં માત્ર શબ્દ આકારભાવ સિવાયના બીજા પરિણામનો નિષેધ કરવા માટે છે. તે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા રૂપે છાયા માત્ર વડે હોય છે અથવા પ્રતિભાગ માત્ર વડે નીલલેશ્યારૂપે હોય છે. જેમ દર્પણાદિમાં પડેલ પ્રતિબિંબ, પ્રતિબિંબ યોગ્ય વસ્તુના આકારરૂપે થાય છે. અહીં પણ માત્ર શબ્દ પ્રતિબિંબ સિવાયના બીજા પરિણામનો નિષેધ કરવા માટે છે. તેમ કૃષ્ણલેશ્યા પ્રતિબિંબભાવ વડે નીલલેશ્યારૂપે થાય છે. પણ વાસ્તવિકમાં તો તે કૃષ્ણલેશ્યા જ છે, નીલલેશ્યા નથી. કેમકે તે પોતાના સ્વરૂપનો ત્યાગ કરતી નથી આદર્શ આદિ જપાકુસુમ આદિ સંનિધાનથી તેના પ્રતિબિંબ માત્રને ધારણ કરતાં આદર્શાદ નથી એમ નહીં, પણ આદર્શોદિ જ છે. એ પ્રમાણે લેશ્યા સંબંધે વિચાર કરવો. તે કૃષ્ણલેશ્યા પોતાના સ્વરૂપમાં રહીને તેના આકારભાવ માત્રને ધારણ કરવાથી કે તેના પ્રતિબિંબ માત્રને ધારણ કરવાથી ઉત્સર્પણ કરે છે - અન્ય લેશ્યાને પ્રાપ્ત થાય છે. કૃષ્ણલેશ્યાથી ધારણ કરતી કંઈક વિશુદ્ધ થાય છે. - ૪ - ઉપસંહાર વાક્ય સુગમ છે. એ પ્રમાણે પછી-પછીના લેશ્યા સૂત્રો વિચારવા. હવે પાલેશ્યાને આશ્રયી શુક્લલેશ્યા સંબંધે સૂત્ર કહે છે - શુક્લલેશ્યા પાલેશ્યાને પામીને ઈત્યાદિ. પૂર્વવત્ ભાવના ભાવવી વિશેષ એ - શુલલેશ્યાની અપેક્ષાથી પાલેશ્યા હીન પરિણામવાળી છે. તેથી પાલેશ્યાના આકારભાવ, પ્રતિબિંબ માત્રને ધારણ કરતી કંઈક અવિશુદ્ધ થાય છે. એ પ્રમાણે તેજો, કાપોત, નીલ, કૃષ્ણ લેશ્યા વિષયક સૂત્રો વિચારવા. - ૪ - ૪ - આ સૂત્રો પુસ્તકોમાં સાક્ષાત્ દેખાતા નથી. પણ કેવળ અર્થથી જાણવાં. કેમકે તે પ્રમાણે મૂળ ટીકાકારે વ્યાખ્યાન કરેલ છે.
SR No.009012
Book TitleAgam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy