SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/--U૩૭૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ આદિમાં સમાન પરિણામ પ્રધાનપણે વિવક્ષિત હોવાથી બહુવચન ઘટે છે. માનુષી ઈત્યાદિમાં સંશયનું કારણ - સર્વ વસ્તુ ત્રણ લિંગવાળી છે. માટી - પુલિંગ, ઘટાકાર પરિણતિ - સ્ત્રીલિંગ, વસ્તુ છે, માટે નપુંસકલિંગ છે. તો એક લિંગવાચી શબ્દ તેનો પ્રતિપાદક શી રીતે હોય? ઈત્યાદિ તેથી પૂછે છે કે – આવી સ્ત્રીલિંગ વિશિષ્ટ અર્ચનું પ્રતિપાદન કરનારી ભાષા છે ? ભગવંત કહે છે - હા, ગૌતમ ! તે બધાં સ્ત્રીલિંગવાસી છે. ભાવાર્થ આ છે – જો કે અનેક લિંગાત્મક વસ્તુ છે, તો પણ આ શાબ્દિક ન્યાય છે – જે ધર્મ વડે વિશિષ્ટ વસ્તુનું પ્રતિપાદન કરવું ઈષ્ટ હોય તે ધર્મને પ્રધાન કરીને તે ધર્મ વિશિષ્ટ ધર્મીનું પ્રતિપાદન કરે છે. જેમકે એક વ્યક્તિમાં પરણવ, શાસ્ત્રજ્ઞવ, દાતૃત્વ આદિ ધર્મ એક સાથે રહેલો છે, તો પણ પુત્ર તે વ્યક્તિને આવતા જોઈને “પિતા આવે છે” એમ કહે છે. શિષ્ય “ઉપાધ્યાય આવે છે' એમ કહે છે. એ રીતે માનુષી આદિ બધું ત્રિલિંગરૂપ છે, તો પણ સ્ત્રીત્વ પ્રતિપાદન કરવું ઈટ હોવાથી તેને પ્રધાન કરીને તે સ્ત્રીત્વ ધર્મ વિશિષ્ટ ધર્મીનું પ્રતિપાદન કરે છે, માટે તે બધી સ્ત્રીવાની વાચક છે, એ પ્રમાણે પુંવાફ અને નપુંસકવાન્નો વિચાર કરવો. ભગવન | ‘પૃથ્વી' આદિ સૂત્ર સુગમ છે. પરંતુ “અ” એ પ્રાકૃત નિયમથી પુલ્લિગ છે. ભગવદ્ ! તું પૃથ્વી કર, તું પૃથ્વી લાવ. એ પ્રમાણે સ્ત્રીલિંગમાં પૃથ્વીને ઉદ્દેશી આજ્ઞા કરનારી સ્ત્રી આજ્ઞાપની. એ રીતે ‘અને ઉદ્દેશી આજ્ઞા કરનારી પુરુષ આજ્ઞાપની, ધાન્યને ઉદ્દેશી આજ્ઞા કરનારી નપુંસક આજ્ઞાપની એ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? ભગવદ્ કહે છે - હા, ગૌતમ ઈત્યાદિ સુગમ છે. ભગવન | પૃવીને વિશે પ્રીપજ્ઞાપની, અને વિશે પુરુષ પ્રજ્ઞાપની ઈત્યાદિ ભાષા આરાધની - મુક્તિ માર્ગની સાધક છે ? આ ભાષા મૃષા નથી ? અર્થાત્ એમ બોલનારને મિથ્યાભાષીત્વનો પ્રસંગ આવતો નથી ? ભગવતુ કહે છે - એ ભાષા આરાધની છે, મૃષા નથી. કેમકે શાબ્દિક વ્યવહારથી યથાવસ્થિત વસ્તુતવની પ્રરૂપણા કરે છે. તેથી અતિદેશ થકી પછે છે. ત્તિ - ઉપદર્શનાર્થે છે, એવું - શબ્દ પ્રકારાર્થે છે. •x-x- એ પ્રમાણે બોલતા સાધુ જે ભાષા બોલે તે પ્રજ્ઞાપની છે, કેમકે શાબ્દિક વ્યવહારનું અનુસરણ કરવામાં તેમાં દોષ નથી. * * * * * હવે સામાન્યથી ભાષાના કારણાદિ સંબંધે પ્રશ્ન કરે છે - • સૂpl-૩૩૯ થી ૩૮૮ : [36] ભગવન! ભાષાની આદિ શું છે ? શાથી ઉત્પન્ન થાય છે ? આકાર કેવો છે ? અંત ક્યાં થાય છે ? ગૌતમ! ભાષાની આદિ જીવ છે, શરીરથી ઉપજે છે, વજ આકારે છે, લોકાંતે તેનો અંત થાય છે. [ace] ભાષણ ક્યાંથી ઉપજે છે? કેટલા સમયે ભાષા બોલે છે ? ભાષા કેટલા પ્રકારે છે ? કેટલી ભાષા બોલવા યોગ્ય છે? [૩૧] શરીરથી ભાષા ઉપજે છે, બે સમયે ભાષા બોલે છે, ભાષા ચાર 2િ1/5] પ્રકારની છે, બે ભાષા બોલવા યોગ્ય છે. [૩૮] ભાવના ભાષા, કેટલા ભેદે છે ? ગૌતમા બે ભેદે છે - પ્રયતા અને આપતા . પર્યાપ્તા ભાષા કેટલા ભેદે છે ? ગૌતમ! બે ભેદે છે - સત્ય અને મૃષા. ભગવાન ! યતા સત્યભામાં કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદ છે - જનપદ સત્ય, સંમત સત્ય, સ્થાપના સત્ય, નામ સત્ય, રૂપ સત્ય, પ્રતીત્ય સત્ય, વ્યવહાર સત્ય, ભાવ સત્ય, યોગ સત્ય, ઉપમાં સત્ય. [36સંગ્રહગામ છે – જનપદ યાવતુ ઉપમા સત્ય. ૩િ૮૪] ભગવન્! પતિ મૃષાભાષા કેટલા ભેદ છે? ગૌતમ ! દશ ભેદે છે - ક્રોધ નિશ્ચિત, માન નિશ્ચિત માયા નિશ્ચિત, લોભ નિશ્ચિત, પ્રેમ નિશ્ચિત, હેપ નિશ્ચિત, હાસ્ય નિશ્ચિત, ભયનિશ્ચિત, આખ્યાયિકા નિશ્ચિત અને ઉપઘાત નિશ્ચિત. [૩૮૫] સંગ્રહગાથા છે - ક્રોધ યાવતુ ઉપઘાત નિશ્ચિતા. [36] ભગવન ! અપયા ભાષા કેટલા ભેદે છે ? ગૌતમ ભેદે છે - સત્યમૃષા અને અસત્યમૃષા. ભગવન્! અપયતા સત્યમૃષા ભાષા કેટલા ભેદ છે? ગૌતમ! દશ ભેદે છે - ઉત્પન્ન મિશ્રિતા, વિગત મિશ્રિતા, ઉumવિગત મિશિતા, જીવ મિશ્રિતા, અજીવ મિશ્રિતા, જીવાજીવ મિશ્રિતા, અનંત મિશ્રિતા, પ્રત્યેક મિશ્રિતા, અદ્ધા મિશ્રિતા, અદ્ધાદ્ધા મિશ્રિતા. [૩૮૭,૩૮૮] ભગવદ્ ! અપયા અસત્યામૃષા કેટલા ભેદે છે ? ગૌતમ બાર ભેદે છે - આમંઝણી, આજ્ઞાપની, ચાયની, પૃચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઈચ્છાલોમા, અનભિગૃહીતા, અભિગૃહીતા, સંશયકરીણી, વ્યાકૃતા અને અત્યાકૃત ભાષા. • વિવેચન-૩૭૯ થી ૩૮૮ : ભગવદ્ ! અવબોધના બીજભૂત ભાષા, જેનું મૂળ કારણ શું છે ? અર્થાત્ ઉપાદાન કારણ સિવાય બીજું મૂળ કારણ શું છે? મૂળ કારણ છતાં ભાષા બીજા કયા કારણથી ઉત્પન્ન થાય છે ? કોના જેવો તેનો આકાર છે ? તેનો અંત ક્યાં છે ? ભગવંત ઉત્તર આપે છે - ભાષાનું મૂળ કારણ જીવ છે, કેમકે જીવના તેવા પ્રયત્ન સિવાય અવબોધના કારણભૂત ભાષા અસંભવ છે. ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે - આહારક, વૈક્રિય, દારિક શરીરમાં જીવપ્રદેશો જીવના છે તેના વડે ભાષાવ્યને ગ્રહણ કરી વક્તા બોલે છે. ભાષા શરીરથી ઉપજે છે. કેમકે ઉકત ત્રણ શરીરમાંના કોઈપણ શરીરના સામર્થ્યથી ભાષા દ્રવ્ય નીકળે છે. ભાષા વજના જેવા આકારવાળી છે, કેમકે તેવા પ્રકારના પ્રયન વડે નીકળેલા ભાષા દ્રવ્યો સર્વલોકને વ્યાપ્ત કરે છે, લોકની આકૃતિ વજ જેવી છે, માટે ભાષા વજકાર છે. ભાષાનું પર્યવસાન લોકાંતે છે. કેમકે પછી ગતિક્રિયામાં સહાયક ધમસ્તિકાયનો અભાવ છે. * * * ફરી પ્રશ્ન - ભાષા કયા યોગથી ઉત્પન્ન થાય છે ? કાય યોગથી કે
SR No.009012
Book TitleAgam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy