SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩દ્વીપર૫૦ થી ૨૮૬ જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ > પાસે પ્રવજ્યા માટે આવેલને માટે શુભ તિથિ આદિ જોઈ નથી - X - આ કથન યોગ્ય નથી, ભગવંત તો અતિશય જ્ઞાની છે. તેમનું અનુકરણ છાસ્થોને ઉચિત નથી. તેથી શુભ તિથિ, નાગાદિ જોઈને કાર્ય કરવા. - ૪ - તે સુર્ય-ચંદ્ર સર્વ બાહ્ય મંડલથી અત્યંતરમાં પ્રવેશતા તાપોત્ર પ્રતિદિવસ કમથી નિયમથી લંબાઈમાં વધે છે. જે ક્રમે વધે છે, તે જ ક્રમે બહાર નીકળતાં ઘટે છે તેથી કહે છે – સર્વ બાહ્યમંડલમાં ચાર ચરતા સૂર્યો અને ચંદ્રોના પ્રત્યેકનું બૂદ્વીપ ચકવાલનું દશ ભેદે વિભક્તનું બે-બે ભાગ તાપમ. પછી સૂર્યના અસ્વંતર પ્રવેશથી પ્રતિ મંડલ - X - X તાપોત્ર વધે છે. ઈત્યાદિ -x - વૃિત્તિ માત્ર અનુવાદ વડે સમજવી સરળ નથી, ચિત્ર કે પ્રત્યક્ષરૂપે જ સમજવું પડે.] ચંદ્ર-સૂર્યોના તાપોત્ર પંથ કલંબુકા પુષ્પવતુ સંસ્થિત છે. તે જ કહે છે - મેરની દિશામાં સંકુચિત અને લવણ સમુદ્રની દિશામાં વિસ્તૃત છે. આ બધું ચંદ્ર પ્રજ્ઞપ્તિ-સૂર્ય પ્રાપ્તિમાં ચોથા પ્રાભૃતમાં સવિસ્તર કહેલ છે. ધે ચંદ્રને આશ્રીને ગૌતમ પૂછે છે – કયા કારણે શુક્લપક્ષમાં વધે છે ? કયા કારણે ચંદ્ર કૃષ્ણપક્ષમાં ઘટે છે ? કયા કારણે ચંદ્રનો એક પક્ષ કૃષ્ણ, એક પટ્ટા શુક્લ કેમ ? ભગવંતે કહ્યું - રાહુ બે ભેદે છે - પર્વરાહુ અને નિત્યરાહુ. પર્વહુ - કયારેક ક્યાંકથી આવીને પોતાના વિમાન વડે ચંદ્ર કે સૂર્ય વિમાનને આંતરે છે, ત્યારે લોકમાં ગ્રહણ કહેવાય છે. તે સહુ અહીં લેવાનો નથી. જે નિત્ય રાહુ છે, તેનું વિમાન કૃષ્ણ છે. તથા જગત્ સ્વાભાભી ચંદ્ર સાથે સર્વકાળ અવિરહિતપણે ચાર આંગળ દૂરથી ચંદ્ર વિમાનની નીચે ચરે છે, તે ચરતા શુક્લપક્ષમાં ધીમે-ધીમે ચંદ્રને પ્રગટ કરે છે, કૃષ્ણપક્ષમાં ધીમે-ધીમે ચંદ્રને આવરે છે. - x-x- આ વ્યાખ્યા શૂર્ણિને આધારે કહી છે, સ્વબુદ્ધિથી નહીં. •X - X - X • સમવાયાંગ સૂત્રમાં પણ કહ્યું છે – શુક્લ પક્ષના દિવસે દિવસે ૬૨૬૨ ભાગ વૃદ્ધિ પામે છે. સૂત્રની સંપ્રદાયવશ જ વ્યાખ્યા કરવી, સ્વબુદ્ધિથી નહીં અન્યથા મોટી આશાતના થાય છે. શુકલપક્ષમાં જે કારણથી ૬૨-૬૨ ભાગમાં ચા+ચાર ભાગ જે વધે છે, તે કૃષ્ણપક્ષમાં - X - ક્રમશઃ ઘટે છે. કેમકે કૃષ્ણપક્ષમાં પ્રતિદિન રાહુ વિમાન પોતાના ૧૫-ભાગથી ચંદ્ર વિમાનના પંદરમાં ભાગને આચ્છાદિત કરે છે. શુકલપક્ષમાં તે રીતે જ પંદરમાં ભાગને ક્રમશઃ ઉઘાડો કરે છે. - X - X - તેનાથી જગતમાં ચંદ્રમંડલની વૃદ્ધિ-હાનિ જણાય છે. સ્વરૂપથી તો ચંદ્રમંડલ અવસ્થિત જ છે. એ પ્રમાણે રાહુ વિમાન વડે પ્રતિદિન ક્રમથી અનાવરણ કરણથી ચંદ્ર વઘતો હોય તેમ જણાય છે. એ પ્રમાણે રાહુ વિમાન વડે પ્રતિદિન ક્રમથી આવરણ કરતા પરિહાનિ પ્રતિભાસ ચંદ્રના વિષયમાં થાય છે. આ અનુભાવથી એક પક્ષ કૃષ્ણ થાય, જેમાં ચંદ્રની હાનિ થાય છે. એક પક્ષ શુક્લ થાય જેમાં ચંદ્રની વૃદ્ધિ થાય. મનુષ્ય ક્ષેત્રમાં પાંચ પ્રકારે જ્યોતિકો છે. તે આ રીતે- ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારા. તે ચાર યુક્ત હોય છે. પણ મનુષ્ય ફોગથી બહાર જે ચંદ્રાદિ પાંચે વિમાનો છે, તેની ગતિ- પોતાના સ્થાનથી ચલન નથી. મંડલમતિથી પરિભ્રમણ નથી, તેમને અવસ્થિત જાણવા. હવે પ્રતિ દ્વીપ, પ્રતિ સમુદ્ર ચંદ્રાદિ સંકલનને કહે છે – જંબૂદ્વીપમાં બે ચંદ્ર, ઉપલક્ષણથી બે સૂર્ય. આ જંબૂદ્વીપમાં, ચાર લવાણ સમુદ્રમાં, ધાતકીખંડ દ્વીપમાં બાર ચંદ્રો. આ જ વાત બીજા ભંગથી પ્રતિપાદિત કરે છે. જંબૂદ્વીપમાં બળે સૂર્ય-ચંદ્રો છે. તે બંને જ લવણ સમુદ્રમાં બમણાં છે અર્થાત્ લવણ સમુદ્રમાં ચાચાર ચંદ્ર-સૂર્યો છે. • x • લવણ સમુદ્રથી ત્રણ ગુણા ચંદ્ર-સૂર્યો ધાતકીખંડમાં હોય છે. તેથી ૧૨-ચંદ્રો અને ૧૨-સૂર્યો થયા. હવે બાકીના હીપ-સમુદ્રમાં ચંદ્ર-સૂર્ય સંખ્યા જાણવા માટેનું કરણ કહે છે - ધાતકીખંડ આદિમાં જેને છે તે ધાતકીખંડ વગેરે દ્વીપ અને સમુદ્રમાં જે ચંદ્ર-સૂર્ય બાર સંખ્યક આદિ છે તે ત્રણ ગણાં કરીને - x • પૂર્વના ઉમેરતા કાલોદસમુદ્ર આદિના ચંદ્ર અને સૂર્યની સંખ્યા આવે છે. જેમકે ધાતકીખંડના બાર ચંદ્રો, તેને ત્રણ ગુણાં કરતા-૩૬ થશે. તેમાં પૂર્વેના-અર્થાત્ જંબૂહીપના-બે અને લવણસમુદ્રના ચાર ચંદ્ર ઉમેરતા-૪૨ થશે. x • એ રીતે કાલોદ સમુદ્રમાં ૪ર તેને ત્રણથી ગુણતાં-૧૨૫, તેમાં પૂર્વેના-૧૮ અર્થાત્ જંબૂદ્વીપના-બે, લવણસમુદ્રના-૪ અને ધાતકીખંડના-૧૨ ત્રણે મળીને-૧૮ ઉમેરતાં ૧૪૪ ચંદ્રો થાય. એટલે પુકવરદ્વીપમાં૧૪૪ ચંદ્રો થાય. એ રીતે આગળ ગણવું. હવે પ્રતિ દ્વીપ અને પ્રતિ સમુદ્રના ગ્રહ-નક્સ-તારા પરિમાણ જ્ઞાન ઉપાય કહે છે – જે દ્વીપ-સમુદ્રમાં નક્ષત્ર-ગ્રહ-તારા પરિમાણને જાણવા ઈચ્છતા હો, તો તે દ્વીપ કે સમુદ્રના સંબંધી ચંદ્રમાંના એક ચંદ્રના પરિવારભૂત, નક્ષત્રાદિ વડે ગુણતાં જે થાય, તેટલું પ્રમાણ તે દ્વીપ કે સમુદ્રમાં નક્ષત્રાદિનું જાણવું. જેમકે લવણ સમુદ્રમાં નાગાદિનું પરિમાણ જાણવું છે. લવણમાં ચાર ચંદ્રો છે. એક ચંદ્રના પરિવારમાં ૨૮-નક્ષત્રો છે, તેને ચાર વડે ગુણતાં ૧૧ર થયા. લવણ સમુદ્રમાં આટલાં નાનો છે. તથા ૮૮ ગ્રહો, એક ચંદ્રના પરિવારમાં છે, તેથી ચાર વડે ગુણતાં ૩૫ર-ગ્રહો લવણ સમુદ્રમાં થયા. એ રીતે તારાગણ કોટી ગણવા. હવે મનુષ્યોગબહાર ચંદ્ર-સૂર્યોના પરસ્પર અંતર પરિમાણને કહે છે – માનુષોત્તર પર્વત બહાર ચંદ્રથી સૂર્ય અને સૂર્યથી ચંદ્રનું અંતર પરિપૂર્ણ ૫૦,૦૦૦ યોજન છે. ચંદ્રથી ચંદ્રનું અને સૂર્યથી સૂર્યનું અંતર પરિપૂર્ણ એક લાખ યોજન છે. • x • આ અંતર-પરિમાણ સૂચીશ્રેણીથી જાણવું, વલયશ્રેણીથી નહીં. મનુષ્યલોકની બહાસ્તા ચંદ્ર-સૂર્ય કેવા છે ? વિઝા લેણ્યા ચંદ્રોની છે કેમકે શીત મિત્વથી. સૂર્યોની ઉણ રશ્મિત્વથી, લેશ્યા વિશેષના પ્રદર્શનાર્થે કહે છે - ચંદ્રમાની સુખલેશ્યા-શીત કાળમાં મનુષ્યલોકમાં અત્યંત શીત શ્મિવતું નહીં, મંડલેશ્યાસૂર્ય, મનુષ્યલોકમાં ઉનાળામાં હોય તેવા એકાંત ઉષ્ણ નહીં. * * * * * મનુષ્ય પર્વતની બહાર ચંદ્ર-સૂર્યોના યોગ અવસ્થિત છે, મનુષ્યલોકમાં નહીં - X • x • x - હવે માનુષોત્તર પર્વતના ઉ ત્પાદિ પ્રતિપાદના• સૂત્ર-૨૮૩ - ભગવાન ! માનુષોત્તર પર્વતની ઉચાઈ કેટલી છે ? જમીનમાં ઉંડાઈ કેટલી
SR No.009010
Book TitleAgam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy