________________
૩|નર-૧/૮૯
ત્રણેનું અપાંતરાલ કહેવું. દિશાના ગ્રહણથી ચારે વિદિશા પણ જાણવી. બાકીની પૃથ્વીની બધી દિશા અને વિદિશામાં ચરમ પર્યન્તથી અલોક ક્રમથી નીચે-નીચે ત્રણ ભાગ ન્યૂન યોજન અધિકથી બાર યોજનથી જાણવું. તે આ રીતે – શર્કરપ્રભા પૃથ્વીમાં - ૪ - ત્રિભાગ ન્યૂન તેરે યોજન, વાલુકાપ્રભામાં ત્રણ ભાગ સહિત તેર યોજન. પંકપ્રભામાં પરિપૂર્ણ ચૌદ યોજન આદિ.
હવે આ રત્નપ્રભાદિના બાર યોજન પ્રમાણ અંતરાલમાં શું છે? ઘનોધિ આદિ વ્યાપ્ત છે. તેમાં કેટલાં અપાંતરાલે કેટલાં ઘનોદધ્યાદિ. - ૪ - ૪ - અહીં ત્રણ પ્રકારે વિભાગ છે. વલયાકારે રહેલ ઘનોદધિ, ઘનવાત, તનુવાત. પૂર્વે બધી નસ્કપૃથ્વીની નીચે ઘનોદધિ આદિનું જે બાહલ્ય છે, તે તેનો મધ્યભાગ છે. પછી પ્રદેશ હાનિથી ઘટતા ઘટતા પોત-પોતાની પૃથ્વી પર્યન્ત તનુતર થઈને પોત-પોતાની પૃથ્વીને વલયાકાથી વેષ્ટિત કરતા રહે છે. તેથી વલય કહેવાય છે. આ વલયોનું ઉચ્ચત્વ બધે પોતપોતાની પૃવી મુજબ છે. તિષ્ઠુ બાહલ્સ આગળ કહેવાશે. અહીં અપાંતરાલોનો વિભાગ માત્ર કહ્યો છે. - ૪ -
હવે ઘનોદધિ વલયનું તિઈ બાહલ્સ કહે છે–
૫૩
• સૂત્ર-૯૦ -
ભગવન્ ! આ રપભાપૃથ્વીનું ઘનોદધિ વલય બાહલ્યથી કેટલું છે ? ગૌતમ ! છ યોજન... શર્કરાપભાપૃથ્વીનું ઘનોદધિ વલય કેટલું બાહલ્યવાળું છે ? ગૌતમ ! ત્રિભાગ સહિત છ યોજન. વાલુકાપ્રભાની પૃચ્છા - ગૌતમ ! ત્રિભાગ ન્યૂન સાત યોજન. એ રીતે આ આલાવાથી પંકપ્રભાનું બાહલ્સ સાત યોજન ધૂમપભાનું ત્રિભાગસહ સાત યોજન, તમપ્રભાનું ત્રિભાગ જૈન આઠ યોજન, તમામ પ્રભાનું આઠ.
આ રત્નપ્રભાપૃથ્વીનું ઘનવાવિલય બાહલ્સથી કેટલું છે ? ગૌતમ ! સાડા ચાર યોજન. શકરપ્રભાનું ? કોશ ન્યૂન પાંચ યોજન. એ રીતે આ આલાવાથી વાલુકાપ્રભાનું પાંચ યોજન, પંકપ્રભાનું એક કોશ સહિત પાંચ યોજન, ધૂમપ્રભાનું સાડા પાંચ યોજન, તમપ્રભાનું કોશ ન્યૂન છ યોજન, અધઃસપ્તમીનું છ યોજન જાહલ્સ છે.
ભગવન્ ! આ રત્નપભાનું તનુવાત વલય બાહત્યથી કેટલું છે ? ગૌતમ ! છ કોશ, એ રીતે આ આલાવાથી શરપ્રભાનું ત્રિભાગ સહ છ કોશ, વાલુકાપ્રભાનું સાત કોશ, પંકપ્રભાનું સાત કોશ, ધૂમપભાનું ત્રિભાગ સહ સાત કોશ, તમ૫ભાનું ત્રિભાગ ન્યૂન આઠ કોશ, અધઃરાપ્તમી-પૃથ્વીનું આઠ કોશ બાહત્ય કહ્યું છે. ભગવન્ ! આ રત્નપ્રભાના છ યોજન બાહલ્યવાળા અને બુદ્ધિ કલ્પિત પતરાદિ વિભાગવાળા ઘનોદધિ વલયમાં વર્ણથી કાળા આદિ દ્રવ્ય છે ? હા, છે. ભગવન્ ! શર્કરાપભાના સત્રિભાગ છ યોજન બાહસ્ય અને પતરાદિ વિભાગયુક્ત ઘનોદધિ વલયમાં વર્ણથી કાળા આદિ દ્રવ્ય છે ? હા, છે. આ રીતે અધઃ સપ્તમી
૫
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
સુધી કહેવું.
ભગવન્ ! આ રત્નપભાના સાડા ચાર યોજન બાહલ્યવાળા અને પતરાદિરૂપે વિભક્ત ધનવાત વલયમાં વર્ણાદિ પરિણત દ્રવ્ય છે શું? હા, છે. એ રીતે અધઃસપ્તમી સુધી કહેવું. એ રીતે તનુવાત વલય સંબંધે પોતપોતાના બાહથી અધઃસપ્તમી સુધી છે.
ભગવન્ ! આ રાપભા પૃથ્વીનું ઘનોદધિ વલય કયા કારે છે ? ગૌતમ ! વૃત્ત, વલયાકાર સંસ્થાન સંસ્થિત છે. જે આ રત્નપ્રભા પૃથ્વીને ચોતરફથી ઘેરીને રહેલ છે. એ રીતે સાતે પૃથ્વીના ઘનોદધિ વલયને કહેવું. વિશેષ એ કે તે પોત-પોતાની પૃથ્વીને ઘેરીને રહેલ છે.
આ રત્નપ્રભાનું ઘનવાત વલય કયા આકારે છે ? ગૌતમ ! વૃત્ત, વલયાકાર, પૂર્વવત્ યાવત્ જેમ આ રત્નપભાનું વનોદધિ વલય ચોતરફથી ઘેરીને રહેલ છે, અધઃસપ્તમી સુધી કહેવું.
આ રત્નપ્રભાનું તનુવાત વલય કર્યા આકારે છે ? વૃત્ત-વલયાકાર સંસ્થાન સંસ્થિત યાવત્ જેમ આ રત્નપ્રભાનું ઘનવાત વલય ચોતરફથી ઘેરીને રહેલ છે, અધઃસપ્તમી સુધી કહેવું.
ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી કેટલી લાંબી-પહોળી છે ? ગૌતમ ! અસંખ્યાત હજાર યોજન લાંબી-પહોળી, અસંખ્યાત હજાર યોજન પરિક્ષેપથી છે. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું.
ભગવન્ ! આ રત્નપભા અંતે અને મધ્યે સર્વત્ર સમાન બાહલ્યવાળી છે ? હા, ગૌતમ ! છે. અધઃસપ્તમી સુધી કહેવું.
• વિવેચન-૯૦ :
ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી બધી દિશા, વિદિશામાં અને ચરમાંતે ઘનોદધિ વલય કેટલા તીર્ઝા બાહલ્યથી છે? ગૌતમ! તિર્છ બાહલ્સ છ યોજન. આગળ પ્રત્યેક પૃથ્વી યોજનના ત્રિભાગે કહેવી. જેમકે શર્કરાપ્રભા સત્રિભાગ છ યોજન - ૪ - ઈત્યાદિ.
હવે ઘનવાત વલયના તિતિ બાહત્યનું પરિમાણ પ્રતિપાદન કરવા કહે છે – આ રત્નપ્રભાનું ઘનવાત વલય તિતિ બાહલ્યથી સાડા ચાર યોજન છે, તેથી આગળ પ્રત્યેક પૃથ્વીને એકેક ગાઉ વધારવી. તેથી કહે છે – બીજી પૃથ્વી કોશ ન્યૂન પાંચ યોજન, ત્રીજી પૃથ્વી પરિપૂર્ણ પાંચ યોજન, ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું.
હવે તનુવાત વલયના તિર્છાબાહસ્ય પરિમાણને બતાવતા કહે છે – આ રત્નપ્રભા પૃથ્વીનું તનુવાત વલય બાહલ્યથી કેટલું પ્રમાણ છે ? તિષ્ઠુ બાહલ્સ છ કોશ છે. તેથી આગળ પ્રત્યેક પૃથ્વી કોશનો ત્રીજો ભાગ વધારવી. તેથી કહે છે – બીજી પૃથ્વી ત્રિ ભાગ સહ છ કોશ, ત્રીજી પૃથ્વી ત્રિભાગ ન્યૂન સાત કોશ ઈત્યાદિ.
- ૪ - ૪ - ૪ - હવે તે જ ઘનોદધ્યાદિ વલયોમાં ક્ષેત્રચ્છેદથી કૃષ્ણવર્ણાદિ યુક્ત દ્રવ્ય અસ્તિત્વ પ્રતિપાદન કરે છે. - X - પછી ઘનોદધ્યાદિ સંસ્થાન પ્રતિપાદનાર્થે