SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩૦ ૮૪ વનuiડ પણ કૃષ્ણ લાગે છે. મધ્ય ઉપચારથી કૃષ્ણ નહીં, પણ તેવી આભાને પણ ધારણ કરેલ છે. કેમકે કૃષ્ણ આભાવાળા પાન પણ અમુક ભાગમાં છે. તથા હરિતપણાને ઓળંગેલ પણ કૃષ્ણત્વને અસંપાત પાન તે નીલ, તેના યોગથી વનખંડ પણ નીલ છે. આ કથન ઉપચારમાત્રથી નથી. પણ તેવા અવભાસ થકી છે. ચૌવનમાં જ પાનના કિસલય કવને ઓળંગેલ પણ હરિતત્વને અપાત તે હરિત કહેવાય છે. - ૪ - બાલ્યવને ઓળંગેલ પાન શીત હોય છે, તેના યોગથી વનખંડ શીત કહ્યો. આ કૃણ-નીલ-હરિત વણ, પોતાના સ્વરૂપને તજ્યા વિના, સ્નિગ્ધ અને તીવ્ર ભાસે છે. તેના યોગે વનખંડ પણ તેવા કહ્યા. હવે તેના સ્વરૂપના પ્રતિપાદન માટે બીજા વિશેષણને કહે છે – કૃણ વનખંડ, કેવા ? કૃણછાય - જેમાંથી કૃણા છાયા-આકાર, સર્વ અવિસંવાદિષણે છે તેથી કૃષ્ણ. તે dવથી કૃષ્ણ છે, ભાંતિ કે અવભાસમપ્રપણે વ્યવસ્થાપિત નથી. એ પ્રમાણે નીલાનીલછાયા આદિ કહેવા. માત્ર-શીતમાં છાયા શબ્દ આતપ પ્રતિપક્ષ વસ્તુ વાચી જાણવો. નડતડતડીયા - શરીરનો મધ્ય ભાગ કટિ છે. તેથી બીજાનો મધ્યભાગ પણ કટિ જેવો - કટિજ કહેવાય છે, કટિનો તટ તે કટિતટ, ધન-અન્યોન્ય શાખાપશાખા અનુપ્રવેશથી નિબિડ મધ્ય ભાગમાં છાયા જેમાં છે તે. તેથી જ રમ્ય, મહા જળભારથી નમેલ વર્ષાકાળનો જે મેઘસમૂહ, તેના ગુણથી પ્રાપ્ત અતિ મહામેઘછંદ સમાન. શ્રેષ્ઠ અશોકવૃક્ષ પરિવારરૂપ પૂર્વોક્ત તિલકાદિ વૃક્ષ વર્ણનવતું કહેવું. માત્ર પોપટ-મોર-મદનશલાકા આદિ વિશેષણ અહીં ઉપમાપે કહેવા. રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ચોતરફ ઉત્તમ, મનોજ્ઞ, મનોહર, કાન અને મનને આનંદકારી મધુર શબ્દ ફેલાય છે. શું તે ધ્વનિ આ રથાદિના ધ્વનિ જેવો છે ? ના, તે અર્થ સમર્થ નથી. - • • જેમ કોઈ વિકાલમાં વાદન કુશળ મનુષ્ય દ્વારા ખોળામાં લઈને ચંદનના સારભાગથી રચિત કોણના સ્પર્શથી ઉત્તર-મંદ મૂજીનાવાળી વીણાને મંદ-મંદ તાડિત, કંપિત, પર્યાપિત, ચલિત, શર્ષિત, સુભિત અને ઉદીરિત કરાતા બધી દિશા અને વિદિશામાં ચોતરફ ઉદાર, સુંદર, મનોજ્ઞ, મનોહર, કણધય અને મનમોહક ધ્વનિ ગુંજે તેવો આ સ્વર છે ? ના, તે અર્થ સમર્થ નથી. જેમ કોઈ કિંનર, કંપટણ, મહોમ કે ગંધર્વ ભદ્રશાલ-નંદનસોમનસ કે પાંડુક વનમાં હિમવત-મલય કે મેરની ગુફામાં ગયેલ અને એક સ્થાને એકઠા થઈ, આવીને બેઠા હોય અને પોત-પોતાના સમૂહ સાથે ઉપસ્થિત, હર્ષોલ્લાસપૂર્વક કીડા કરતા, સંગીત-નૃત્ય-હાસ્ય-પરિહાસ પિય કિન્નરાદિના ગેય, પધ, કથની, ગેયપદબદ્ધ પામબદ્ધ, ઉહિષપ્ત, પાદાંત, મંદમંદ ધોલનાત્મક, રોચિતાવસાન, સત સ્વરોથી સમન્વિત, વદ્દોષથી રહિત, અગિયાર અલંકાર અને આઠ ગુણોથી યુકત, ગુંજારવ વડે દૂર દૂરના ક્ષેત્રોને વ્યાપ્ત કરનાર રાગ-રાગિણી યુકત ત્રણ સ્થાન-મણ કરણથી શુદ્ધ ગીતોના મધુર બોલ, આવા પ્રકારનો તેનો હોય છે ? હા એવો મધુર સ્વર તે મણિ-તૃણથી નીકળે છે. ]િ તે વનખંડના તે-તે સ્થાને, તે-તે દેશમાં અનેક નાની-નાની વાવો, પુષ્કરિણીઓ, દીલ્વિકા ગુંજલિકા, સરપંક્તિ, બિલ-પંક્તિઓ સ્વચ્છ, શ્વસ, રજયમય કાંઠાઓ, અતિ સમ છે. આ જળાશયો વજમય પાષાણના, તપનીય તળવાળા, સુવણ-શુભ-રજત વાલુકાના, વૈર્ચ મણિ-સ્ફટિક પટલના બનેલા છે. સુખાકારી ઉતરવા-ચડવાના સ્થાન છે, વિવિધ મણિ સુબદ્ધ ચતુષ્કોણ વાવ અનુક્રમે સુજાત, ગંભીર, શીતળ જળકd, કમલઝ - બીસ-મૃણાલથી ઢાંકેલ, ઘણાં ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, શતપત્ર, સહસત્ર કમળોથી સુશોભિત છે. તેના ઉપર પરાગને માટે ભમસમૂહ ગુંજી રહ્યો છે. સ્વચ્છ-નિર્મળ જળ વડે ભરેલ છે. કલ્લોલ કરતા મગરમચ્છ-કાચબા આદિ તેમાં અહીં-તહીં ફરી રહ્યા છે. વિવિધ પક્ષીઓના ગમનાગમનથી વ્યાપ્ત છે. આ જળાશયોમાં કેટલાંક આસનોદક, કેટલાંક વરુણોદક, કેટલાંક વૃતોદક, કેટલાંક Hીરોઇક, કેટલાંક ક્ષારોદક, કેટલાંક iદકરસ વડે યુકત કહ્યા છે. તે સાદીય, દર્શનીય, અભિરૂષ, પતિરય છે. તે વાવ યથાવત કૃપંકિતની ચારે દિશામાં ત્રણ-ત્રણ સુંદર સોપાન બનેલ છે. તે બસોપાન પ્રતિરૂપકોની નેમો વજનનોની છે, તોરણ-ધ્વજ-છાતિછમ પૂર્વવતુ જાણવા. તે નાની-નાની વાવ યથાવતુ બિલપંક્તિઓમાં તે તે દેશમાં ઘણાં ઉત્પાદ • સૂત્ર-૩૧,૩૨ - [૩૧] તે વનખંડોમાં બહુ સમરમણીય ભૂમિભાગ છે. જેમ કોઈ આલિંગપુર ચાવત વિવિધ પંચવણી મણી અને તૃણો વડે શોભિત છે. તેના ગંધ અને સ્પર્શ યથાકમે ાણવા. ભગવત્ ! તે તૃણ અને મણીઓ પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરના વાયુના સ્પર્શથી મંદ-મંદ પુજતા, વિશેષ ધ્રુજતા, કાંપતા, ચાલતા, પંદન પામતા, પતિ, ક્ષોભિત, પ્રેરિત થતાં કેવા શબ્દો થાય છે ? ગૌતમ જેમ કોઈ શિબિકા, ચંદમાનિકા અથવા રથ, જે 95-kgઘટા-પતાકા અને ઉત્તમ તોરણોથી સુશોભિત, નંદિઘોષ સહિત, ઘુંઘર અને સુવર્ણ કાળથી પરિક્ષિત, હૈમવતચિત્ત તિનિશ, કનક કાષ્ઠ વડે નિર્મિત, સુવ્યવસ્થિત લગાડેલા ચકમંડલ અને દુરથી સજ્જિત હોય, લોઢાના પોથી સુરક્ષિત વિવાળા, શુભલક્ષણ અને ગુણોથી યુકત કુલીન જેમાં જોડાશે હોય, રથ સંચાલનમાં કુશળ, દક્ષ સારથી દ્વારા સંચાલિત હોય, સો-સો ભાણ વાળા બત્રીસ લૂણીરોથી પરિમંડિત હોય, કવચ આચ્છાદિત અગ્ર ભાગ વાળા હોય, નિષ-બાણ-પહરણ-કવયાદિ યુદ્ધોપકરણથી ભરેલ હોય, યુદ્ધ તત્પર યોદ્ધા માટે સજાવેલ હોય, એવો રથ મણિ અને રનોથી બનાવેલા ભૂમિવાળા રાાંગણ, રાજત:પુર, રમ્ય પ્રદેશમાં આવાગમન કરે ત્યારે બધી દિશા-વિદિશામાં
SR No.009008
Book TitleAgam Satik Part 17 RaiPaseniya Jivabhigam Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy