SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ 2/5/45 259 મનોજ્ઞ-અમનોજ્ઞરૂપ શુભાશુભ શબ્દોમાં રાગ-દ્વેષના સંવરવાળા, મન-વચનકાયાથી ગુપ્ત, સંવરયુકત અને ગુપ્તન્દ્રિય થઈને ધર્મનું આચરણ કરે. બીજી ભાવના-ચક્ષુરિન્દ્રિયથી મનોજ્ઞ અને ભદ્ર, સચિત-અચિત્ત-મિશ્ર દ્રવ્યના રૂપોને જોઈને શિણ ન કરે રૂપ-કાઠ, વા, ચિત્રકર્મ, લેયકર્મ, પાષાય, દંતકર્મ હોય પંચવણ અને વિવિધ આકારવાળા હોય, ગ્રથિમવેષ્ટિમ-પુરિમ-સંઘાતિમ માલા આદિની જેમ બનાવેલ હોય તે નયન અને મનને આનંદ પ્રદાયક હોય તો પણ તેમાં રાગ ન કરે.] એ રીતે વનખંડ, પર્વત, ગામ, આકર નગર, વિકસિત નીલકમલ અને કમલોથી સુશોભિત અને મનોહર, જેમાં અનેક હંસ, સારસ આદિ પક્ષીઓના યુગલ વિચરતા હોય તેવા સરોવર, ગોળ વાવ, ચોરસ વાવ, દીપિકા, નહેર, સરોવર શ્રેણિ, સાગર, બિલપતિ, લોઢા આદિની ખાણોમાં ખોદેલ ખાડાની પંક્તિ, ખાઈ, નદી, સર, તળાવ, પાણીની ક્યારી, ઉત્તમ મંડપ, વિવિધ પ્રકારના ભવન, તોરણ, ચૈત્ય, દેવકુલ, સભા, પાણીની પરબ, આશ્રમ, સુનિર્મિત શયન, આસન, શિબિકા, રથ, ગાડી, વાનયુગ્ય, ચંદન, નર-નારીઓનો સમૂહ બધી વસ્તુ સૌમ્ય, પ્રાસાદીય, દર્શનીય હોય, આભુષણોથી અલંકૃત અને સુંદર વસ્ત્રોથી વિભૂષિત હોય પૂવકૃત્વ તપના પ્રભાવથી સૌભાગ્ય પ્રતિ હોય તેને જોઈને તા નટ, નર્તક, જલ્લ, મલ્લ, મૌષ્ટિક, વિદૂષક, કથક, લવક, રાસક, ચિત્રપટ લઈને ભિક્ષા માંગનાર, વાંસ ઉપર ખેલ કરનાર, ઈત્યાદિ જોઈને કે આવા પ્રકારના અન્ય મનોજ્ઞ અને શોભન રૂપોમાં સાધુ આસન ન થાય, અનુક્ત ન થાય યાવતું તેનું મરણ કે ચિંતા ન કરે, - આ સિવાય ચામુરિન્દ્રિયના અમનોજ્ઞ અને પાપક રૂપોને જોઈને દ્વેષ ન કરે તે અમનોજ્ઞ રૂપ ક્યા છે ? વાત, પિત્ત, ફ, સક્રિપાતથી થનાર ગંડરોગી, કુછી, કુણી, જલોદરી, ખુજલીવાળા, શ્લીપદ રોગી, લંગડા, વામન, જન્માંધ, કાઇ, વિનિહલચક્ષુ, પિશાચગ્રસ્ત, વિશિષ્ટ ચિત્ત પીડારૂપ વ્યાધિ કે રોગથી પીડિત તથા વિકૃત મૃતક કલેવરો, ખદબદતા કીડાથી યુક્ત સડેલગળેલ દ્રવ્યરાશિને જોઈને અથવા આ સિવાયના બીજા પ્રકારના અમનોજ્ઞ અને પાપક રૂપોને જોઈને શ્રમણે તે રૂપો પ્રત્યે દુષ્ટ ન થવું જોઈએ યાવત હીલનાદિ ન કરવા, મનમાં જુણા ન કરવી. આ પ્રમાણે ચક્ષુરિન્દ્રિય સંવર ભાવનાથી ભાવિત અંત:કરણવાળા થઈને મુનિ યાવ4 ધમચિરણ રે. ગીજી ભાવના-ધ્રાણેન્દ્રિયથી મનોજ્ઞ અને શોભન ગંધ સુધીને [પાદિ ન કરાવે તે સુગંધ કેવી છે ? જલજલજ સરસ પુષ્પ, ફળ, પાન, ભોજન, ઉત્પલકુષ્ઠ, તગર, તમાલપત્ર, ચોય, દમનક, મુરુઓ, એલારસ, જટામાંસી, સસ ગૌellષ ચંદન, 260 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ કપૂર, લવીંગ, અગર, કંકુ, કક્કોલ, ઉશીર, ચંદન, શ્રીખંડ આદિ દ્રવ્યોના સંયોગથી બનેલ શ્રેષ્ઠ ધૂપની સુગંધ સુંધીને, તથા ભિન્ન-ભિન્ન ઋતુક કાલોચિત સુગંધી, દૂહૂર ફેલનારી સુગંધયુક્ત દ્રવ્યોમાં અને આવી મનોહર, નાસિકાને પિય સુગંધાના વિષયમાં મુનિ આસક્ત ન થાય ચાવતુ અનુરાગાદિ ન કરે, તેનું સ્મરણ કે ચિંતન ન કરે. ઘાણેન્દ્રિયને અમનોજ્ઞ અને અશોભન ગંધોને સંધીને હેપ ન કરે, તે દુર્ગધ કેવી છે ? મરેલા, સર્પ, ઘોડા, હાથી, ગાય, રીંછ, કુતરા, મનુષ્ય, બિલાડી, ગૃગાલ, સીંહ, ચિત્તા આદિના મૃતક, સડેલ-ગણેલ કલેવરો, જેમાં કીડા ખદબદતા હોય, દુર સુધી દુધ ફેલાવતી ગંધમાં તથા આવા પ્રકારની બીજી પણ અમનોજ્ઞ અને અશોભન દુર્ગન્ધોના વિષયમાં સાધુ શ્વેષ ન કરે ચાવત્ ઈન્દ્રિયોને વશ કરીને ધમચિરણ કરે ચોથી ભાવના-રસનેન્દ્રિય વડે મનોજ્ઞ, શોભન સોનું આસ્વાદન કરીને [તેમાં રાગ ન કરે તે સ્ત્ર ક્યા છે? - ઘી, તેલમાં ડૂબાવી પકાવેલ ખાજ, વિવિધ પ્રકારના પાનક, તેલ કે ઘીથી બનેલ માલપૂવા આદિ વસ્તુઓમાં જે અનેક પ્રકારના નમકીન આદિ રસોથી યુકત હોય, મધુ-માંસ, ઘણાં પ્રકારની મજિકા, ઘણો વ્યય કરીને બનાવેલ ખાટી દાળ, liાપ્ત, દૂધ, દહીં સરક, મધ, ઉત્તમ વરણી, સી, પિશાયન, અઢાર પ્રકારના શાકવાળા એવા અનેક પ્રકારના મનોજ્ઞ વણગંધ-રસ-પરથિી યુકત અનેક દ્રવ્યોથી નિર્મિત ભોજનમાં તથા આવા પ્રકારના અન્ય મનોજ્ઞ અને શોભન રસોમાં સાધુએ આસક્ત ન થવું જોઈએ યાવતુ તેનું સ્મરણ કે ચિંતન ન કરવું જોઈએ. આ સિવાય જિલ્લા-ઈન્દ્રિયથી અમનોજ્ઞ, અશોભન રસોનો આસ્વાદ કરીને દ્વેિષ ન કરો] તે અમનોજ્ઞ સ કયા છે? અરસ, વિરસ, ઇંડા, રૂક્ષ, નિર્વાહને અયોગ્ય ભોજન-પાનીને તથા પષિત, વ્યાપw, સડેલ, અમનોજ્ઞ, અથવા અત્યંત વિકૃત હોવાથી જેમાંથી દુર્ગધ નીકળી રહી છે એવા તિકd, રુ, કસાયી, ખાટા, શેવાળ રહિત જુના પાણી સમાન અને નીરસ પદાર્થોમાં તથા આવા પ્રકારના અન્ય મનોજ્ઞ, અશુભ રસોમાં સાધુએ હેય ન કરવો જોઈએ ચાવતુ સંત-ઈન્દ્રિય થઈને ધમચિરણ કરવું જોઈએ.. પાંચમી ભાવનાનેન્દ્રિયથી મનોજ્ઞ અને શોભન સ્પર્શ કરીને રાગ ન કરવો તે મનોજ્ઞ સ્પર્શ કયા છે? જલમંડપ, હાર, શ્વેત ચંદન, શીતળ નિર્મળ જળ, વિવિધ પુષ્પોની શા, ખસખસ, મોતી, નાલ, ચંદ્રની ચાંદની, મોરપીંછ, તાલવૃંત, વીઝણાથી કરાયેલ સુખદ શીતળ પવનમાં, ગ્રીષ્મ કાળમાં સુખદ સ્પર્શવાળી અનેક
SR No.009006
Book TitleAgam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy