SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૫૩૨ થી ૩૫ ૨૧૪ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ છે તે અથવા અતિશય નિર્મળ. આવા પ્રકારે સ્વગુણ નિર્મિત યથાર્ય નામવાળા છે.] તેથી જ કહે છે – પર્યાય નામો, તે તે ધર્મ આશ્રિત નામની અહિંસા હોય છે. ભગવતી એ પૂજા વચન છે. આ ભગવતી અહિંસા, ભયભીતોને શરણરૂપ છે. પક્ષીના આકાશગમન માફક શરીરીને હિતકારી છે. એ રીતે બીજા છ પદો પણ કહેવા. * * આ અહિંસા ઉક્ત વિશેષણથી પણ પ્રધાનતર હિતકારી છે. શરણાદિ અર્નકાંતિક, પાનાચંતિક હોય પણ અહિંસા મોક્ષ પ્રાપ્ત કરાવે છે. જે આ પૃપી આદિ પાંચ છે, બીજહરિત-વનસ્પતિ વિશેષ. આહારર્થવથી પ્રધાનતાથી શેષ વનસ્પતિના ભેદથી કહ્યા. -x- ત્રસ, સ્થાવર આદિ જીવોને ક્ષેમકરી. આ જ ભગવતી અહિંસા છે, બીજી નહીં. જેમકે-લૌકિકો કહે છે - જે ગાયની તૃષા છીપાવે છે, તેના સાત કુળ તરી જાય છે. - x - તેમના મતે ગાય વિષય દયા, તે અહિંસા છે. તેમાં પૃથ્વી-અ-પોરા આદિની હિંસા થાય છે, તેથી તે સમ્યક્ અહિંસા નથી. • x • હવે જેના વડે આ અહિંસા સેવાઈ-આચરાઈ તે કહે છે. અપરિમિત જ્ઞાનદર્શનધર વડે. - તથા - • શીલ-સમાધાન, તે જ ગુણ, તે શીલગુણ. તે વિનય, તપ અને સંયમના પ્રકનેિ પામે છે. તીર્થંકર-દ્વાદશાંગણનાયક, સર્વજગત્ વત્સલ, ત્રિલોકપૂજ્ય વડે. • * * જિનચંદ્ર-કારુણિકનિશાકર, કેવળજ્ઞાન વડે કારણથી, સ્વરૂપથી અને કાર્યથી સમ્યક્ વિનિશ્ચિત. તેમાં ગુરુ ઉપદેશ એ બાહ્ય અને કમાયોપશમાદિ અહિંસાનું અત્યંતર કારણ છે. પ્રમાદ યોગથી પ્રાણનો નાશ તે હિંસા, પ્રતિપક્ષે સ્વર્ગ-અyવર્ગ પ્રાપ્તિ તે કાર્ય છે. અવધિ જિન-વિશિષ્ટ અવધિજ્ઞાની વડે વિજ્ઞાત-જ્ઞ પરિજ્ઞા વડે જાણેલ અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે આચરેલ. હજુવી-મનો માત્રની ગ્રાહક • x • તે જુમતિ મનોજ્ઞાન. - X - મતિ-મન:પર્યાય જ્ઞાન વિશેષ, જેમાં છે તે ઋજુમતિ વડે અવલોકિત. વિપલમતિ-મનો વિશેષગ્રાહી મનપયયજ્ઞાની. વિપુલ વસ્તુ વિશેષણને ગ્રહણ કર્નારી તે વિપુલમતિ, તેમના દ્વારા પણ શ્રુત નિબદ્ધ થઈ ભણેલ. વિકુર્વિભિઃ- વૈક્રિયકારી વડે આજન્મ પાલિત. આભિનિબોધિકજ્ઞાની આદિ વડે સમ્યક્ આચરેલ. આમોસહિ-આમર્શ એટલે સંસ્પર્શ, તે રૂપ જ ઔષધિસર્વ રોગને દૂર કરનાર હોવાથી, તવરણથી ઉત્પન્ન લબ્ધિ વિશેષ. ઘેન - કફ, નરન - શરીરનો મેલ, વિપુપ - મૂત્ર, મળ. મોક્ષદ - અનંતર કહેલ આમશાંદિ, બીજી પણ ઘણી ઔષધિ તે સર્વોપધિ. બીજ રૂપ બુદ્ધિ જેની છે, તે બીજબુદ્ધિ, સામાન્ય અર્થથી બીજા અનેક અર્થને વિશદરૂપે જાણે. કોઠ જેવી બુદ્ધિ જેની છે, તે કોઠબુદ્ધિ, એક વખત જાણ્યા પછી નાશ ન થાય તેવી બુદ્ધિ. એક પદવી સો પદોને અનુસરતી તે પદાનુસારિણી. [અહીં વૃત્તિકારશ્રીએ ઉક્ત અર્થને જ જણાવતી ત્રણ ગાયા પણ નોધી છે. સંભિન્ન-સર્વથા સર્વ શરીર અવયવ વડે સાંભળે છે, તે સંભિજ્ઞ શ્રોતા અથવા સંભિજ્ઞ-પ્રોકના ગ્રાહકવથી શબ્દાદિ વિષય વડે વ્યાપ્ત શ્રોત-ઈન્દ્રિયોવાળા તે સંભિજ્ઞ શ્રોતથી સામન્યથી કે પરસ્પર ભેદથી શબ્દોને સાંભળે છે, તે સંભિgશ્રોતા. • x x• મનોબલિક-નિશ્ચલ મન વડે, વાગુબલિક-દૃઢપ્રતિજ્ઞ, નાયબલિક-પરીષહથી અપીડિત શરીર વડે, જ્ઞાનાદિબલિક-દંઢ જ્ઞાનાદિ વડે. ક્ષીરની જેમ મધુર વચનો ક્ષરે છે તે ક્ષીરાશ્રવા લબ્ધિવિશેષવાળા. આ રીતે બીજા પણ જાણવા. * * * મહાનસ-રસોઈ સ્થાન, ઉપચારથી સોઈ પણ અક્ષીણ મહાનસ જેનાં છે તે અક્ષીણમહાસનિક, પોતાના માટે લાવેલ ભોજન વડે લાખોને પણ જમાડતાં પોતાની જેમ તે બધાં વૃદ્ધિ પામે છે. પોતે ન જમે ત્યાં સુધી તે ક્ષય પામતી નથી. તથા અતિશયચરણથી ચારણ-વિશિષ્ટ આકાશગમન લબ્ધિયુક્ત. તે જંઘાચારણ અને વિધાયારણ છે ચારણ મુનિઓ જંઘા અને વિધા વડે અતિશય ચરણ સમર્થ છે. જંઘાચારણ સર્યના કિરણોની નિશ્રા કરીને એક પાત વડે પહેલા ચકવરે જાય છે. ત્યાંથી બીજા ઉત્પાતળી પાછો ફરે, બીજા ઉત્પાતે નંદીઘરે પહોચે. પહેલા ઉપાd પાંડક વનમાં, બીજા ઉત્પાતથી નંદનવને, ત્રીજા ઉત્પાતથી પાછો ફરે છે. આ જંઘાચારણની લબ્ધિ છે. જ્યારે વિધાચારણ પહેલાં ઉત્પાત માનુષોત્તર પd, બીજા ઉત્પાતે નંદીશ્વર પછી ચૈત્યવંદના કરી ત્રીજા ઉત્પાતે અહીં પાછા આવે છે. પહેલાં ઉત્પાતે નંદનવને, બીજા ઉત્પાતે પાંડુકવને, ત્રીજા ઉત્પાતે અહીં પાછો આવે છે. ચતુર્થભક્તિક અહીં યાવત્ શબ્દથી છભક્તિક, અટ્ટમભક્તિક, એ પ્રમાણે ચાર-પાંચ-છ-સાત ઉપવાસ, અર્ધમાસ ક્ષમણ, માસક્ષમણ, બે માસી, ત્રિમાસી, ચતુમસી, પંચમાસી તપ જાણવું. ઉક્ષિપ્ત-પકાવવાના પાત્રમાંથી બહાર કાઢેલ ભોજનને જ ચરંતિ-ગવેષણા કરે છે. નિતિ -પકાવવાની થાળીમાં રહેલ. અંત-વાલ ચણા આદિ. પ્રાંત-જ, ખાતાં વધેલ કે પષિત. રક્ષ-સ્નેહ હિત. સમુદાન-ઐક્ય. અન્નગ્લાયક-દોષભોજી. મૌનચરક - મૌન રહી ભિક્ષા લેનાર. સંસૃષ્ટ-લિપ્ત હાથ કે પાત્ર વડે અપાતા અદિ લેનાર એવો જે કા-સમાચારી જેવી છે તે સંસપ્ટકલિકા. જે પદાર્થ લેવાનો છે, તેના વડે ભરેલ હાથ કે પાનાદિથી ભિક્ષા લેવાના કાવાળા. ઔપનિધિક-નજીકમાં જનાર કે નજીક રહેલ પદાર્થને જ ગ્રહણ કરનાર, શુદ્વૈષણિક-શંકિતાદિ દોષ પરિહારચારી. સંવાદતિક-દતિની સંખ્યા નક્કી કરી આહાર લેનાર, દરિ-એક વખત પાત્રમાં ભોજનાદિનો ક્ષેપ તે એક દત્તિ, પાંચ-છ આદિ પરિમાણ તે સંખ્યા. - X - X - દૈટિલાભિક-દૈશ્યમાન સ્થાનથી લાવીને આપેલને ગ્રહણ કરે. અદટલાભિક-પહેલા ન જોયેલ દાતા વડે દેવાતી ભિક્ષા લેનાર. પૃષ્ણલાભિક - હે સાધુ તમને આ લો, એમ પ્રશ્નપૂર્વક પ્રાપ્ત ભિક્ષા લેનાર. ભિન્નપિંડાતિકફોડેલ એવા જ ઓદનાદિ પિંડનો પાત-પાત્રમાં ક્ષેપને ગ્રહણ કરે. પરિમિત પિંડપાતિકપરિમિત ઘરોમાં પ્રવેશ કે વૃતિસંક્ષેપ વડે ગ્રહણ કરે. અંતાહાર-અંત આદિ પદો પૂર્વવતુ. પૂર્વે માત્ર ગવેષણા જ કહેલી. અહીં આહાર-ભોજન જાણવું. અસ્સ-હિંગ આદિ વડે સંસ્કારિત. વિરસ-જૂનો હોવાથી રસહીન. તુચ્છ-અલા. અંતવૃત્તિ અપેક્ષાએ ઉપશાંત-જીવી, બહિવૃત્તિ અપેક્ષાએ
SR No.009006
Book TitleAgam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy