SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮/૧૩૬ ૐ સમવાય-૫૮ — * - * — - સૂત્ર-૧૩૬ ઃ ૦ પહેલી, બીજી, પાંચમી એ ત્રણ પૃથ્વીમાં ૫૮-લાખ નકાવાસો છે.. ૦ જ્ઞાનાવરણીય, વેદનીય, આયુ, નામ, અંતરાય એ પાંચ કર્મોની ૫૮-ઉત્તરપ્રકૃત્તિઓ છે.. • ગૌસ્તુભ આવાસ પર્વતના પશ્ચિમાંતથી વડવામુખ મહાપાતાળ કળશના બહુ મધ્યભાગ સુધી ૫૮,૦૦૦ યોજન અબાધાએ આંતરું છે. આ પ્રમાણે ચારે દિશામાં જાણવું. • વિવેચન-૧૩૬ : ૫૮મું સ્થાન - તેમાં પહેલી નસ્કમાં-૩૦ લાખ, બીજીમાં-૨૫ લાખ, પાંચમીમાં૩ લાખ, સર્વે મળીને-૫૮ લાખ નકાવાસ છે.. ॰ જ્ઞાનાવરણ-૫, વેદનીય-૨, આયુષ્ય૪, નામ-૪૨, અંતરાય-૫ બધી મળીને-૫૮ ઉત્તર પ્રકૃત્તિ થાય.. ૦ ગોસ્તંભ આદિનો ભાવાર્થ પૂર્વવત્ જાણવો. . ૦ એ પ્રમાણે ચારે દિશામાં જાણવું, કહી ત્રણ સૂત્રની ભલામણ કરી. તે આ રીતે - દકભાસ આવાસ પર્વતના ઉત્તર છેડેથી કેતુક મહા પાતાળ કળશના બહુ મધ્ય દેશ ભાગ સુધી ૫૮,૦૦૦ યોજન અબાધાએ અંતર છે. એ રીતે શંખ આવાસ પર્વતના પૂતિથી સૂપ મહાપાતાળ કળશનું તથા દકસીમ આવાસ પર્વતના દક્ષિણાંતથી ઈશ્વર મહાપાતાળ કળશના બહુ મધ્યદેશ ભાગ સુધીનું અંતર કહેવું. સમવાય-૫૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૧૩ અધિક કહ્યો છે. સમવાય-૫૯ ક — — — - સૂત્ર-૧૩૭ : ચંદ્ર સંવત્સરની એક-ત્રતુ ૫૯ રાત્રિદિવસની છે.. ૰ અર્હત્ સંભવે ૫૯લાખ પૂર્વ ગૃહવાસ મધ્યે રહીને મુંડ થઈ યાવત્ પ્રવ્રજ્યા લીધેલી.. . અર્હત્ મલ્લિને ૫૦૦ અવધિજ્ઞાની હતા. 8/8 • વિવેચન-૧૩૭ : સ્થાનાંગાદિમાં અનેકવિધ સંવત્સર કહ્યા. તેમાં ચંદ્રની ગતિને આશ્રીને જે સંવત્સર કહેવાય તે ચંદ્ર સંવત્સર. તેમાં ૧૨ માસ અને છ ઋતુઓ હોય. પ્રત્યેક ઋતુ ૫૯-રાત્રિદિનની હોય, તે આ રીતે - ૨૯-૩૨/૬૦ રાત્રિ દિનનો કૃષ્ણ એકમથી શુક્લ૧૫ સુધીનો એક ચંદ્રમાસ થાય. તેને બમણો કરવાથી એક ઋતુ થાય છે. તેથી આ ઋતુમાં ૫૯ અહોરાત્ર થાય. અહીં ૨/૬૨ ભાગ વધે તે કહેલ નથી. અરિહંત સંભવનો ૫૯-લાખ પૂર્વ કહ્યો છે. આવશ્યકમાં તો તેથી ચાર પૂર્વાંગ સમવાય-૫૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૧૪ સમવાય-૬૦ — x = x = સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ - સૂત્ર-૧૩૮ : પ્રત્યેક સૂર્ય ૬૦-૬૦ મુહૂર્તો કરીને એકૈક મંડલને નીપજાવે છે... ૦ લવણસમુદ્રના અગ્રોદકને ૬૦,૦૦૦ નાગકુમારો ધારણ કરે છે.. અર્હત્ વિમલ ૬૦ ધનુર્ ઉંચા હતા.. • વૈરોરોનેન્દ્ર બલિને ૬૦,૦૦૦ સામાનિક દેવો છે.. • દેવેન્દ્ર દેવરાજ બ્રહ્મને ૬૦,૦૦૦ સામાનિક દેવો છે.. ૦ સૌધર્મ, ઈશાન બે કલ્પમાં થઈને ૬૦ લાખ વિમાનો છે. • વિવેચન-૧૩૮ - ૬૦મું સ્થાનક - સૂર્યના ૧૮૪ મંડલો છે. તે દરેક મંડલને તથા પ્રકારની ચાર ભૂમિ, સૂર્ય ૬૦-૬૦ મુહૂર્તો વડે - બબ્બે અહોરાત્ર વડે પૂર્ણ કરે છે. ભાવાર્થ આ પ્રમાણે - એક સ્થાને ઉગેલ સૂર્ય તે સ્થાને બે અહોરાત્રે ઉગે. ૧,૬૦૦૦ યોજન ઉંચી વેળાની ઉપર બે ગાઉ પ્રમાણ વૃદ્ધિ-હાનિના સ્વભાવવાળું જે જળ તે અગ્રોદક છે.. ૦ ઉત્તરીય અસુરકુમાર નિકાયના રાજાનું ભવન.. ૦ બ્રહ્મલોક નામના પાંચમાં દેવલોકનો ઈન્દ્ર.. ° સૌધર્મ કો ૩૨ અને ઈશાન કલ્પ ૨૮ બંને મળીને ૬૦-લાખ વિમાનો છે. સમવાય-૬૦-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૬૧ — x — * — • સૂત્ર-૧૩૯ -- પાંચ સંવત્સરનો એક યુગ, તેને ઋતુમાસ વડે માન કરતાં ૬૧-ઋતુમાસ કહ્યા.. ॰ મેરુ પર્વતનો પહેલો કાંડ ૬૧,૦૦૦ યોજન ઉંચો છે... • ચંદ્રમંડલ ૬૧ ભાગે વિભાગ કરતા સમાંશ કહ્યું.. એ રીતે સૂર્ય પણ છે. 0 • વિવેચન-૧૩૯ : ૬૧મું સ્થાન - પાંચ વર્ષે જે નીપજે તે પંચસાંવત્સરિક - ૪ - તે યુગનો કાલમાન વિશેષ છે. તેને ચંદ્રમાસ નહીં પણ ઋતુમાસથી માપતા ૬૧ ઋતુમાસ કહ્યા. ભાવાર્થ આ છે કે – પાંચ સંવત્સરનો એક યુગ કહેવાય. તે આ રીતે – ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર, અભિવર્ધિત. તેમાં ૨૯-૩૨/૬૨ પ્રમાણ કૃષ્ણ એકમથી પૂર્ણિમા સુધી હોય છે. તે રીતે એક ચંદ્રમાસ થાય, તેવા ૧૨-માસનો એક ચંદ્ર સંવત્સર થાય. તેનું પ્રમાણ આ છે - ૩૫૪-૧૨/૬૨ તથા ૩૧-૧૨૧/૧૨૪ પ્રમાણનો અભિવર્ધિત માસ થાય. આવા બાર માસ વડે એક અભિવર્ધિત સંવત્સર થાય, તેમાં ૩૮૩-૪૪/૬૨ દિવસો થાય. આવા ત્રણ ચંદ્ર સંવત્સર અને બે અભિવર્ધિત સંવત્સર મળીને ૧૮૩૦ અહોરાત્ર થાય. ઋતુમાસ ૩૦-અહોરાત્રનો હોય. ૧૮૩૦ ને ૩૦ વડે ભાગતા ૬૧ ઋતુમાસ થાય. ૯૯,૦૦૦ યોજન પ્રમાણ મેરુના બે ભાગ કરીએ, તેમાં પહેલો ભાગ ૬૧,૦૦૦
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy