SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૯/-[૮૭૨ થી ૮૭૬ ૧૪૭ જેમ ઉત્પન્ન બલવાળા-પ્રતિજ્ઞા કરેલ વસ્તુના ભારને નિર્વાહનારા. સિંહની જેમ દુદ્ધર્ષપરીષહાદિથી પરાભવ ન પામવા યોગ્ય. મેરુવત્ અકંપ-અનુકૂલાદિ ઉપસર્ગ વડેનિશ્ચલ સત્ત્વવાળા, સાગરની જેમ અક્ષોભ, એ રીતે સૂત્ર વડે સૂચના છે - સાગરવત્ ગંભીર-હર્ષ, શોકાદિથી ક્ષોભિત ન થવાથી. ચંદ્રની જેમ સૌમ્યુલેક્ષ્ય-અનુપતાપકારી પરિણામ. સૂર્યની જેમ દિપ્ત તેજવાળા-દ્રવ્યથી શરીરની કાંતિ અને ભાવથી જ્ઞાન વડે. જાત્ય સુવર્ણવત્ જાતરૂપ અર્થાત્ રાગાદિ કુદ્રવ્યના વિરહથી પ્રાપ્ત કરેલ છે શુદ્ધ સ્વરૂપ તે. પૃથ્વીની જેમ સર્વ સ્પર્શને સહેનારા-શીતોષ્ણાદિ અનુકૂળ-પ્રતિકૂળ સ્પર્શોને સહેનારા. “સુહુલહુત'' - કહેવાઈ ગયેલ છે. [૮૫] તે મહાપદ્મ ભગવંતને આ પક્ષ નથી. તે કહે છે – ક્યાંય પણ પ્રતિબંધ - સ્નેહ થશે. હંસાદિ અંડજ, આ મારા છે તેવા ઉલ્લેખ વડે પ્રતિબંધ થાય છે અથવા ઈંડુ તે મનોહર મોર વગેરેનું કારણ છે એવો પ્રતિબંધ થાય અથવા અંડજપટ્ટસૂત્ર, પોતજ-આ હાથી મારા છે એવો પ્રતિબંધ થાય અથવા પોતક-બાળકઅથવા પોતક-વસ્ત્ર મારું છે એવો પ્રતિબંધ થાય. વિશુદ્ધ આહારમાં પણ સરાગ સંયમવાળાને પ્રતિબંધ થાય માટે બતાવે છે – પીરસવાને માટે ઉપાડેલું, ભોજન કરવાને ઉપાડેલું. અથવા અવગ્રહ જેને છે એવી વસતિ, પીઠ, ફલકાદિ વસ્તુ અથવા દાંડો વગેરે ઉપધિની જાત, પ્રકર્ષ વડે જેનું ગ્રહણ છે તે પ્રગ્રહિક અર્થાત્ ઔધિક પાત્રાદિ ઉપકરણ અથવા અંડજ કે પોતજ. - x - X - જ્યારે વિહારને અર્થે ઈચ્છે ત્યારે તે તે દિશામાં મહાપદ્મપ્રભુ વિચરશે એમ સંબંધ છે. - ૪ - શુચિભૂત-ભાવની શુદ્ધિથી, ઉપધિરહિતપણાને લઈને અથવા ગૌરવના ત્યાગ વડે લઘુભૂત. અનુરૂપપણે-ઉચિતપણે વિરતિથી પણ પાપના ઉદયથી નહીં. સૂક્ષ્મ અને અલ્પ પણ ગયેલ છે ધન આદિ ગ્રન્થ જેને અથવા જેનાથી તે અનુપગ્રન્થ અથવા અપ શબ્દથી અણુપ્રગ્રંથ અથવા અનર્પા-અનર્પણીય-બીજાને ન દેવા યોગ્ય કેમકે આધ્યાત્મિકત્વથી. ગ્રંથવત્ - દ્રવ્યની જેમ જ્ઞાનાદિ ગ્રંય છે જેને તે અનર્પ્સ ગ્રંથ. વેમાળે - અર્થાત્ વાસયત્ - વસતા એવા. અનુત્તર - એનાથી બીજું શ્રેષ્ઠ નથી તે. અનુત્તર વડે. આ પદનો આગળ સંબંધ કરવો, વાતિ અને એકરત્રાદિ વિહાર વડે, આર્જવ આદિ ક્રમશઃ માયા, માન, ગૌરવ, ક્રોધ, લોભના નિગ્રહો છે. ગુપ્તિ-મન વગેરે, સત્ય-બીજું મહાવ્રત, સંયમપહેલું, તપોગુણ-અનશનાદિ, સુચતિ-સારી રીતે સેવેલું, શૌચ-ત્રીજું મહાવ્રત અથવા વિચ-વિજ્ઞાન - ૪ - ફલપ્રધાન પરિનિર્વાણ માર્ગ-નિવૃત્તિ નગરીનો પંચરૂપ સત્યાદિ પરિનિર્વાણ માર્ગ વડે. ધ્યાન-શુકલધ્યાનના બીજા અને ત્રીજા ભેદરૂપનો મધ્ય-ધ્યાનાંતર તે ધ્યાનાંતરિકામાં વર્તતાને અર્થાત્ શુક્લ ધ્યાનના બીજા ભેદથી ઉતરીને ત્રીજા ભેદને ન પ્રાપ્ત કરેલ એવા મહાપદ્માને અનંત વિષયત્વથી અનંત, સર્વોત્તમ હોવાથી અનુત્તર, પર્વતાદિથી પ્રતિહત હોવાથી નિર્વ્યાઘાત, સર્વાવરણના નાશથી નિરાવરણ, સર્વાર્થ વિષયત્વથી કૃત્સ્ન, સ્વરૂપથી પૂનમના ચંદ્ર જેવું, અસહાયથી કેવલ, વર-જ્ઞાન દર્શન ૧૪૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ अरह - પ્રસિદ્ધ છે. - ૪ - અષ્ટવિધ મહાપ્રાતિહાર્ય પૂજાના યોગથી અર્હ,રાગાદિ જિતવાથી જિન, પરિપૂર્ણ જ્ઞાનાદિ ત્રયના યોગથી કેવલી, સર્વ વિશેષાર્થના બોધથી સર્વજ્ઞ, સકલ સામાન્યાર્થના અવબોધથી સર્વદર્શી થશે. વૈમાનિક અને જ્યોતિક લક્ષણ દેવ વડે યુક્ત, મનુષ્ય તથા ભવનપતિ, વ્યંતર લક્ષણ અસુર વડે યુક્ત. લોક-પંચાસ્તિકાયાત્મક તેના પર્યાયો-વિચિત્ર પરિણામોને જાણશે-દેખશે. આ દેવાદિકનું ગ્રહણ પ્રધાનની અપેક્ષાએ છે. અન્યથા સર્વે જીવોના સર્વે પર્યાયોને જાણશે - x - વૈમાનિક અને જ્યોતિષ્કનું મરણ તે ચ્યવન, નાક અને દેવોનો જન્મ તે ઉપપાત, • ૪ • મનમાં થયેલ તે માનસિક-ચિંતિત વસ્તુ. મુક્તઓદનાદિ, કૃત-ઘડો આદિ, પ્રતિસેવિત-પ્રાણિવધ આદિ. પ્રગટ કાર્ય, જનરહિત વ્યાપાર - - તે બધાંને જાણશે. મા - સર્વજ્ઞ હોવાથી જેને રહ-વિજન વિધમાન નથી તે. આ હેતુથી જ રહસ્યના અભાવથી અરહસ્યને ભજે છે તે. તે - તે કાલને આશ્રીને એમ જાણવું. - ૪ - માનસ, વાયસ, કાયિક તેના યોગ-વ્યાપારમાં - ૪ - વર્તમાન-વ્યવસ્થિત સર્વભાવોને જાણતાં અને જોતાં વિચરશે. જાણીને ભાવના સહિત, દરેક વ્રત, ઇર્યાસમિતિ આદિ પાંચ ભાવનાઓ વડે જે છે તે, તે ભાવનાઓનું સ્વરૂપ આવશ્યકથી માનવું. છ જીવનિકાયોને રક્ષણીયપણાએ એવા સ્વરૂપવાળું ચાસ્ત્રિાત્મક સદ્ગતિમાં જીવને ધારણ કરવાથી ધર્મ અને શ્રુતધર્મને પ્રરૂપતાં વિચરશે. હવે મહાપાનું અને પોતાનું સર્વજ્ઞપણું હોવાથી બંને સર્વજ્ઞોના મતમાં અભેદ છે. ભેદમાં તો બંનેમાંથી એકને અયથાર્થ વસ્તુને જોવાથી અસર્વજ્ઞતાનો પ્રસંગ આવે માટે ભગવંત બંનેને સમાન વસ્તુની પ્રરૂપણાને બતાવતા કહે છે - ૪ - x - હે આર્યો ! એમ શિષ્યને આમંત્રણ છે. આરંભ એ જ સ્થાન તે આરંભસ્થાન એક જ છે. તેનું તે-તે પ્રમત્તયોગ લક્ષણ હોવાથી. બધો પ્રમાદ યુક્ત યોગ સાધુઓને આરંભરૂપ છે. શેષ આવશ્યક સૂત્રમાં પ્રાયઃ પ્રસિદ્ધ છે, માટે લખ્યું નથી. ફલક-પાતળું લાંબુ પાટિયું. કાષ્ઠ-જાડું અને લાંબુ. લબ્ધ સન્માનાદિ યુક્ત મેળવેલ અને અપલબ્ધ-તિરસ્કારપૂર્વક મેળવેલ જે ભોજનાદિ નિર્વાહ તે લબ્ધાપલબ્ધ વૃત્તિઓ. આધાય સાધુને આશ્રીને ક્ર્મ - સચેતનને અચેતન કરવારૂપ અથવા અચેતનની પાકલક્ષણ ક્રિયા છે જે ભોજનાદિમાં તે આધાકર્મિક. - ૪ - ૪ - કૃતિ શબ્દ ઉપદર્શનાર્થે અથવા વિકલ્પાર્થે છે.. પાખંડી, શ્રમણો, નિગ્રન્થોને ઉદ્દેશીને દુર્ભિક્ષાદિનો નાશ થતા જે ભોજન અપાય છે તે ઔદ્દેશિક-ઉદ્દેશમાં થયેલ તે. અથવા તેમજ જે ઉદ્ધરેલ, દહીં આદિથી મિશ્રિત કરીને કે તપાવીને અપાય છે તે ઔદ્દેશિક છે. - x - ગૃહસ્થ અને સાધુ બંને માટે થયેલ તે મિશ્રજાત. - - ૪ - મૂલથી પોતાને માટે રાંધતા, તેમાં સાધુ આદિને માટે જે કણ આદિ નાખવું તે અધ્યવપૂરક છે. - X - શુદ્ધ આહારાદિ હોય પણ આધાકર્મીના અવયવો
SR No.008998
Book TitleAgam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy