SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૩/૩/૨૨૦,૨૨૧ ૧૧૫ સંસારગમનમાં વક્ર અને બંધ મોક્ષમાં નિપુણ એવો એક જાણનારો પ્રમાણભૂત છે. આ પ્રમાણે રાગ-પ્રીતિ લક્ષણ, દ્વેષ પ્રીતિ લક્ષણ છે. તે બંનેથી હણાયેલ આત્માવાળા અન્યદર્શીનીઓ તથા વિપરીત બોધ વડે અતત્વ અધ્યવસાયરૂપ મિચ્યાત્વી વ્યાપ્ત સયુક્તિ વડે વાદ કરવા અસમર્થ ક્રોધ વશ થઈને અસભ્ય વચનરૂપ આક્રોશ તથા દંડ, મુષ્ટિ આદિ વડે મારવા તૈયાર થાય છે. તે માટે દૃષ્ટાંત કહે છે - જેમ મ્લેચ્છ ટંકણો દુય છે છતાં બળવાન શત્રુ વડે યુદ્ધમાં હારી જાય તો પર્વતનું શરણ લે છે, તેમ વાદમાં પરાજિત કુતીર્થિકો વાદમાં હારતા આક્રોશનું શરણ લે છે. પણ તેથી જૈન સાધુએ સામે આક્રોશ ન કરવો. કહ્યું છે કે - આક્રોશ, હનન, મારણ એ ધર્મભ્રષ્ટ બાળકને સુલભ છે પણ ધીરપુરુષ મૌનમાં વધુ લાભ માને છે. • સૂત્ર-૨૨૨ થી ૨૨૪ ઃ વાદ કરતી વખતે મુનિ પોતાની ચિત્તવૃત્તિને પ્રસન્ન રાખે અને બીજા મનુષ્યો તેના વિરોધી ન બને તેવા આચરણથી પોતાનો પક્ષ રજૂ કરે. કાશ્યપ મહાવીરસ્વામીએ કહેલ આ ધર્મને ગ્રહણ કરીને પ્રસન્ન ચિત્તે, અગ્લાનભાવે મુનિ ગ્લાન સાધુની સેવા કરે. સમ્યગ્દષ્ટિ, શાંતમુનિ મોક્ષદાસી એવા ઉત્તમ ધર્મને જાણીને ઉપસર્ગોને સહન કરીને મોક્ષ પ્રાપ્તિ પર્યન્ત સંયમ અનુષ્ઠાન કરે. - તે હું કહું છું. • વિવેચન-૨૨૨ થી ૨૨૪ ઃ વે મુળા: સ્વપક્ષ સિદ્ધિ અને પરદોષ બતાવવા વગેરેમાં કે માધ્યસ્થ્ય આદિનો આત્મામાં પ્રાદુર્ભાવ જે અનુષ્ઠાનમાં થાય તે બહુ ગુણ કલ્પે છે - પ્રતિજ્ઞા, હેતુ, દૃષ્ટાંત, ઉપનય, નિગમન આદિ કે માધ્યસ્થ વચનવાળા અનુષ્ઠાનો સાધુએ વાદ કરતા કે અન્યદા યોજવા જોઈએ. તે જ કહે છે - ચિત્ત સ્વાસ્થ્ય રૂપ સમાધિ જેને છે તે આત્મસમાધિક છે. કહ્યું છે કે - જે જે હેતુ દૃષ્ટાંત સ્થાપવા વડે આત્મસમાધિ થાય અર્થાત્ માધ્યસ્થ વચન વડે સ્વપક્ષ સિદ્ધિ કે પર અનુપઘાત થાય તેમ વાદ કરે તથા જે અનુષ્ઠાન કે વચનથી ધર્મશ્રવણ આદિ કે અન્યપ્રવૃત્તિમાં અન્યતીર્થિ વિરોધ ન કરે તેમ વર્તવું. બીજાને વિરોધ ન થાય તેવું અનુષ્ઠાન કે વચન સાધુઓ કરવું. આ પ્રમાણે પરમતનું નિરાકરણ કરી ઉપસંહાર વડે સ્વમત સ્થાપનાર્થે કહે છે - દુર્ગતિમાં ધારવાથી ધર્મ છે, તે શ્રી મહાવીર સ્વામીએ કેવળ જ્ઞાન થયા પછી દેવ, મનુષ્યોની સભામાં યથાવસ્થિત અર્થ નિરૂપણ કરીને કહ્યો છે અને પરમતનું નિરાકરણ કર્યું છે તે સમજીને સાધુ બીજા માંદા સાધુની તૈયાવચ્ચ કરે. કઈ રીતે કરે ? પોતાની શક્તિ મુજબ સમાધિ રહે તે રીતે અર્થાત્ જે રીતે આત્માને સમાધિ રહે અને પોતાના યોગો ન સીદાય તે રીતે તે ગ્લાનને સમાધિ ઉપજે તે માટે ગૌચરી આદિ લાવીને આપે. શું કરવાથી આ થઈ શકે ? આ ધર્મ સર્વજ્ઞપણીત, શ્રુત-ચાસ્ત્રિ નામક ભેદવાળો, પ્રાણીઓની અહિંસારૂપ સુંદર, પ્રીતિના કારણરૂપ છે તેમ જાણીને. સદ્ભૂત પદાર્થમાં રહેલ દૃષ્ટિ તે સમ્યગ્દર્શન જેને છે તે યથાર્થ વસ્તુને જાણનાર તથા રાગ-દ્વેષ દૂર થવાથી શાંતિરૂપ છે, તે ધર્મને સુંદર સમજી અનુકૂળ ૧૧૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરે, પણ કંટાળીને વિરૂપ ન આચરે એ રીતે સર્વકર્મ ક્ષય થાય ત્યાં સુધી સંયમ અનુષ્ઠાનમાં તત્પર રહે. - ૪ - અધ્યયન-૩ ‘“ઉપસર્ગપરિજ્ઞા'' ઉદ્દેશા-૩નો મુની દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ અધ્યયન-૩ ઉદ્દેશો-૪ ૦ ત્રીજો ઉદ્દેશો કહ્યો, હવે ચોથો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વના ઉદ્દેશામાં અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો કહ્યા. તે ઉપસર્ગોથી કદાચ કોઈ સાધુ શીલથી ભ્રષ્ટ થાય, તેવા સાધુને આ ઉદ્દેશામાં બોધ આપે છે. - ૪ - હવે સૂત્ર • સૂત્ર-૨૨૫ થી ૨૨૮ : પૂર્વે ઉગ્ર તપસ્વી મહાપુરુષોએ (સચિત્ત] જળથી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, આ સાંભળી મંદ સાધુ વિષાદ પામે છે...વૈદેહી નમિરાજા આહાર ન કરીને રામગુપ્તે ભોજન કરતા, બાહુકે સચિત્ત જળથી, નારાયણે અચિત્ત જળથી સિદ્ધિ પ્રાપ્ત કરી છે...મહર્ષિ-આસિલ, દૈવિલ, દ્વૈપાયન અને પારાસરે સચિત જળ-બીજ અને વનસ્પતિનો ઉપભોગ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે...પૂર્વે આ મહાપુરુષો પ્રખ્યાત અને માન્ય હતા. તેઓએ સચિત જળ અને બીજનો ઉપયોગ કરી સિદ્ધિ પ્રાપ્ત કરી એવું મેં પરંપરાએ સાંભળેલ છે. • વિવેચન-૨૨૫ થી ૨૨૮ઃ [૨૨૫-] કેટલાક પરમાર્થને ન જાણનારા કહે છે કે - મહાન્ પુરુષો એવા વલ્કલચીરી, તારાગણ ઋષિ વગેરે પૂર્વકાળે તપ કરવાથી તપોધન હતા - તેમણે પંચાગ્નિ આદિ તપ વિશેષથી કાયાને ઘણી તપાવેલી, તેઓ કાચું પાણી પીને, ઉપલક્ષણથી કંદ-મૂલ-ફલાદિ ઉપભોગથી કાચા પાણીના પભિોગથી સિદ્ધિમાં ગયા. આવું સાંભળીને, તેમાં સદ્ભાવના આવેશથી અજ્ઞાની સાધુ અસ્નાનનો ત્યાગ કરીને, કાચા પાણીના પરિભોગમાં મગ્ન બની સંયમાનુષ્ઠાનમાં વિષાદ પામે છે અથવા તે કાચું પાણી પીએવાપરે-નહાય વગેરે ઉપયોગ કરે છે. પણ તે બિચારો એમ ન વિચારે કે તે તાપસ આદિ વ્રતવાળા કોઈક જાતિસ્મરણ આદિ નિમિત્તથી સમ્યગ્દર્શન પામીને જિન કથિત ભાવ સંયમ સ્વીકારી જ્ઞાનાવરણીય આદિ કર્મ દૂર કરીને ભરતાદિ માફક મોક્ષે ગયા છે. - ૪ - [૨૨૬-] કેટલાંક કુતીર્થિ સાધુને ઠગવા આમ કહે છે અથવા શીથીલ એવા જૈન સાધુ આવું કહે છે કે - વિદેહ જનપદમાં થયેલ નમી રાજા - ૪ - ફક્ત ભોજન ન કરવાથી મોક્ષે ગયા. તથા રામગુપ્ત રાજર્ષિ આહારાદિ વાપરીને મોક્ષે ગયા. બાહુક કાયું પાણી વાપરીને અને નારાયણમહર્ષિ પરિણતજળના પરિભોગથી સિદ્ધ થયા. [૨૨૭-] મહર્ષિ એવા આસિલ, દેવિલ, દ્વૈપાયન તથા પારાશર સચિત્ત પાણી, બીજ, વનસ્પતિના પરિભોગથી સિદ્ધ થયા એવું સંભળાય છે.
SR No.008994
Book TitleAgam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy