SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અ૦૧ સૂ૦ ૨૩ શ્રીતત્ત્વાથધિગમસૂત્ર ઉત્કૃષ્ટ અધો– ભવનપતિને ત્રીજી નરક સુધી, વ્યંતર-જ્યોતિષ્કને સંખ્યાતયોજન સુધી. ઊર્ધ્વ આદિ ત્રણેમાં જઘન્ય ભવનપતિ અને વ્યંતરમાં ૨૫ યોજન, જ્યોતિષમાં સંખ્યાતયોજન. વૈમાનિક દેવોનું અવધિક્ષેત્ર ચોથા અધ્યાયના ૨૧મા સૂત્રમાં જણાવ્યું છે. (૨૨) ક્ષયોપશમ પ્રત્યય અવધિજ્ઞાનના સ્વામીયથોmનિમિત્ત: પવિન્ય: શોષાગામ્ II ૨-૨૩ | શેષ જીવોને શાસ્ત્રોક્ત ક્ષયોપશમરૂપ નિમિત્તથી ઉત્પન્ન થનાર ક્ષયોપશમ પ્રત્યય અવધિજ્ઞાન છ પ્રકારનું હોય છે. અહીં શેષ જીવોથી મનુષ્યો અને તિર્યંચો સમજવાના છે. કારણ કે મનુષ્ય, તિર્યંચ, નારક અને દેવ એમ ચાર પ્રકારના જીવો છે, તેમાં નારક અને દેવોને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય છે. એટલે શેષ તિર્યંચો અને મનુષ્યો જ રહે છે. લયોપશમ પ્રત્યય અવધિજ્ઞાનના છ ભેદો-(૧) અનુગામી, (૨) અનનુગામી, (૩) વર્ધમાન, (૪) હીયમાન, (પ) પ્રતિપાતી, (૬) અપ્રતિપાતી. (૧) અનુગામી- ફાનસના દીવાની જેમ સાથે આવનાર. અનુગામી અવધિજ્ઞાનવાળો જીવ ગમે ત્યાં જાય તો પણ તેને અવધિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે. (૨) અનનુગામી– ઇલેક્ટ્રીક બલ્બના પ્રકાશની જેમ સાથે ન આવનાર. અનનુગામી અવધિજ્ઞાન જે સ્થળે ઉત્પન્ન થયું હોય તે સ્થળે જ તેનો ઉપયોગ પ્રવર્તે. જીવ બીજા સ્થળે જાય તો તેનો ઉપયોગ ન પ્રવર્તે. (૩) વર્ધમાન– ઉત્પન્ન થયા બાદ પ્રદીપ્ત અગ્નિની જેમ અનુક્રમે વધતું જાય. | (૪) હયમાન– ઉત્પન્ન થયા બાદ અનુક્રમે ઘટતું જાય. (૫) પ્રતિપાતી– વીજળીના ઝબકારાની જેમ ઉત્પન્ન થઈને ચાલ્યું જાય. અવધિજ્ઞાનના પ્રતિપાતી ભેદના સ્થાને અનવસ્થિત ભેદ પણ આવે છે. અનવસ્થિત એટલે અનિયત. ઓછું થાય, વધે, ચાલ્યું પણ જાય, ફરી ઉત્પન્ન થાય એમ અનિયત હોય.
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy