SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શ્રીસ્વાદિગમસૂત્ર [અ૦૧ સૂ૦ ૨૦ ભેદો છે, તે બંનેના અનેક ભેદો છે, છતાં અહીં કાલિક અને ઉત્કાલિક એ બે ભેદોની વિવફા ન કરી હોવાથી અંગબાહ્યના અનેક ભેદો છે એમ જણાવ્યું છે. પ્રશ્ન- સઘળું શ્રુત શ્રુતરૂપે સમાન હોવા છતાં તેના અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા ભેદ કઈ અપેક્ષાએ છે ? ઉત્તર– શ્રુતજ્ઞાનના બે ભેદ વક્તાના ભેદની અપેક્ષાએ છે. ગણધર ભગવંતોએ જેની રચના કરી તે અંગપ્રવિણ. શ્રતના વિશુદ્ધ બોધવાળા આચાર્યોએ જેની રચના કરી તે અંગબાહ્ય.' પ્રશ્ન-આચાર્યોએ શ્રુતની રચના કેમ કરી? શું ગણધરોની શ્રુતરચના ખામીવાળી કે અલ્પ હતી? ઉત્તર–ગણધરો અતિશયથી સંપન્ન હોવાથી તેમની રચના ખામીરહિત અને સંપૂર્ણ હતી. પણ કાલદોષથી બુદ્ધિ, બળ, આયુષ્ય વગેરેનો હ્રાસ થતો જઈ અલ્પશક્તિવાળા અને અલ્પ આયુષ્યવાળા શિષ્યો પણ જલદી સારી રીતે સમજી શકે એ આશયથી આચાર્યોએ તે તે કાલ પ્રમાણે તે તે શ્રુતની રચના કરી. અર્થાત્ મંદમતિ વગેરે શિષ્યોના અનુગ્રહ માટે આચાર્યોએ બીજા શ્રતની રચના કરી છે. ૧. છ આવશ્યક સૂત્રો ગણધરત છે. પ્રગ્ન- તત્ત્વાર્થ ભાષ્યમાં સામાયિક આદિ છ માવયક સત્રો, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન વગેરે શ્રત અંગબાહ્ય છે, અને જેની રચના ગણધર પછીના આચાર્યોએ કરી હોય તે અંગબાહ્ય છે, એમ જણાવ્યું છે. આનાથી સામાયિક આદિજ આવશ્યક સૂત્રોના કર્તા ગણધર ભગવંતો નહિ, ;િ ગણધર પછીના આચાર્ય ભગવંતો છે એમ સિદ્ધ થાય છે. આ સમજણ બરોબર છે ? ઉત્તર- ના. કારણ કે ૫.પૂ. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજથી પણ પ્રાચીન ચૌદ પૂર્વવર શ્રી ભદ્રબાહુ સ્વામી વિરચિત આવશ્યક નિર્યુક્તિ આદિ અનેક પ્રમાણભૂત ગ્રંથોના આધારે જ આવશ્યક સૂત્રોના ક્ત શ્રી ગણધર ભગવંતો છે એમ સિદ્ધ થાય છે. આથી ઉક્ત ભાગનો અર્થ પણ તે પ્રમાણે ઘટાવવો જોઈએ. આથી જ એ ભાષ્યની પૂ. શ્રી સિદ્ધસેન ગણિવર્યકત ટીકામાં અને પૂ. શ્રી યશોવિજયજી મહોપાધ્યાયકત ટીકામાં ગણધર પછીના આચાર્યોએ રચેલા અંગબાલ શ્રતમાં દશવૈકાલિક આદિ સુત્રોનો નિર્દેશ ર્યો છે. જો ભાષ્યનો છ આવશ્યક સૂત્રો ગણધર પછીના પ્રાચાર્યોએ રચેલા છે એવો અર્થ સિદ્ધ થતો હોત તો ઉક્ત બંને ટીકાઓમાં સામાયિક આદિ સૂત્રોનો નિર્દેશ કરત. આથી છ આવશ્યક સૂત્રોના કર્તા ગણધર ભગવંતો જ છે. (છ આવશ્યક સૂત્રો ગણથરકત છે એ માટે વિશેષાવશ્યકગાથા ૯૪૮, ૧૧૧૯, ૨૦૮૪ તથા મલધારી શ્રી હેમચંદ્ર સૂરિકૃત ટીકાની પ્રારંભની અવતરલિકા જુઓ.)
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy