________________
અ૦૧ સૂ૦૨૦] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૩૯ (૪) પારિણામિકી– સમય જતાં અનુભવોથી પ્રાપ્ત થતી બુદ્ધિ. જેમ કે–વજસ્વામીની મતિ.
આ પ્રમાણે શ્રુતનિશ્ચિત મતિજ્ઞાનના ૩૩૬ ભેદ અને અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનના ૪ ભેદ એમ મતિજ્ઞાનના કુલ ૩૪૦ ભેદ થાય છે. (૧૯)
શ્રુતનું લક્ષણ અને ભેદોશ્રુતં પતિપૂર્વ ચિનેવાલમેલમ ૨-૨૦ .
શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે. તેના બે (અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ) ભેદ છે. તે બે ભેદના (અંગબાહ્યના) અનેક અને (અંગપ્રવિષ્ટના) બાર ભેદો છે.
શ્રુતજ્ઞાન મતિજ્ઞાન વિના થાય જ નહિ. કોઈ પણ વિષયનું શ્રુતજ્ઞાન મતિજ્ઞાન થયા પછી જ થાય. જેમ કે
(૧) પ્રથમ કણેન્દ્રિય દ્વારા શબ્દ સંભળાય છે. બાદ તે શબ્દ જે અર્થ માટે વપરાયો હોય તે અર્થનું પદાર્થનું જ્ઞાન થાય છે. અહીં પ્રથમ કન્દ્રિયથી શબ્દનું શ્રવણ થયું તે મતિજ્ઞાન થયું અને બાદ શબ્દશ્રવણ દ્વારા અર્થનો બોધ થયો તે શ્રુતજ્ઞાન થયું. જો પ્રથમ શબ્દશ્રવણરૂપ મતિજ્ઞાન ન થાય તો અર્થબોધરૂપ શ્રુતજ્ઞાન ન થાય.
(૨) પ્રથમ આંખથી સામે રહેલી વસ્તુ દેખાય છે. બાદ આ વસ્તુનું અમુક નામ છે, આ વસ્તુને અમુક શબ્દથી ઓળખવામાં આવે છે, એવું જ્ઞાન થાય છે. અહીં વસ્તુનું દર્શન થયું તે મતિજ્ઞાન અને ત્યાર બાદ વસ્તુવાચક શબ્દનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન.
(૩) મન દ્વારા પણ પ્રથમ મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન થાય છે. જેમ કે- કેરીનું સ્મરણ દ્વારા શ્રુતજ્ઞાન થાય છે ત્યારે પ્રથમ કેરીની સ્મૃતિ થવાથી આકૃતિ, રૂપ વગેરે આંખ સામે આવે છે. બાદ આ આકૃતિવાળો પદાર્થ કેરી છે એમ જ્ઞાન થાય છે. અહીં કેરીની આકૃતિ આંખ સામે આવી તે મતિજ્ઞાન અને આકૃતિવાળો પદાર્થ કેરી છે એવો બોધ તે શ્રુતજ્ઞાન.
પ્રશ્ન-મનથી=માનસિક ચિંતનથી થતા મતિ-શ્રુત જ્ઞાનમાં આ ચિંતન મતિજ્ઞાન છે અને આ ચિંતન શ્રુતજ્ઞાન છે એવો ભેદ શાના આધારે પડે છે?
ઉત્તર- શબ્દ, આતોપદેશ કે શ્રુતથી એ બેમાં ભેદ પડે છે. શબ્દ, આતોપદેશ કે શ્રુતથી રહિત માનસિક ચિંતન મતિજ્ઞાન છે. શબ્દ, આતોપદેશ