SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ૦ ૧ સૂ૦ ૧૯ ઉપકરણેન્દ્રિય અને વિષયના પરસ્પર સંબંધને સંયોગને વ્યંજન કહેવામાં આવે છે. ઉપકરણેન્દ્રિય અને વિષયનો પરસ્પર સંબંધ થતાં અત્યંત અવ્યક્ત જ્ઞાન થાય તે વ્યંજનાવગ્રહ. વ્યંજનાવગ્રહ થયા બાદ “કંઇક છે એમ સામાન્ય જ્ઞાનરૂપ અર્થાવગ્રહ થાય. શકોરાના દષ્ટાંતથી આ વિષય બરોબર સમજાશે. - અત્યંત તપેલા શકોરામાં પાણીનાં ટીપાં નાખતાં કોરું તેને ચૂસી લે છે. એથી તેમાં જરા ય પાણી દેખાતું નથી. લગાતાર થોડીવાર પાણીનાં ટીપાં નાખવામાં આવે તો થોડા સમય બાદ તેમાં જરા પાણી દેખાય છે. અહીં જ્યાં સુધી શકોસ પાણી ચૂસે છે ત્યાં સુધી તેમાં પાણી દેખાતું નથી, છતાં તેમાં પાણી નથી એમ ન કહી શકાય. પાણી હોય છે પણ અવ્યક્ત હોય છે. કોરું ભીનું થયા બાદ પાણી વ્યક્ત થાય છે. તેમ પ્રસ્તુતમાં વ્યંજનાવગ્રહમાં જ્ઞાન અવ્યક્ત હોય છે એ અર્થાવગ્રહમાં સામાન્યરૂપે વ્યક્ત હોય છે. યદ્યપિ અપાયની દષ્ટિએ અર્થાવગ્રહ પણ અવ્યક્ત જ્ઞાન છે. પણ વ્યંજનાવગ્રહની દૃષ્ટિએ અર્થાવગ્રહ વ્યક્તજ્ઞાન છે. વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની જરા પણ અભિવ્યક્તિ થતી નથી. અર્થાવગ્રહમાં કંઈક છે' એમ સામાન્ય જ્ઞાનની અભિવ્યક્તિ થાય છે. અહીં એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે–વ્યંજનાવગ્રહ થાય તો જ અર્થાવગ્રહ થાય એ નિયમ છે, પણ વ્યંજનાવગ્રહ થાય તો અર્થાવગ્રહ થાય જ એવો નિયમ નથી. આપણે જ્યારે વિચારમાં મશગૂલ હોઈએ ત્યારે કાને અનેક શબ્દો અથડાવા છતાં કર્મેન્દ્રિય અને શબ્દના સંયોગ રૂપ વ્યંજનાવગ્રહ થવા છતાં અર્થાવગ્રહ નથી થતો. એથી આપણને એ શબ્દોનો જરા પણ બોધ થતો નથી. (૧૮) ચક્ષુ અને મન વડે થતા મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહનો અભાવ વક્ષનક્રિયાખ્યામ્ II -૧૧ ચક્ષુ અને મન વડે થતા મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહનો અભાવ છે. અર્થાત્ ચહ્યું અને મન વડે થતા મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહ વિના સીધો જ અર્થાવગ્રહ થાય છે. કારણ કે તેમાં ઉપકરણેન્દ્રિય અને વિષયના સંબંધની=સંયોગની જરૂર નથી રહેતી. ચહ્યું અને મન સંયોગ વિના જ પોતાના વિષયનો બોધ કરી લે છે. જ્યારે સ્પર્શનેન્દ્રિય આદિ ચાર ઇન્દ્રિયો તેની સાથે
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy