________________
ર
શ્રીતત્ત્વાલિમમસૂત્ર
[મ૦ ૧ ૨૦ ૧૫
તે મતિજ્ઞાન ઈન્દ્રિયો અને અનિન્દ્રિયની (મનની) સહાયતાથી ઉત્પન્ન
થાય છે.
ત્વચા, રસના, નાક, આંખ અને કાન એ પાંચ ઇન્દ્રિયો છે. એ પાંચ ઇન્દ્રિયો દ્વારા અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દનું મતિજ્ઞાન થાય છે. અનિંદ્રિય એટલે મન. જ્યારે સ્પર્શ આદિ વિષયનું મતિજ્ઞાન થાય છે ત્યારે સર્વ પ્રથમ વિષયની વસ્તુની સાથે ઇન્દ્રિયનો સંબંધ થાય છે. બાદ તુરત ઇન્દ્રિયની સાથે જોડાયેલા જ્ઞાનતંતુઓ મનને ખબર આપે છે. મન માત્માને ખબર આપે છે. આથી આત્મામાં તે વિષયનું મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ મતિજ્ઞાન ઇન્દ્રિયો અને મનની સહાયથી ઉત્પન્ન થાય છે. (૧૪) મતિજ્ઞાનના ભેદો
અવદેપાયખાનાઃ ॥ ૧-૧ ॥
મતિજ્ઞાનના મવગ્રહ, ઇહા, અપાય અને ધારણા એમ મુખ્ય ચાર ભેદો છે. અવગ્રહ– ઇન્દ્રિય સાથે વિષયનો સંબંધ થતાં ‘કંઇક છે' એવો અવ્યક્ત બોધ થાય છે. આ અવ્યક્ત બોધને અવગ્રહ કહેવામાં આવે છે. ઇશ્વ— ‘કંઇક છે’ એવો બોધ થયા બાદ ‘તે શું છે ?’ એવી જિજ્ઞાસા થાય છે. ‘તે શું છે ?’ એવી જિજ્ઞાસાને સંતોષવા, અર્થાત્ ‘તે વસ્તુ શું છે ?’ એનો નિર્ણય કરવા માટે થતી વિચારણા તે ઇા.
અપાય વિચારણા થયા બાદ ‘આ અમુક વસ્તુ છે એવો જે નિર્ણય' તે અપાય.
ધારણા– નિર્ણય થયા બાદ તેનો ઉપયોગ ટકી રહે તે ધારણા. અવગ્રાદિ ક્રમશઃ પ્રવર્તે છે.
રસ્તામાં ચાલતાં કોઇ વસ્તુનો સ્પર્શ થતાં જ ‘અહીં કંઇક છે' એમ થાય છે. ત્યાર પછી ‘આ દોરડું છે કે સાપ છે’ એમ શંકા થવાથી તેનો નિર્ણય કરવાનો પ્રયત્ન થાય છે. પ્રયત્નથી ‘આ દોરડું હોવું જોઇએ' એમ અનિર્ણયાત્મક=સંભાવનાત્મક જ્ઞાન થાય છે. બાદ ‘આ દોરડું જ છે, સર્પ નથી' એમ નિર્ણયાત્મક જ્ઞાન થાય છે. અહીં પ્રથમ ‘કંઇક છે' એવું જે અવ્યક્ત જ્ઞાન થયું તે અવગ્રહ. ‘મા ોરડું હોવું જોઇએ' એવું જે સંભાવનારૂપ જ્ઞાન તે ઇહા. અને ‘આ દોરડું જ છે' એવું નિર્ણયાત્મક જ્ઞાન તે અપાય. આમ અવગ્રહ આદિ ક્રમશઃ પ્રવર્તવા હોવા છતાં,