________________
અ૦ ૧ સૂ૦ ૯]
જ્ઞાનના પ્રકારો–
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૯
મતિ-શ્રુતા-વધિ-મન:પર્યાય-વત્તાનિ જ્ઞાનમ્ ॥ -† ॥
મતિ, શ્રુત, અધિ, મન:પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાન છે. (૧) મતિજ્ઞાન– મન અને ઇન્દ્રિયોની સહાયથી થતો બોધ. (૨) શ્રુતજ્ઞાન– મન અને ઇન્દ્રિયોની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલોચનપૂર્વક થતો` બોધ. શબ્દો અને પુસ્તકો બોધરૂપ ભાવશ્રુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુત છે.
૩
મતિ-શ્રુતમાં ભેદ– (૧) મતિ અને શ્રુત એ બંને જ્ઞાન મન અને ઇન્દ્રિયોની સહાયથી થતાં હોવા છતાં શ્રુતમાં શબ્દ અને અર્થનું પર્યાલોચન હોય છે, જ્યારે મતિજ્ઞાનમાં તેનો અભાવ હોય છે. (૨) મતિજ્ઞાન વર્તમાન કાળના વિષયને ગ્રહણ કરે છે. જ્યારે શ્રુતજ્ઞાન ત્રણે કાળના વિષયને ગ્રહણ કરે છે. (૩) મતિજ્ઞાનની અપેક્ષાએ શ્રુતજ્ઞાન વિશુદ્ધ છે. આથી શ્રુતજ્ઞાન વડે દૂર રહેલા અને વ્યવહિત(=દીવાલ આદિના આંતરામાં રહેલા) અનેક સૂક્ષ્મ અર્થોનો બોધ થઇ શકે છે. (૪) શ્રુતજ્ઞાનમાં મન અને ઇન્દ્રિયોની સહાયતા ઉપરાંત આપ્તોપદેશની (=વિશ્વસનીય પુરુષના ઉપદેશની) પણ જરૂર પડે છે. (પ) શ્રુતજ્ઞાન મતિજ્ઞાન વિના ન જ થાય. જ્યારે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન વિના પણ હોઇ શકે. (પહેલા અધ્યાયના ૨૦મા તથા ૩૧મા સૂત્રના ભાષ્ય આદિના આધારે.)
(૩) અવધિજ્ઞાન– ઇન્દ્રિય અને મનની અપેક્ષા વિના આત્મશક્તિથી થતો રૂપી દ્રવ્યોનો બોધ. અવધિ=મર્યાદા. રૂપી અને અરૂપી એમ બે પ્રકારનાં દ્રવ્યો છે. તેમાં માત્ર રૂપી દ્રવ્યોને જોઇ શકાય એવી અવધિવાળું=મર્યાદાવાળું જ્ઞાન તે અવધિજ્ઞાન.
(૪) મન:પર્યાય જ્ઞાન– અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞિ પંચેન્દ્રિય જીવોના મનમાં વિચારોનો=પર્યાયોનો બોધ.
(૫) કેવળજ્ઞાન— ત્રણે કાળનાં સર્વ દ્રવ્યો તથા સર્વ પર્યાયોનું જ્ઞાન. કેવળ એટલે ભેદ રહિત. જેમ મતિજ્ઞાન આદિના ભેદો છે તેમ કેવળજ્ઞાનના
૧. વિશેષા૦ ભા૦ ગા.-૧૦૦ અને ૧૪૪.
૨. વિશેષા૦ ભા૦ ગા.-૧૨૪.