________________
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [૦ ૧ સૂ૦૮ સૂચિ-પ્રતર-ઘનનું સંક્ષિપ્ત સ્વરૂપ
સૂચિ એટલે એક પ્રદેશ જાડી-પહોળી અને સાત રાજ લાંબી શ્રેણિ. જેમ કે અસત્કલ્પનાથી ત્રણ પ્રદેશની એક શ્રેણિ કરવામાં આવે તો 900 આવી સૂચિ થાય.
સૂચિને સૂચિથી ગણવાથી પ્રતર થાય. અસત્કલ્પનાથી ત્રણ પ્રદેશવાળી સૂચિને ત્રણથી ગુણવાથી સમાન લંબાઇ-પહોળાઈવાળા નવ પ્રદેશ થાય. તેની સ્થાપના આ પ્રમાણે છે– ૦ ૦ ૦
૦ ૦ ૦
૦ ૦ ૦ પ્રતરને સૂચિથી ગુણવાથી ઘન થાય. અસત્કલ્પનાથી નવ પ્રદેશવાળા પ્રતરને ત્રણ પ્રદેશવાળી સૂચિથી ગુણવાથી સમાન લંબાઈ-પહોળાઈ-જાડાઈવાળા ૨૭ પ્રદેશ થાય. અર્થાત્ ઉપરા ઉપરી ત્રણ પ્રતર મૂકવાથી ઘન થાય.
ક્ષેત્ર-સ્પર્શનામાં તફાવત– ક્ષેત્રની વિચારણા કેવળ વર્તમાન કાળને આશ્રયીને કરવામાં આવે છે. જયારે સ્પર્શનાની વિચારણા ત્રણે કાળને આશ્રયીને કરવામાં આવે છે. ક્ષેત્ર અને સ્પર્શનામાં ભેદ કાળની અપેક્ષાએ જ છે.
(૫) કાલ- સમ્યગ્દર્શનનો કાળ એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક ૬૬ સાગરોપમ છે. અનેક જીવોની અપેક્ષાએ સર્વ કાળ છે. અર્થાત્ સમ્યગ્દર્શન સદા વિદ્યમાન હોય છે.
(૬) અંતર- એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંતર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલ પરાવર્ત સુધી સમ્યગ્દર્શનનો વિરહ(=અંતર) પડે છે. અનેક જીવોને આશ્રયીને સમ્યગ્દર્શનનું અંતર પડતું જ નથી.
(૭) ભાવ- લાયિક સમ્યકત્વ ક્ષાયિક ભાવે, લાયોપથમિક સમ્યકત્વ લાયોપથમિક ભાવે અને ઔપશમિક સમ્યકત્વ ઔપથમિક ભાવે હોય છે.
(૮) અલ્પબદુત્વ– ઔપશમિક સમ્યગ્દર્શનવાળા જીવો સર્વથી અલ્પ હોય છે. તેમનાથી લાયોપથમિક સમ્યગ્દર્શનવાળા જીવો અસંખ્યાતગુણા હોય છે. તેમનાથી લાયિક સમ્યગ્દર્શનવાળા જીવો અનંતગુણા હોય છે. કારણ કે સિદ્ધના જીવોને ક્ષાયિક સમ્યગ્દર્શન હોય છે, અને તે જીવો અનંત છે. ()