________________
૨૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અo ૧ સૂ૦ ૬ સ્વરૂપ વિચારી શકાય છે. દરેક વસ્તુ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર સ્વરૂપે અવશ્ય હોય છે.
નામનિક્ષેપ– વસ્તુનું નામ તે નામનિક્ષેપ. જો વસ્તુનું નામ ન હોય તો વ્યવહાર જ ન ચાલે. જેમ વસ્તુને સાક્ષાત્ જોવાથી તે વસ્તુની ઇચ્છા કે વસ્તુ ઉપર પ્રેમ યા ઢેષ થાય છે, તેમ વસ્તુનું નામ સાંભળવાથી પણ ઈચ્છા કે પ્રેમ યા વેષ પ્રગટ થાય છે.
સ્થાપનાનિક્ષેપ- સ્થાપના એટલે આકૃતિ-પ્રતિબિંબ. વસ્તુની સ્થાપના=આકૃતિ (પ્રતિબિંબ) જેવાથી પણ ઇચ્છા કે પ્રેમ યા દ્વેષ પ્રગટે છે. આથી નામ અને સ્થાપના વસ્તુ સ્વરૂપ છે. ઘટનું નામ નામઘટ છે. ઘટની આકૃતિ સ્થાપના ઘટ છે.
દ્રવ્યનિક્ષેપ- વસ્તુની ભૂતકાળની કે ભવિષ્યકાળની અવસ્થા. જેમ કે ઘટની ભૂતકાળની અવસ્થા મૃત્પિડ છે, અને ભવિષ્યકાળની અવસ્થા ઠીકરાં છે. આથી મૃતિંડ અને ઠીકરાં દ્રવ્યઘટ છે. મૃત્પિડ અને ઠીકરાં ઘડાનું જ સ્વરૂપ છે.
ભાવનિક્ષેપ-વસ્તુની વર્તમાન અવસ્થા. તૈયાર થયેલ ઘટ ભાવઘટ છે.
દ્રવ્ય અને ભાવ એ બે નિપા સાપેક્ષ છે. એટલે કે એક જ વસ્તુનો અપેક્ષાએ દ્રવ્યનિલેપમાં અને અપેક્ષાએ ભાવનિક્ષેપમાં સમાવેશ થાય છે. જેમ કે–દહીં શીખંડની અપેક્ષાએ દ્રવ્યશીખંડ છે, દૂધની અપેક્ષાએ દ્રવ્ય દૂધ છે, દહીંની અપેક્ષાએ ભાવદહીં છે. ઘટ ઠીકરાંઓની અપેક્ષાએ દ્રવ્યઠીકરાં છે, મૃત્પિડની અપેક્ષાએ દ્રવ્યમૃત્પિડ છે, ઘટની અપેક્ષાએ ભાવઘટ છે.
અહીં એટલું અવશ્ય ખ્યાલ રાખવા જેવું છે કે-જે વસ્તુ ભાવનિક્ષેપ પૂજ્ય કે ત્યાજય છે, તે વસ્તુના અન્ય ત્રણ નિક્ષેપ પણ પૂજય કે ત્યાજ્ય છે. (૫)
તત્ત્વોને જાણવાનાં સાધનોvમાનીધામઃ | -૬ .. પ્રમાણ અને નયોથી તત્વોનો અધિગમ બોધ થાય છે.
પ્રમાણો અને નય એ બંને જ્ઞાનસ્વરૂપ છે. જેનાથી વસ્તુનો નિર્ણયાત્મક બોધ થાય તે જ્ઞાન. કોઈપણ વસ્તુનો નિર્ણયાત્મક બોધ પ્રમાણ અને નય દ્વારા થાય છે. આથી પ્રમાણ અને નય જ્ઞાનસ્વરૂપ જ છે. પ્રમાણ અને નય બંને જ્ઞાનસ્વરૂપ હોવા છતાં એ બંનેમાં ભેદ છે. જેનાથી વસ્તુના નિત્ય-અનિત્ય