________________
૧૨
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૧ સૂ૦ ૩
તે જીવમાં અવશ્ય સમ્યગ્દર્શન હોય છે. શમ=શાંતિ, ક્રોધનો નિગ્રહ. સંવેગમોક્ષ પ્રત્યે રાગ. નિર્વેદ=સંસાર પ્રત્યે ઉદ્વેગ. અનુકંપા=કોઇ જાતના સ્વાર્થ વિના દુઃખી જીવો પ્રત્યે કરુણાભાવ. આસ્તિક્ય=‘વીતરાગદેવે જે કહ્યું છે તે જ સત્ય છે' એવી અટલ શ્રદ્ધા.
પ્રશ્ન– પ્રશમાદિ પાંચ લિંગોની પ્રાપ્તિમાં કોઇ ક્રમ છે કે ગમે તે ક્રમથી તેની પ્રાપ્તિ થાય છે ?
ઉત્તર- પશ્ચાનુપૂર્વીથી તેમની પ્રાપ્તિ થાય છે. પહેલાં આસ્તિક્યની પ્રાપ્તિ થાય પછી ક્રમશઃ અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન– જો પશ્ચાત્તુપૂર્વિથી પ્રશમાદિની પ્રાપ્તિ થાય છે તો મિથ્યાદષ્ટિ જીવોમાં આસ્તિક્ય ન હોવા છતાં પ્રશમ વગેરે કેમ હોય છે ?
ઉત્તર– અહીં પ્રશમ વગેરે ગુણો જિનવચનાનુસારી વિવક્ષિત છે. જિનવચનને નહિ અનુસરનારા પ્રશમાદિ ગુણો પરમાર્થથી ગુણો જ નથી. કારણ કે જે વસ્તુનું જે કાર્ય હોય તે વસ્તુથી તે કાર્ય ન થાય તો તે વસ્તુ પરમાર્થથી નથી જ એમ મનાય છે. (આની વિશેષ સમજ માટે આ જ પુસ્તકમાં આધ્યાત્મિક વિકાસ ક્રમમાં ચોથા ગુણસ્થાનના વર્ણનમાં જુઓ.) આથી જ મિથ્યાર્દષ્ટિમાં પ્રશમાદિગુણો હોવા છતાં સમ્યક્ત્વ છે એમ ન મનાય.'
પ્રશ્ન— જો પશ્ચાનુપૂર્વાથી પ્રશમાદિગુણોની પ્રાપ્તિ થાય છે તો અહીં તથા બીજા ગ્રંથોમાં પણ પ્રશમાદિ ગુણોનો આસ્તિક્યાદિ ક્રમથી નિર્દેશ ન કરતાં પ્રશમાદિક્રમથી નિર્દેશ કેમ કરવામાં આવે છે ?
ઉત્તર– પ્રધાનતાની અપેક્ષાએ પ્રશમાદિ ક્રમથી નિર્દેશ કરવામાં આવે છે. આસ્તિક્યથી અનુકંપા પ્રધાન છે, અનુકંપાથી નિર્વેદ પ્રધાન છે, એમ ક્રમશઃ ઉત્તરોત્તર ગુણ પ્રધાન છે. (૨) સમ્યગ્દર્શનની ઉત્પત્તિના પ્રકારો–
ર
તન્નિસશાંધિામાય્ વા ॥ -રૂ ॥
નિસર્ગ અથવા અધિગમ એ બે હેતુથી સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય છે. નિસર્ગ=બાહ્ય નિમિત્ત વિના સ્વાભાવિક.
૧. શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ભાષ્યટીકા. ૨. શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ભાષ્યટીકા.