________________
४४४
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર (અ) ૧૦ સૂ૦ ૩-૪ અને બંધાયેલ કર્મરૂપ રોગને દૂર કરવા નિર્જરારૂપ ઔષધનું સેવન અનિવાર્ય છે. સંવર અને નિર્જરાથી પ્રથમ ચાર કર્મોનો ક્ષય થાય છે, બાદ અન્ય ચાર કર્મોનો ક્ષય થાય છે. (૨) મોક્ષની વ્યાખ્યા
શર્મક્ષયો મોક્ષ: મે ૨૦-૩ + સર્વ કર્મોનો ક્ષય એ મોક્ષ છે.
મોક્ષ થતાં જન્મ-મરણ આદિ દુઃખોનો વિચ્છેદ થાય છે. જેમ બીજ બળી જવાથી તેમાંથી અંકુરની ઉત્પત્તિ થતી નથી, તેમ કર્મરૂપ બીજ બળી જવાથી જન્માદિરૂપ અંકુરની ઉત્પત્તિ થતી નથી. (૩)
પાંચ પ્રકારના ભાવોમાંથી કયા ભાવોનો અભાવ થતાં મોક્ષ થાય તેનો નિર્દેશ.
औपशमिकादि-भव्यत्वाभावाच्चान्यत्र વનસર્વિ -જ્ઞાન-વ-સિદ્ધચ્ચઃ મે ૨૦-8 કેવળ (ક્ષાયિક) સમ્યકત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન અને સિદ્ધત્વ વિના ઔપશમિક આદિ ભાવોના તથા ભવ્યત્વના અભાવથી મોક્ષ થાય છે.
સર્વ કર્મોના ક્ષયથી મોક્ષ થતો હોવાથી સર્વ કર્મોનો અભાવ મોક્ષનું કારણ છે. સર્વ કર્મોનો ક્ષય થતાં જીવના ઔપશમિક વગેરે ભાવોનો પણ અભાવ થાય છે. આથી ઔપશમિકાદિ ભાવોનો અભાવ પણ મોક્ષમાં કારણ છે. સઘળાં કર્મોનો ક્ષય થતાં ઔપશમિક, ક્ષાયોપથમિક, ઔદયિક એ ત્રણ ભાવોનો સર્વથા અભાવ થાય છે. કારણ કે એ ત્રણ ભાવો કર્મજન્ય છે. પારિણામિક ભાવમાં ભવ્યત્વનો અભાવ થાય છે, પણ અન્ય જીવવાદિ રહે છે. ક્ષાયિકભાવનો અભાવ થતો નથી. કારણ કે સમ્યકત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન, સિદ્ધત્વ વગેરે ક્ષાયિક ભાવો રહે છે. સૂત્રમાં ભવ્યત્વ શબ્દનો ઉલ્લેખ કર્યા વિના આદિ શબ્દથી ભવ્યત્વરૂપ પારિણામિક ભાવનો નિર્દેશ કરી શકાતો હોવા છતાં, પરિણામિક ભાવમાં કેવળ ભવ્યત્વભાવની નિવૃત્તિ થાય છે, શેષ જીવવાદિ ભાવોની નિવૃત્તિ થતી નથી, એમ જણાવવા સૂત્રમાં ભવ્યત્વ શબ્દનો અલગ ઉલ્લેખ કર્યો છે. (૪). ૧. પાંચ ભાવોનું સ્વરૂપ બીજા અધ્યાયના પ્રારંભમાં આવી ગયું છે.