SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ અo ૯ સૂ૦ ૪૮] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર ૪૩૭ (૭) ઉપશાંતમોહ– જેણે મોહની સર્વ (૨૮) પ્રકૃતિઓનો ઉપશમ કરી દીધો છે તે. (૮) મોહલપક– મોહની પ્રકૃતિઓનો (વર્તમાનમાં) ક્ષય કરનાર. (૯) ક્ષીણમોહ– જેણે મોહની સઘળી પ્રકૃતિઓનો ક્ષય કરી નાંખ્યો છે તે. (૧૦) જિન-જેમણે ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી દીધો છે તે કેવલી. (૪૭) ચારિત્રની તરતમતાની દૃષ્ટિએ નિગ્રંથના ભેદોપુના-વળ-શનિ- નિચ-નાતા નિસ્થા: . ૧-૪૮ . પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ, સ્નાતક-એ પાંચ પ્રકારના નિગ્રંથો-સાધુઓ છે. (૧) પુલાક– પુલાક એટલે નિઃસાર. ગર્ભથી=સારથી રહિત ફોતરાં કે છાલ જેમ નિઃસાર હોય છે તેમ, જે સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં અતિચારો લગાડવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રના સારથી રહિત બને છે તે પુલાક. પુલાકના બે ભેદ છે–(૧) લબ્ધિપુલાક, (૨) સેવાપુલાક. લબ્ધિપુલાક અનેક પ્રકારની લબ્ધિઓને ધારણ કરે છે. તે ધારે તો લબ્ધિથી ચક્રવર્તીને અને તેના સઘળા સૈન્યને ચૂર્ણ કરી શકે છે. તે તપ અને શ્રતના પ્રભાવથી ઉત્પન્ન થયેલી લબ્ધિઓનો નિષ્કારણ પોતાની મહત્તા બતાવવા તથા પોતાની ખ્યાતિ વધારવા ઉપયોગ કરવાથી સંયમના સારથી રહિત બને છે. તેનામાં શ્રદ્ધા પૂર્ણ હોય છે. ચારિત્રના પરિણામ પણ હોય છે છતાં પ્રમાદવશ બની લબ્ધિઓનો ઉપયોગ કરી આત્માને ચારિત્રના સારથી રહિત કરે છે. સેવાપુલાકના પાંચ ભેદ છે. જ્ઞાનપુલાક, દર્શન પુલાક, ચારિત્રપુલાક, લિંગપુલાક અને સૂક્ષ્મપુલાક. (૧) જ્ઞાનપુલાક- કાલે ન ભણે, અવિનયથી ભણે, વિદ્યાગુરુનું બહુમાન ન કરે, યોગોદહન કર્યા વિના ભણે, સૂત્રનો ઉચ્ચાર અને અર્થ અશુદ્ધ કરે ઈત્યાદિ જ્ઞાનના અતિચારો લગાડે. (૨) દર્શનપુલાક- શંકા આદિથી દર્શનગુણમાં અતિચારો લગાડે. (૩) ચારિત્રપુલાક- (પાંચ મહાવ્રતોરૂપ) મૂલગુણોમાં અને (પિડ વિશુદ્ધિ આદિરૂપ) ઉત્તરગુણોમાં અતિચારો લગાડે. (૪) લિંગપુલાક– નિષ્કારણ
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy