________________
અo ૫ સૂ૦ ૧૭] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૧૯૫ ધમસ્તિકાય અને અધર્માસ્તિકાયની સહાયતા લેવી પડે છે. ધર્માસ્તિકાય વિના ગતિ ન થઈ શકે અને અધમસ્તિકાય વિના સ્થિતિ ન થઈ શકે.
પ્રશ્ન- જીવ અને પુલની ગતિ અને સ્થિતિ કેવળ સ્વશક્તિથી થાય છે. તેમાં અન્ય કોઈ કારણ માનવાની જરૂર નથી. આથી જ તૈયાયિક, વૈશેષિક વગેરે દર્શનકારો આ બે દ્રવ્યોને માનતા નથી.
ઉત્તર- જો જીવ અને પુગલની ગતિ-સ્થિતિ કેવળ સ્વશક્તિથી જ થતી હોય તો અલોકાકાશમાં તેમની ગતિ-સ્થિતિ કેમ થતી નથી? લોકાકાશમાં જ કેમ થાય છે? માટે ગતિ-સ્થિતિમાં સ્વશક્તિ સિવાય અન્ય કોઈ નિમિત્તકારણ હોવું જ જોઈએ. બીજું, સ્વશક્તિ એ અંતરંગ કારણ છે. કેવળ અંતરંગ કારણથી કાર્ય ન થાય. અંતરંગ અને બાહ્ય એ બંને કારણો મળે તો જ કાર્ય થાય. જેમ પક્ષીમાં ઊડવાની શક્તિ છે, પણ પાંખો કે હવા ન હોય તો તે ઊડી ન શકે, તેમ જીવ અને પુદ્ગલમાં ગતિ-સ્થિતિ કરવાની શક્તિ હોવા છતાં જો બાહ્ય કારણ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય ન હોય તો ગતિ-સ્થિતિ થઈ શકતી નથી. આથી જીવ અને પદૂગલની ગતિના કારણ તરીકે ધમસ્તિકાયની અને સ્થિતિના કારણ તરીકે અધમસ્તિકાયની સિદ્ધિ થાય છે.
પ્રશ્ન- જીવ અને પુદ્ગલની ગતિ અને સ્થિતિના બાહ્ય કારણ તરીકે આકાશને માનવાથી ગતિ અને સ્થિતિ થઈ શકે છે. જેમ પાણી માછલીનો આધાર હોવા ઉપરાંત ગતિ-સ્થિતિમાં પણ કારણ બને છે, તેમ આકાશને જ જીવ-પદૂગલના આધાર રૂપે અને ગતિ-સ્થિતિના કારણ તરીકે માનવાથી ઈષ્ટની સિદ્ધિ થઈ જાય છે. આથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને માનવાની જરૂર નથી.
ઉત્તર- જો આકાશ ગતિ-સ્થિતિમાં કારણ હોય તો અલોકાકાશમાં ગતિ-સ્થિતિ કેમ થતી નથી? અલોકાકાશ પણ આકાશ છે. અલોકાકાશમાં જીવ-પુગલની ગતિ-સ્થિતિ ન હોવાથી આકાશ સિવાય અન્ય કોઈ એવું દ્રવ્ય હોવું જોઈએ કે જે દ્રવ્ય જીવ-પુદ્ગલની ગતિ-સ્થિતિમાં કારણ હોય. તથા જે ગતિમાં કારણ હોય તે સ્થિતિમાં કારણ ન બની શકે. જે સ્થિતિમાં કારણ હોય તે ગતિમાં કારણ ન બની શકે. આથી ગતિ અને સ્થિતિનાં જુદા જુદા કારણ રૂપે બે દ્રવ્યો હોવાં જ જોઈએ. આ બે દ્રવ્યો તે ધર્માસ્તિકાય અને