________________
૨૦ ૪ સૂ૦ ૨૨]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૭૧
ચાર દિશાઓમાં પંક્તિબદ્ધ આવેલા વિમાનો શ્રેણિગત છે. છવાયેલા પુષ્પની જેમ છૂટા છૂટા રહેલા વિમાનો પુષ્પ પ્રકીર્ણક કહેવાય છે. શ્રેણિગત વિમાનો ત્રિકોણ, ચતુષ્કોણ અને વાટલાકાર એમ ત્રણ પ્રકારનાં છે. તથા પ્રથમ ત્રિકોણ, બાદ ચતુષ્કોણ, બાદ વાટલાકાર, બાદ ત્રિકોણ... એમ ક્રમશ આવેલાં છે. આ વિમાનો ઇન્દ્રક વિમાનથી ચારે દિશામાં લાઇનબંધ આવેલા છે. પુષ્પપ્રકીર્ણક વિમાનો નંદાવર્ત, સ્વસ્તિક વગેરે વિવિધ આકારવાળા છે તથા શ્રેણિગત વિમાનોના આંતરામાં આવેલાં છે. પૂર્વ દિશા સિવાય ત્રણે દિશામાં આ વિમાનો હોય છે. તે તે દેવલોકનાં વિમાનોની સંખ્યા ‘સકલતીર્થ’ સૂત્રમાં બતાવવામાં આવી છે. તેની કુલ સંખ્યા ૮૪૯૭૦૨૩ છે. (ઇન્દ્રક, શ્રેણિગત અને પુષ્પપ્રકીર્ણક વિમાનોની જાણકારી માટે ચિત્ર જુઓ.) વૈમાનિકનિકાયમાં આવલિકાગત તથા પુષ્પાવકીર્ણ વિમાન વ્યવસ્થા—
ઉત્તર
g
પશ્ચિમ
©«© >EO >
દક્ષિણ