________________
અ૦૩ સૂ૦ ૯] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૧૩૭ આ ગવાક્ષમાં અનેક વ્યંતર દેવ-દેવીઓ વિવિધ ક્રીડા કરે છે, ફરે છે, બેસે છે, સુવે છે અને ઊભા રહીને લવણ સમુદ્રની લીલા દેખતા આનંદ પામે છે.
મેરુ પર્વતની ત્રણે લોકમાં સ્પર્શના– મેરુ પર્વત ત્રણે લોકમાં આવેલો છે. તે આ પ્રમાણે–મે ૧ લાખ યોજન ઊંચો છે. તેમાં ૧૦૦ યોજન અધોલોકમાં, ૧૮૦૮યોજન તિચ્છલોકમાં અને ૯૮૧૦૦યોજન ઊર્ધ્વલોકમાં છે. સમભૂલા પૃથ્વીથી ૯૦૦ યોજના નીચે અને ૯00 યોજન ઉપર એમ ૧૮૦૦યોજન તિચ્છલોક છે, મેરુ સમભૂલા પૃથ્વીથી ૧000 યોજન નીચે જમીનમાં હોવાથી અધોલોકમાં 100 યોજન થાય. નીચેના બાકીના ૯૦૦ યોજન તિચ્છલોકમાં ગણાય. ઉપરના ૯૦૦ યોજન ઉમેરતાં ૧૮૦૦ યોજન તિષ્ણુલોકમાં થાય. ઉપરના બાકીના ૯૮૧૦૦ યોજન ઊર્ધ્વલોકમાં થાય.
મેરુના ત્રણ કાંડ- મેના ત્રણ કાંડ (=વિભાગ છે. તેમાં નીચેનો પહેલો કાંડ ૧૦૦૦ યોજનાનો છે. તે શુદ્ધ માટી, પથ્થર, વજ અને રેતીનો બનેલો છે. ત્યારબાદ ૬૩000 યોજનનો બીજો કાંડ છે. તે રૂપું, સુવર્ણ, સ્ફટિકરત્ન અને અંતરત્નનો બનેલો છે. ત્યારબાદ ૩૬૦૦૦ યોજનાનો ત્રીજો કાંડ છે. તે સુવર્ણનો બનેલો છે.
મેરુની પહોળાઈ– મૂળમાં (તદ્દન નીચે જમીનમાં) ૧૦૦૦૦/() યોજન પહોળાઈ છે. પછી ક્રમશઃ ઠેઠ ઉપર સુધી દર ૧૧ યોજને ૧ યોજન પહોળાઈ ઘટતી હોવાથી જમીનના તળ (=સમભૂતલા પૃથ્વી) ઉપર ૧૦000 યોજન અને ઠેઠ ઉપર ૧૦00 યોજન પહોળાઈ છે.
ચૂલા- ત્રીજા કાંડની ઉપર બરાબર વચમાં વૈડૂર્ય રત્નમય ચૂલિકા છે. તે ૪૦ યોજન ઊંચી છે. તે મૂળમાં ૧૨ યોજન પહોળી અને છેક ઉપર ૪ યોજન પહોળી છે. તેના અગ્રભાગે શાશ્વત જિન મંદિર છે.
ચાર વન– સમભૂતલા પૃથ્વી ઉપર મેરુની ચારે બાજુ ભદ્રશાલ નામનું વન છે. ત્યાંથી ૫00 યોજન ઉપર જતાં ચારે બાજુ નંદનવન છે. ત્યાંથી ૬૨૫00 યોજન ઉપર જતાં ચોતરફ સૌમનસ વન છે. ત્યાંથી ૩૬૦૦૦ યોજન ઉપર જતાં ચોતરફ પાંડુક વન છે. તેમાં ચારે દિશાઓમાં એક એક શિલા છે. પૂર્વ-પશ્ચિમની શિલા ઉપર બે બે સિંહાસનો છે. ઉત્તર-દક્ષિણની શિલા ઉપર એક એક સિંહાસન છે. શિલાઓ ઉપર રહેલા સિંહાસન ઉપર જિનેશ્વર ભગવંતોનો જન્માભિષેક થાય છે. (૯)