________________
૧૨૦
શીતજ્વાધિગમસૂત્ર મિ૦ ૩ સૂ૦૧ પ્રત્યેક પૃથ્વી ઘનાંબુ, ઘનવાત, તનુવાત અને આકાશને આધારે રહેલી છે. ઘનાંબુ એટલે ઘન પાણી. ઘનવાત એટલે ઘનવાયુ. તનુવાત એટલે પાતળો વાયું. ધનાંબુને ઘનોદધિ પણ કહેવામાં આવે છે. સર્વપ્રથમ આકાશ છે. બાદ આકાશના આધારે તનુવાત રહેલ છે. બાદ તનુવાતના આધારે ઘનવાત રહેલ છે. બાદ ઘનવાતના આધારે ઘનાંબુ=ઘનોદધિ રહેલ છે. બાદ ઘનોદધિના આધારે તમતમપ્રભા પૃથ્વી રહેલી છે. બાદ પુનઃ ક્રમશઃ આકાશ, તનુવાત, ઘનવાત, ઘનોદધિ અને તમપ્રભા પૃથ્વી છે. એ પ્રમાણે સાતમી પૃથ્વી સુધી આ જ ક્રમ છે. આ વિચારણા નીચેથી ઉપરની અપેક્ષાએ છે. પણ જો ઉપરથી નીચેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો, સર્વપ્રથમ રત્નપ્રભા પૃથ્વી છે. બાદ ઘનોદધિ છે. બાદ ઘનવાત છે. બાદ તનુવાત છે. અંતે આકાશ છે. ત્યાર પછી પુનઃ શર્કરામભા પૃથ્વી, ઘનોદધિ, ધનવાત, તનુવાત અને આકાશ છે. એ પ્રમાણે સાતમી પૃથ્વી સુધી આ જ ક્રમ છે. સર્વત્ર આકાશનો કોઈ આધાર નથી. કારણ કે આકાશ પ્રતિતિ છે અને અન્યને માધાર રૂપ પણ છે.
ઘનોદધિ વગેરે વલયના=બંગડીના આકારે આવેલા હોવાથી તેમને વલય કહેવામાં આવે છે. ઘનોદધિ વલય, ઘનવાત વલય અને તનુવાત વલય.
આપણે રત્નપ્રભા પૃથ્વી ઉપર છીએ. રત્નપ્રભા પૃથ્વીમાં મનુષ્યો, તિર્યંચો, ભવનપતિ-વ્યંતરદેવો તથા નારકો એમ ચારેય પ્રકારના જીવો છે."
રત્નપ્રભા વગેરેની જાડાઈ અને પહોળાઈ નીચે મુજબ છે.
પૃથ્વી | પૃથ્વીની જાડાઈ | પૃથ્વીની 'ખતરો | નરકાવાસો રત્નપ્રભા | ૧૮૦૦૦૦ યોજન | એક રજુ | ૧૩ | ૩૦ લાખ શર્કરપ્રભા ! ૧૩૨૦00 યોજન | અઢી રજુ | ૧૧ | ૨૫ લાખ | વાલુકપ્રભા | ૧૨૮૦૦૦ યોજન | ચાર રજુ | ૯ | ૧૫ લાખ પંકપ્રભા | ૧૨૦000 યોજન | પાંચ રજુ
૧૦ લાખ ધૂમપ્રભા ૧૧૮૦૦0 યોજન છિ રજુ
૩ લાખ | તમપ્રભા | ૧૧૬૦૦૦ યોજન | સાડા છ રજુ| ૩ | ૯૯,૯૯૫ | તમતમપ્રભા ૧૦૮૦00 યોજન | સાત રજુ | ૧ | ૫ ૧. દેવો વગેરેનો રત્નપ્રભાના કયા ભાગમાં વાસ છે તે માટે ચોથા અધ્યાયના પહેલા સૂત્રના વિવેચનમાં જુઓ.