SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતત્ત્વાધિગમસૂત્ર બિ૦ ૨ સૂ૦૧ કોઈ ગુણો ઉપશમથી પ્રગટ થાય છે, તો કોઈ ક્ષયથી પ્રગટ થાય છે... યાવત કોઈ ગુણો પરિણામથી રહેલા છે. આથી કારણોની દષ્ટિએ સઘળા ગુણોનો આ પાંચ ગુણોમાં સમાવેશ થઈ જાય છે. (૧) ઔપથમિક ભાવ- ઉપશમ એટલે આત્મામાં કર્મો વિદ્યમાન હોવા છતાં થોડા સમય માટે તેમના ઉદયનો સર્વથા અભાવ. ક્યારેક જીવમાં શુભ અધ્યવસાય થવાથી મોહનીય કર્મનો ઉદય થોડા કાળ (અંતર્મુહૂર્ત) સુધી અગિત થઈ જાય છે. જેમ ક્તકચૂર્ણ નાખવાથી કચરો નીચે શમી જતાં જલ નિર્મળ દેખાય છે, તેમ કમનો ઉપશમ થવાથી આત્મા નિર્મળ બને છે. અહીં કચરાવાળા નિર્મળ પાણીનું દષ્ટાંત બરોબર સમજવા જેવું છે. કચરાવાળા નિર્મળ પાણીમાં કચરાનો સર્વથા અભાવ નથી થતો, કિન્તુ કચરો નીચે બેસી ગયો છે. એથી પાણી નિર્મળ દેખાય છે. પણ પાણીને હલાવવાથી પુનઃ પાણી ડહોળું બની જાય છે. એ પ્રમાણે કર્મોના ઉપશમમાં કર્મોનો સર્વથા અભાવ નથી થતો, કિન્તુ થોડા સમય માટે તેનો ઉદય સ્થગિત થઈ જાય છે. આથી થોડા સમય બાદ પુનઃ કર્મોનો ઉદય શરૂ થવાથી તે નિર્મળતા રહેતી નથી. કર્મોના ઉપશમથી આત્મામાં પ્રગટ થતા ભાવો ઔપથમિક કહેવાય છે. (૨) ક્ષાયિકભાવ- કર્મોનો ક્ષયથી પ્રગટ થતા ભાવો સાયિક કહેવાય છે. ક્ષય એટલે કર્મોનો સર્વથા નાશ. જેમ જળમાંથી કચરો નીકળી જતાં જળ નિર્મળ બને છે, તેમ આત્મામાં રહેલાં કર્મોનો સર્વથા ક્ષય થતાં આત્મા નિર્મળ બને છે. કર્મોના ક્ષયથી પ્રગટ થતી નિર્મળતા સદા રહે છે. કર્મોના ઉપશમથી પ્રગટ થતી નિર્મળતા વિનશ્વર છે, જ્યારે ક્ષયથી પ્રગટ થતી નિર્મળતા અનંત છે. આ જ ઉપશમમાં અને ક્ષયમાં ભેદ છે. (૩) મિશ્રભાવ- ઉપશમ અને ક્ષય એ બેના મિશ્રણથી ઉત્પન્ન થતા ભાવો મિશ્ર=સાયોપથમિક કહેવાય છે. ક્ષયોપશમ એટલે અમુક ભાગના કર્મોનો ઉપશમ અને અમુક ભાગના કર્મોનો ક્ષય, અર્થાત્ સર્વથા રસના અભાવ રૂ૫ અથવા અધિક રસવાળા કર્મ પ્રદેશોના (સર્વધાતી સ્પર્ધકોના) ઉદયનો અભાવ રૂ૫ ઉપશમ અને રસ રહિત પ્રદેશોના અથવા અલ્પ રસવાળા પ્રદેશોના (દશઘાતી સ્પર્ધકોના) ઉદય દ્વારા ક્ષય તે ક્ષયોપશમ. ક્ષયોપશમથી જે ભાવો પ્રગટ થાય તે સાયોપથમિક કહેવાય છે. જેમ કોદ્રવને પાણીથી
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy