SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૯મુ-સમુદ્દાત જીવને સમુદ્દાત ૭ પ્રકારના છે. ૧) વેદના, ૨) કષાય, ૩) મરણ, ૪) વૈક્રિય, ૫) તૈજસ, ૬) આહારક, ૭) કેવલી. કેવલી સમુદ્ઘાતનો કાળ ૮ સમયનો છે. બાકીના સમુદ્ઘાતનો કાળ અંતર્મુહૂર્ત છે. (૧) વેદના સમુદ્ઘાત ઃ- વેદનાથી અત્યંત વ્યાકુળ થયેલો આત્મા શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢે છે અને શરીરની જાડાઈ, પહોળાઈ, ઉંચાઈવાળો સમાન દંડ કરે છે. આ વખતે ઘણા અશાતાવેદનીય કર્મ ખપાવે છે. આ વખતે જો અશુભ ધ્યાનમાં હોય તો નવા અશાતાવેદનીય કર્મ પણ ઘણા બાંધે છે. (૨) કષાય સમુદ્ઘાત ઃ- કષાયથી વ્યાકુળ બનેલો આત્મા ઉપર પ્રમાણે આત્મપ્રદેશો શરીરમાંથી બહાર કાઢી શરીરની જાડાઈ, પહોળાઈ, ઉંચાઈ પ્રમાણ સમાન દંડ કરે છે. આ વખતે ઘણા કષાય મોહનીય કર્મને ખપાવે છે. (તીવ્ર કષાય વખતે કષાય સમુદ્દાત થતો હોવાથી નવા કષાય મોહનીય કર્મ પણ ઘણા જ પ્રમાણમાં બાંધે છે.) (૩) મરણ સમુદ્દાત ઃ- મૃત્યુની પીડાથી વ્યાકુળ બનેલો આત્મા પોતાના શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢી જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્ય યોજન દૂર રહેલ ભવાંતરના ઉત્પત્તિના સ્થાન સુધી જાય છે અને તે રીતે કરતાં આયુષ્યકર્મના ઘણા પુદ્ગલો ખપાવે છે. કોઈ જીવ ઉત્પત્તિદેશે જઈ પાછો આવી મૃત્યુ પામે છે. જ્યારે બીજા કેટલાક જીવો ઉત્પત્તિદેશે પહોંચીને અહીંના પ્રદેશોને ત્યાં ખેંચી લે છે. (૪) વૈક્રિય સમુદ્ઘાત ઃ- વૈક્રિય લબ્ધિવાળો જીવ જ્યારે ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે ત્યારે વૈક્રિય સમુદ્દાત કરે છે. તે વખતે મૂળ શરીરમાંથી આત્મદેશોને બહાર કાઢી સંખ્યાત યોજન પ્રમાણ લાંબો, શરીર પ્રમાણ પહોળો અને જાડો દંડ કરે છે અને તે દ્વારા વૈક્રિય વર્ગણાના
SR No.008982
Book TitlePadartha Prakasha Part 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy