SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુવંદન ભાષ્ય ૩૩ ૩. અવંદનીય-૫ બેઃ બે: ત્રણ: બે: અને અનેકઃપ્રકારના પાર્શ્વસ્થઃ અવસન્નઃ કુશીલઃ સંસક્તઃ અને યથાછંદઃ સાધુ શ્રી જૈનદર્શનમાં વંદન ક૨વા યોગ્ય નથી. ૧૨॥ ૪. વંદન કરવા યોગ્ય-પ આચાર્યઃ ઉપાધ્યાયઃ પ્રવર્તકઃ સ્થવિરઃ તેમજ રાત્નિકઃ એ પાંચને વંદન કરવાથી થતી નિર્જરાનો લાભ મેળવવા વંદન કરવું જ જોઇએ. ।।૧૩।। ૫. અવંદનીય-૪ માતાઃ પિતાઃ મોટાભાઇઃ તેમજ ઓછા દીક્ષા પર્યાયવાળા છતાં સર્વ રત્નાધિકઃ પાસે વંદન કરાવવું નહીં. અને, બાકીના સાધુ આદિ (ચતુર્વિધ સંઘ પરસ્પર) વંદના કરે. ॥૧૪॥ ૬. વંદન કરવાના અનવસર-૫ વ્યાકુળ ચિત્તવાળાઃ મ્હોં ફેરવીને બેઠા હોયઃ પ્રમાદમાં હોયઃ આહાર-નિહાર કરતા હોયઃ અથવા કરવાની તૈયારીમાં હોયઃ તો કદી પણ વાંદવા નહિ. ||૧૫॥ ૭૮ વંદન કરવાના અવસર-૪ સ્વસ્થઃ આસનપર બરાબર બેઠેલાઃ શાન્તઃ બરોબર અભિમુખઃ એવા ગુરુને, અનુજ્ઞા મળેલા ડાહ્યા શિષ્યે વંદન કરવું. ॥૧૬॥ ૯. વંદન કરવાનાં નિમિત્તો-૮ પ્રતિક્રમણઃ સ્વાધ્યાયઃ કાઉસ્સગ્ગ માટેઃ અપરાધ ખમાવવાઃ પ્રાહુણા (તરીકે કોઇ નવા મુનિ આવે તે): આલોચનાઃ પ્રત્યાખ્યાનઃ અને સંલેખનાદિક મહાન કાર્ય : એ (આઠ નિમિત્તે) દ્વાદશાવર્ત વંદન કરવું. ॥૧૭॥ ૩
SR No.008976
Book TitleBhasya Trayam
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size69 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy