SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે મેં તેને પેલી અમેરિકાની ઘટના કહી સંભળાવી. આથી તે શરમાયો અને તેણે હવેથી કદી માંસાહાર નહિ કરું એવી ખાત્રી આપી. આવા કેટલાય ગુમરાહ જૈન યુવાનો હશે, જે માંસાહારના રવાડે ચડી ગયા હશે. આવા યુવાનો જયારે-જયારે મને મળે છે, ત્યારે ત્યારે હું અચૂક એમને ઉપરના દાખલાઓ સમજાવું છું. શું મેનકા ગાંધીના આ સત્ય દષ્ટાંત પરથી આજના જૈન યુવકો કાંઇ બોધપાઠ લેશે ? ધૂમ્રપાન આજે છેલ્લી વાંચના છે. છેલ્લી વાંચનામાં ગુરુ-દક્ષિણા તરીકે શું આપશો ? હું માનું ? માત્ર આજ્ઞાપાલન માગું છું. તમે ગુરુની આજ્ઞાને સદા સ્વીકારવા તત્પર રહો, એટલી જ અપેક્ષા છે. પૂ. કનકસૂરિજી વખતે આજ્ઞા-પાલન અત્યંત સહજપણે થતું. પૂ. કનકસૂરિજી હળવદમાં હતા, એ કેક સાધ્વીજીના સુ મને ચાતુ માસ માટે કહેતા હતા અને બધાં જ તહત્તિ કરીને સ્વીકારતાં હતાં. આ જોઈને પૂ. પ્રેમસૂરિજીના કાંતિવિજયજી સ્તબ્ધ બની ગયેલા : અમારે સાધુઓને ચાતુમાસ માટે ગોઠવણી કરવી હોય તો લોહીના પાણી થઈ જાય. એના સ્થાને આટલું સહજ આજ્ઞા-પાલન ? એ પણ સાધ્વીજી જતમાં ? - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં.૩૫૨) આજે મશીનોએ માણસનો ઘણો સમય બચાવી લીધો છે, સુખ-સગવડો પણ ઘણી વધારી દીધી છે. ચાલવું હોય, લખવું હોય, કોઇને મળવું હોય, ગણિત કરવું હોય, ખેતી કરવી હોય કે સંદેશો પહોંચાડવો હોય દરેક સ્થળે યંત્ર હાજર છે. સમયનો અઢળક બચાવ કરી આપે છે આ યંત્રો, પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે બચેલા સમયનું માણસ કરે છે શું ? વ્યસનો અને ફેશનોમાં ગળાડૂબ ફસાયેલા આજના માણસને જોઇને એવું નથી લાગતું કે યંત્રો એના માટે અભિશાપ બની ગયા છે ? કેટ-કેટલા વ્યસનોથી ઘેરાયેલી છે આજની પેઢી ? વ્યસનો સેવીને બરબાદી જ નોતરવી હોય તો સમય બચાવવાનો અર્થ શો ? બચેલા સમયમાં આખરે સિગરેટો જ ફૂંકવી છે ને ? આખરે પાનમસાલા કે ગુટખાઓ જ ચગળવા છે ને ? બીડી, સિગારેટો, પાન-મસાલાઓ, ગુટકાઓ, ચીરૂટો વગેરે માણસ જાતને નીચોવી નાખતી જળો છે. માત્ર સમયને જ નહિ, સ્વાથ્યને પણ બરબાદ કરી મૂકે છે. પોતાની પ્રજાના સ્વાથ્યનું અનેક પ્રકારની નશાખોરીથી નિકંદન નીકળતું જોઇ અમેરિકન સરકાર તો સ્તબ્ધ થઇ ગઇ છે. નશાખોરી ડામવા માટે ત્યાં મોટી ઝુંબેશ ચાલી રહી છે. હું તો ઘણી વાર ભાવવિભોર બની જઉ. કેવી સુંદર મજાની આપણને પરંપરા મળી, જયાં બચપણથી જ દર્શન-વંદન-પૂજનના સંસ્કારો મળ્યા. આના કારણે જ ભક્તિ મુખ્ય બની. - ભક્તિને જીવનમાં પ્રધાન બનાવજો. જો આગળ વધવું હોય, જો પંડિત બનવા ગયા, ભક્તિ છોડી દીધી તો અભિમાન આવ્યા વિના નહિ રહે. અભિમાનથી કદી વિકાસ થતો નથી. હા, વિકાસનો આભાસ જરૂર થાય છે. એક ભક્તિ આવી ગઈ તો કું આવી ગયું. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં.૩૫ ર) તા. ૨૭-૧૧-૨000 ઉપદેશધારા * ૭૪ ઉપદેશધારા + ૭૫
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy