________________
કવિ બચવા તૈયાર છે.
બંને પોત-પોતાના દાવ ગોઠવી રહ્યા છે.
એક વખતે રાજમાર્ગ પરથી ભોજરાજા પસાર થઇ રહેલા હતા. ધનપાલ પણ સાથે હતો. ત્યાં રાજાએ એક દશ્ય જોયું : એક ડોસી એક નાનકડી બાળાની સામે વારંવાર માથું ધુણાવી રહી હતી. મહારાજાએ ગણતરી કરી કે ડોસીમાએ નવ વાર માથું ધુણાવ્યું. રાજાએ કવિને પૂછ્યું : આ ડોસી પેલી છોકરીને શાની મનાઇ કરે છે ?
આશુવિ ધનપાલે શીવ્રતાથી કાવ્ય દ્વારા જણાવ્યું : હે મહારાજા ! આ નાની મુગ્ધ બાળા આપને જોઇને નવાઇ પામી છે. એ ડોસીમાને પૂછે છે : માજી !
આ કોણ છે ? શું મહાદેવ છે ?
‘ના... એ મહાદેવ નથી.'
માથું હલાવતાં ડોસીએ કહ્યું : ‘તો શું એ વિષ્ણુ છે ?’ ‘નહિ. વિષ્ણુ પણ નથી...'
‘તો... શું એ ઇન્દ્ર છે ?'
નહિ... નહિ... ઇન્દ્ર પણ નહિ.'
‘તો નળ છે ?’
‘ના... ભોળી ! નળને થયે કેટલાયે વર્ષો થઇ ગયા.
અત્યારે નળ ક્યાંથી હોય...?’
‘તો શું એ કુબેર છે ?’
‘ના... રે... ના... ઉત્તર દિશાનો સ્વામી કુબેર અહીં ક્યાંથી
આવે ?’
‘તો શું વિદ્યાધર છે ?’
‘નહિજી... વિદ્યાધર પણ નથી.'
બજે મધુર બંસરી * ૩૫૪
‘તો શું કામદેવ છે ?'
ના... છોકરી... ના.. કામદેવને તો શરીર જ નથી. એ ક્યાંથી હોય...?'
‘તો ચંદ્ર છે ?’
ના... ના... ચન્દ્ર તો આકાશમાં છે. વળી તે કલંકી છે. આ ચંદ્ર પણ નથી.’
‘તો શું બ્રહ્મા છે ?’
ના... અલી... ના... બ્રહ્મા તો ઘરડો છે. જ્યારે આ તો યુવાન છે.’
તેં કહેલા નવમાંથી આ એકેય નથી... પણ આ તો ક્રીડા કરવા પ્રવૃત્ત થયેલા સ્વયં શ્રી ભોજદેવ છે. સમજી ?’
આ પ્રમાણે બાળાના નવ પ્રશ્નોના જવાબમાં નવ વાર ડોસીએ માથું હલાવ્યું.
ધનપાલે બનાવેલો શ્લોક આ પ્રમાણે છે :
किं नन्दी किं मुरारिः किमुत सुरपतिः किं नलः किं कुबेरः किं वा विद्याधरोऽसौ किमु रतिरमणः, किं विधुः किं विधाता ? ।
नायं नायं न चायं न खलु नहि नवा नापि नासौ न चैषः, क्रीडां कर्तुं प्रवृत्तः स्वयमिह हि हले ! भूपतिर्भोजदेवः ॥”
ધનપાલના આવા શીઘ્રકવિત્વથી એકદમ પ્રસન્ન થઇ ગયેલો ભોજ બોલી ઊઠ્યો :
‘કવિરાજ ! શું જોઇએ છે તમારે ? જે જોઇએ તે માંગી લો. હું તમારા પર અત્યંત પ્રસન્ન છું.’
‘મારે બીજું કશું જોઇતું નથી, પણ આપના તરફથી માત્ર અભયદાન જોઇએ છે.'
ધનપાલની આ માંગણી સાંભળી ભોજરાજા તો છક્ક જ થઇ ગયો : અરે ! મારા મનના ભાવો એ શી રીતે જાણી ગયો ? આ બજે મધુર બંસરી * ૩૫૫