________________
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
લેણ-દેણા ઋણ ઉપર રે, વર્ણવ્યો એહ સજઝાય; સંવત અઢાર એકાણું રે, દીપ વિજય કવિરાય રે. || ૧૨ / કોઇ જગ્યાએ આના કરતાં તદ્દન જુદી વાત પણ આવે છે.
કોઇ નગરમાં એક ખૂબ જ કંજૂસ શેઠ રહેતો હતો. પાસે અઢળક પૈસા હોવા છતાં ખરચવાનું નામ નહિ. નગરમાં રહેલા બીજા બધા શેઠીયાઓ અવસર-અવસરે પૈસા ખરચતા. ગરીબોને આપતા. સાધર્મિકોને જમાડતા. પણ આ શેઠ ? એમની તો શી વાત કરવી ? જમવા બધે જ પહોંચી જાય... પણ કોઈને જમાડવનું નામ નહિ. લોકો એમના વિષે બોલતા : આ તે શેઠ છે કે કોણ છે ? સાક્ષાત્ કંજૂસાઇનો અવતાર છે. બધાનું જમવું પણ કોઇને જમાડવા નહિ. આ તે વળી ક્યાંની રીત ?
પોતાના પિતાની, કુટુંબની લોકો દ્વારા થતી આવી નિંદા સાંભળી તે શેઠના પુત્રો અતિ ખિન્ન હતા... પણ કરે શું ? પિતા પાસે એમનું કશુંય ચાલતું નહિ.
પણ એક દિવસે એમણે નક્કી કર્યું : ગમે તે થાય પણ એક દિવસ ગામ-જમણ રાખવું અને મહેણું ટાળવું અને આ વાતની પિતાને ગંધ પણ ન આવવા દેવી.
નક્કી કરેલા દિવસે ગામ લોકોને આમંત્રણ આપ્યું. લોકો બધા તેમને ત્યાં જમવા આવ્યા. આ અવસરે પુત્રોએ કંજૂસ પિતાને મકાનની મેડી પર ચડાવી દીધા અને નિસરણી કાઢી લીધી. કારણ કે
82828282828282828282828282828282828
|| ૮
||