________________
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
વાત હતી, મારા નામ પરથી જ ગામનું નામ પડવું જોઇએ.
જગતનું આજ મહાન દુઃખ છે ને ? આ જગતના બધા જ માણસો મનમાં તો પોતાને જ “મહાન” માનતા હોય છે. એથી જ આ જગત આટલા બધા સંઘર્ષોથી ઘેરાઇ ગયું છે.
આમ ઘણા દિવસો સુધી ચારે જણ વચ્ચે આ તકરાર ચાલ્યા કરી. આખરે એક દિવસ ત્યાં કોઇ ડાહ્યો માણસ આવી પહોંચ્યો. તેણે બધી વાત સાંભળીને કહ્યું, ‘બંધુઓ ! તમારે આ તકરાર ચાલુ રાખવી છે કે તેનો ફેંસલો લાવવો છે?'
‘તકરાર ચાલુ તો કેમ રખાય ? પણ તેનો ફેંસલો સર્વમાન્ય જોઇએ.’
‘હા, હું સર્વમાન્ય ફેંસલો આપું છું. જેથી કોઇનેય મન-દુ:ખ નહિ રહે. સાંભળો. હું એવું નામ આપું છું. જેમાં તમારા ચારેયના નામો આવી જશે. ગામનું નામ રાખો : “મનફરા'. બોલો, આમાં ચારેયના નામોનો પહેલોપહેલો અક્ષર આવી ગયો કે નહિ ? મસ્તરામનો મ, નરભેરામનો ન, ફરતારામનો હું અને રાજારામનો રા... બની ગયું નામ મનફરા.
અને ચારેય જણ આ ફેંસલો સાંભળી ખુશ-ખુશ થઇ ગયા. એમણે આ નિર્ણય સહર્ષ વધાવી લીધો. સમાધાન કરવાની આ આગવી રીત મનફરામાં સહજ રીતે વણાઇ જવી જોઇએ. માણસ છે એ ઝગડી પણ પડે. પણ ઝગડ્યા પછી સમાધાન કરી લેવું એ મોટી વાત છે.
દરેક વાતને થાળે પાડતાં શીખો. પોતાનો જ કક્કો ખરો ન કરો. બીજાનું પણ સ્વમાન સચવાય એ રીતે ઊકેલ લાવો. તો જીવન ખરેખર નંદન-વન બની રહેશે.
82828282828282828282828282828282888
II,૨૬