________________
પ્રકમ-૭
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ટેકો પામેલી, કુટુંબનિર્વાહમાં આધાર જેવા શ્રેણિકરાજાની સાથે // ૧૩૦// પુણ્યકર્મની પ્રવૃતિઓ જેવી પુત્રવધુઓથી શોભતી ભદ્રા રાજગૃહ નગરમાં પેઠી. જાણે ભવિતવ્યતાના શાસનમાં પેઠી, // ૧૩૧ ||
ધન્ના-શાલિભદ્ર સર્વાર્થ સિદ્ધમાં :
શાલિભદ્ર અને ધન્ય મુનિ; જાણે તપ-સુંદરીના (ભાવ રોગ રહિત) મોતીથી બનેલા કાનનાં બે કુંડલ ! જાણે વીર્ય સુંદરીના વજકર્ણિકાથી બનેલા હાથનાં બે કંકણ ! || ૧૩૨ // જાણે જ્ઞાન-સુંદરીના શુદ્ધ સોનાથી બનેલાં મંગળરૂપ બે ઝાંઝર ! જાણે શાંતિસુંદરી અને દાંતિસુંદરીને રમવા માટે બે નિષ્કપ પર્વતો ! || ૧૩૩ //
પરિષહ અને ઉપસર્ગ વગેરે શત્રુના સમૂહનો નાશ કરનારા તે બે ઉત્તમ મુનિઓ || ૧૩૪ || ગુરુશ્રી ગૌતમસ્વામીને નિર્ધામક કર્ણધાર બનાવીને, સંયમરૂપી વહાણમાં ચડીને, ધ્રુવ તારા સમા નિશ્ચલ ધ્યાનથી ભાવનાઓની નિત્ય ગતિવાળી ઝડપથી || ૧૩૫ | ખૂબ જ મુશ્કેલીથી તરી શકાય તેવા પ્રતિજ્ઞારૂપી દરિયાને ઓળંગીને, ઇન્દ્ર વગેરે સ્વામીઓની સેવાથી કદર્થના પામેલા, અલ્પ સમૃદ્ધિવાળા સૌધર્માદિ ૧૨ દેવલોકોને છોડીને // ૧૩૬ / અભવ્ય જીવો પણ જેના વૈભવો અનુભવી શકે તેવા અને જેલ જેવા નવરૈવેયક દેવલોકોને પણ જવા દઇને // ૧૩૭ // મુક્તિનગરના પરા સમા, અથવા સિદ્ધિનગરના પ્રવેશમાં વિસામાના વૃક્ષ સમા, અથવા શાશ્વત મુક્તિ-સુંદરીને પરણવા જાનૈયાના ઉતારા સમા // ૧૩૮ // અનુપમ સુખના ધામ, પાંચેય અનુત્તર વિમાનોમાં ચડિયાતા, સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાં તેઓ ઉત્તમ દેવ થયા. || ૧૩૯ //
ARRARAUAYA8A82828282828282888
II૬૬