________________
પ્રકમ-૭
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ધીમે ધીમે પ્રમોદ ભાવના જેવી પર્વતની ઉપરની ભૂમિ પર ચડીને, માધ્યશ્ય ભાવનાની જેમ હૃદયમાં સ્વસ્થતામાટે શિલાતલનું દૃષ્ટિપડિલેહણ કરી નવકાર મંત્રના સ્મરણથી હાથ-પગ-માથું આ પાંચેય અંગોનું રક્ષણ કરી, સમસ્ત જીવોને કુટુંબની જેમ ખમાવીને ચાર કષાયોની જેમ ચારેય આહારોને સર્વ રીતે છોડીને તથા ચાર ગતિમાં લઇ જનારા ચારેય આંશસા-પ્રયોગોને પણ છોડીને પાદપોપગમન નામના અનશનને સ્વીકારી શારીરિક રીતે અને માનસિક રીતે પર્વતની જેમ નિષ્ક્રપ રહ્યા. // ૩૫ // ૩૬ // ૩૭ || ૩૮ //
શ્રી ગૌતમ સ્વામીએ પણ ખરેખર ! સ્વર્ગના વૈદ અશ્વિનીકુમારદેવ જેવા મોહના રોગની ચિકિત્સા કરનાર | તે બે ઉત્તમ મુનિઓને શાબાશી આપી. || ૩૦ ||
ભગવાન પાસે જતી ભદ્રા : આ બાજુ પોતાને ઘેર હર્ષને વશ થયેલી ભદ્રાએ નોકરો પાસેથી પુત્રના આગમનના મંગળ કરાવ્યાં. / ૪૦ |
તેના આંગણામાં તોરણોની હારમાળા શોભવા લાગી. જાણે પરમ-આનંદના આંબા પર હાલતા-ચાલતી કુંપળોની હારમાળા શોભવા લાગી ! || ૪૧ ||
શ્રી શાલિભદ્ર તરફ ભક્તિના રાગથી જાણે લાલ થયેલું લાલ વસ્ત્ર તોરણમાં શોભતું હતું. / ૪૨ //.
ધન્ના અને શાલિભદ્રના ચરણનો સ્પર્શ પામેલી મોતીના સાથિયાના ગુચ્છાવાળી ધરતી, શાલિભદ્રનાં દર્શનથી પણ વંચિત રહેલી તેમની પત્નીઓનો જાણે ઉપહાસ કરતી હતી. || ૪૩ //.
ARRARAUAYA8A82828282828282888
/ ૪૬૮ ||