________________
પ્રકમ-૬
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ધર્મસ્થાપનાની પૂર્વે યુગની આદિમાં જેમ દૂધના વાદળ વરસે તેમ તે વખતે મુનિના દર્શનથી તે ઉત્કર્ષપૂર્વક દૂધ વરસાવવા લાગી. // ૧૯૯ //
દાનની ઇચ્છાવાળી કુશલાશયવાળી તે મહિયારીએ શાલિભદ્ર મુનિને વિનંતી કરી : હે પ્રભુ ! ગરીબ હું આપનો શો સત્કાર કરી શકું ? / ૨00 //
તો પણ સન્માર્ગના પ્રવાસી હે પ્રભુ ! હું આપનું મંગળ ઇચ્છું છું. તેથી ઓ ધીર ! શુકનરૂપે આ દહીં ગ્રહણ કરો અને મારા પર કૃપા કરો. || ૨૦૧ //
આ પ્રમાણે કહી, મુનિશ્રીને પ્રકૃષ્ટ ભાવથી દહીં વહોરાવી પોતાને ધન્ય માનતી વિકસ્વર રોમાંચના કંચુકવાળી ધન્યાએ આનંદથી નમસ્કાર કર્યા. // ૨૦૨ //
એ મહિયારી પહેલા દૂધના પ્રશ્નવણથી દુશ્વમેધ બની વરસી પડી. આંખના આંસુથી મહામેળ બની વરસી પડી. દહીંના દાનથી દધિમેઘ બની વરસી પડી અને મધુર-વાણીથી અમૃત-મેઘ બની વરસી પડી. || ૨૦૩ //.
પુણ્ય-બીજને દાનના પાણીથી સિંચીને તે વૃદ્ધા પોતાના સ્થાને ગઈ અને તે બે મુનિઓ સર્વપ્રકારે શુદ્ધનિર્દોષ તે જ દહીંને લઇને ચાલતા થયા. // ૨૦૪ ||
ત્યાર પછી ઇરિયાવહિયં કરી ભ. શ્રી મહાવીરદેવને વંદન કરી શાલિભદ્ર મુનિ બોલ્યા : ભગવન્! મારું પારણું માતાથી કઈ રીતે ? (આપે કહ્યું હતું ને ? “માતાથી થશે ?' ભદ્રા માતાએ તો સામુંય નથી જોયું.) || ૨૦૫ II
8282828282828282828282828282828888
|
૬
||