________________
પ્રક્રમ-૬
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
કારણ કે જિનેશ્વર દેવને અપવિત્ર અંગવાળી ઋતુમતી સ્ત્રીઓ જેમ પોતાના હસ્ત-કમળથી પૂજવામાં દૂર રહે છે, તેમ પાપથી ભરેલી અમે પણ અમારા નાથને અમારા કર-કમળથી પૂજવામાં દૂર રહીશું. // ૧૭૨ //
મૂળનાયકની સ્નાત્ર-પ્રતિમાની જેમ આપણા નાથ શ્રીશાલિભદ્રની માનસ-પ્રતિમા હૃદયમાં સ્થાપીને જે હર્ષના પાણીથી નવડાવીએ તો એ પણ આપણું મોટું સૌભાગ્ય છે. // ૧૭૩ //.
તે વખતે જો પતિ સાથે જ આનંદપૂર્વક દીક્ષા લીધી હોત તો લોકનિંદાથી આપણું સુખ ભાંગી પડત નહિ. | || ૧૭૪ ||
આપણે તો હમણા ગૃહ-દુઃખના સરોવરમાં રહેલી કમલિની જેવી પદ્મિની સ્ત્રીઓ છીએ. કારણ કે સૂર્ય જેવા પતિનું પ્રકાશ જેવું અસ્તિત્વ જ માત્ર આપણને મળે છે. પણ સહવાસ મળતો નથી. || ૧૭૫ //
એ પ્રમાણે હર્ષાશ્રુયુક્ત વિરહની આગથી જાણે પેદા થયેલા ધૂમાડાથી વ્યાકુળ થયેલી પત્નીઓએ નક્કી ઘરઆંગણે આવેલા શાલિભદ્ર મુનિને જોયા નહિ. || ૧૭૬ છે.
મને વિચાર આવે છે કે પ્રચંડ જોગણી જેવી તપશ્ચર્યા રૂપી પત્નીએ પૂર્વ પત્નીઓના ભયથી શું શાલિભદ્ર મુનિને અદેશ્ય કર્યા હશે ? | ૧૭૭ //
દેવીનું જ નામ જપનારી સત્ત્વહીન સ્ત્રીઓને સામેથી આવેલું જેમ દેવીનું વરદાન ન મળે તેમ શાલિભદ્રના નામનો જાપ કરતી હોવા છતાં પણ સત્ત્વહીન એ સ્ત્રીઓને પતિ શાલિભદ્ર મુનિવર ન મળ્યા. / ૧૭૮ ||
ARRARAUAYA8A82828282828282888
|| ૪૮૬ |