________________
श्री
शालिभद्र
महाकाव्यम्
FRERER
અહો ! સ્વર્ગ સમૃદ્ધિનું વર્ણન સાંભળતાં પણ ડાહ્યા માણસો તે મેળવવા ઊતાવળ કરે, પરંતુ અમે મૂર્ખાઓએ જોવા છતાં તેની અવગણના કરી. ।। ૬૯ ||
ગ્રહણ વખતે તારાઓ જેમ ચંદ્રને ન અનુસરે, તેમ દિવ્ય ભોગ સમૃદ્ધિથી સૌભાગ્યશાળી પ્રાણપ્રિય પતિદેવને દીક્ષા વખતે આપણે અનુસર્યા નહિ. ॥ ૭૦ ||
પૃથ્વી પર આવી ચડેલા ઐરાવણ હાથી પરથી ભમરીઓ કલ્પવૃક્ષના ફૂલો ચૂસી લે છે, પણ તેની સાથે સ્વર્ગના માર્ગે જતી નથી. આપણે પણ તેવાં જ છીએ. || ૭૧ ||
પતિદેવના ભાગ્યનું સાંક્રામિક ફળ જ આપણને મળ્યું, પણ સત્ત્વનું ફળ ન મળ્યું. પતિદેવના પુણ્યથી દિવ્યસમૃદ્ધિના સુખો મળ્યા, પણ તેમના સત્ત્વથી દીક્ષા ન મળી. || ૭૨ ||
આ પ્રમાણે વિરહથી વ્યાકુળ થયેલી નષ્ટ સુખવાળી ભદ્રાની પુત્રવધુઓ હજાર વર્ષો જેવા થઇ પડેલા દિવસોને
માંડ માંડ પસાર કરવા લાગી. ॥ ૭૩ ||
ધન્ના-શાલિભદ્રની સંયમ-સાધના :
હવે શ્રી મહાવીર પ્રભુની આજ્ઞા મેળવીને સકળ કર્મથી નહિ હારેલા, દ્રવ્ય-ક્ષેત્રાદિના વિચારક, આચારાંગાદિ સૂત્રના ધારક, મહામુનિ શ્રી ધન્ના અને શાલિભદ્ર સાધુ-ધર્મની સેંકડો પ્રતિમાઓથી શોભતા, મોક્ષના કારણરૂપ નવકલ્પી વિહારથી પૃથ્વીને શોભાવતા હતા.
| T
પ્રક્રમ-દ
॥ ૪૭૬ ॥