________________
श्री
शालिभद्र
महाकाव्यम्
SHORT
કેળના સ્તંભથી મહેલ શી રીતે થાય ? કોમળ કપડાથી વહાણનો સઢ શી રીતે થાય ? કમળના નાળચાથી હાથીને બાંધવાની સાંકળ શી રીતે થાય ? કેવડાના પાનથી બન્નર શી રીતે બને ? ચંપાની કળીઓથી ફોતરાની ભડભડતી આગ શી રીતે હટાવી શકાય ? કપૂરના ફાડીઆથી મંદિરનું શિખર શી રીતે થાય ? ઓ કામ વિજેતા વ્હાલા પુત્ર ! તારા સુકોમળ શરીરથી કઠોરવ્રત શી રીતે સાધી શકાય ? ચતુરાઇમાં બ્રહ્મા જેવા ઓ બેટા ! લાંબા કાળ સુધી આ બધું સારી રીતે વિચારી લે. ॥ ૧૩૦ || ૧૩૧ || ૧૩૨ ||
શાલિભદ્ર બોલ્યો : હે મા ! પૈસાના સાંસા હોય ત્યારે જો વહાણવટી વેપારીઓ પુત્ર-પત્ની વગેરેને છોડી ખારા દરિયામાં પ્રવેશે છે. તો પ્રશમામૃત સાગરનું અવગાહન કરવાની ઇચ્છાવાળો, આત્યંતિક એ એકાંતિક મોક્ષ પુરુષાર્થની પ્રાપ્તિ માટે કૃત નિશ્ચયી થયેલો, પંડિતો દ્વારા ચિત્તમાં પરીક્ષિત થયેલો, પરાક્રમના પ્રારંભમાં મૂકેલા પગવાળો હું શાલિભદ્ર, સ્ત્રીઓથી અથવા શરીરના મોહથી કઇ રીતે ઘેરાઇ જઉં ? | ૧૩૩ || ૧૩૪ || ૧૩૫ ||
મનીષિઓના સ્નિગ્ધ અને સુકોમળ વસ્ર અને શરીર અગ્નિથી ધોઇ શકાય તેવા હોય છે અને તે (શરીર વસ્ત્ર) તપની આગથી શુદ્ધ થાય છે. ॥ ૧૩૬ ||
પુત્રનો દીક્ષા માટેનો આગ્રહ છૂટવો મુશ્કેલ છે એમ જાણીને ટાઇમ પસાર કરવાની ઇચ્છાવાળી ભીરુ માતા પુત્રને પ્રેમથી કહેવા લાગી. ।। ૧૩૭ ||
બેટા ! તું ઐરાવણ હાથીની જેમ સદા દેવતાઇ ભોગોની સુખ સાહેબીથી ઊછરેલો છે. તો પહેલા માણસોની ગંધ, માણસોનું શયન, માણસોનો આહાર, માણસોનો વિહાર-વગેરેનો અભ્યાસ કર. ॥ ૧૩૮ ||
**
K
TET
પ્રક્રમ-૫
॥ ૪૭ ||