________________
પ્રકમ-૫
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ગૌણાર્થ : તું મેરુ પર્વતને, દેવોને આનંદકારી નંદનવનથી વિભૂષિત કર. || ૮૪ //
વત્સ ! દીક્ષા લેતાં પહેલાં મને મારા વાત્સલ્યનું ભાડું આપ. માતાની ભક્તિની કળારૂપ કામધેનુના ગોકુળ સમા ઓ બેટા ! પછી તું દીક્ષા લેજે. || ૮૫ ||
પહેલા સુશ્રાવક ધર્મરૂપી મંદિરને શ્રાવકોની ૧૧ પ્રતિમાઓથી વિભૂષિત કરી પછી સુવર્ણ કળશ તુલ્ય પાંચ મહાવ્રતો સ્થાપજે. || ૮૬ ||.
આ પ્રમાણે ઉંમરની યોગ્યતાથી રૂચિ મુજબ ખવાયેલા શ્રેષ્ઠ આહારની જેમ ઉંમરની ઉચિતતાથી ઇચ્છા મુજબ સ્વીકારાયેલો શ્રેષ્ઠ ધર્મ પણ પરિણામમાં અતિ સુંદર બને છે. || ૮૭ ||.
ઓ વત્સ ! તારી રૂપ-લક્ષ્મી, જગતના લોકોની આંખોને સવારે અમૃતનો નાસ્તો છે. કીર્તિનું સ્થાન તારી સૌભાગ્ય-પ્રાપ્તિ મૂર્તિમાન સુવર્ણ સિદ્ધિ છે. || ૮૮ || તને દરરોજ માનવીય લમી ગાઢ આલિંગન કરે છે. દેવતાઇ ભોગ-લક્ષ્મી તને નવી-નવી ભેટણાની ચીજો થી સેવે છે. || ૮૯ // સર્વાગીણ ભોગોથી પરિવરેલા, કુળમાં કિલ્લા તુલ્ય ઓ વત્સ ! તો પછી તારા હૃદયમાં કઇ યુક્તિની સુરંગ વાટે વૈરાગ્ય ઘૂસી ગયો ? / ૯૦ //
હવે ગોભદ્ર શેઠના પુત્ર શાલિભદ્ર ધર્મરાગરૂપી મહાન રંગભૂમિ પર આનંદથી મધુર, મંગળરૂપ વાણી ભદ્રા માતા પ્રત્યે કહી. // ૯૧ //.
| હે મા ! તે જે આત્મહિતકારી કહ્યું, તે આ લોકની અપેક્ષાએ ઠીક છે, પણ તે પરલોકની અવસ્થાનું વિરોધી છે. || ૯૨ ||
828282828282828282828282828282828482
// ૬,૭ ||