________________
પ્રકમ-૫
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
શાલિભદ્ર-ભદ્રાનો સંવાદ :
જલદી આવેલો હોવા છતાં લાંબા કાળથી જોયો હોય તેમ તે શાલિભદ્રને ઉત્સુકતાના પાણીની તળાવડી સમી ભદ્રાએ જાતે આવીને કહ્યું. // ૪૭ ||
ઓ બેટા ! તેં આટલો સમય કયું સ્થાન વસંતની શોભા-સહિતના બગીચામાં રહેનારી દશાને પમાડ્યું ? (અર્થાતુ તું આટલો સમય ક્યાં હતો ?) | ૪૮ ||
હવે ધરતી પર કામદેવ જેવી લીલાવાળો શાલિભદ્ર બોલ્યો : હે મા ! આજે મેં સુખહેતુ ધર્મ સાંભળ્યો. / ૪૯ //
ગુરુદેવશ્રી ધર્મઘોષાચાર્યની ચોમેર વહેતા પાણીના પ્રવાહમાંથી મારા કાનના કુંડમાં પહેલાં તો ઉપદેશરૂપી પાણીનું પૂર આવ્યું :
ગૌણાર્થ : પર્વતની આસપાસ વહેતા નદીના પ્રવાહમાંથી પહેલાં તો બે કુંડમાં પાણી પડ્યું. || ૫૦ ||
ત્યાર પછી વિચારણાના કુંડમાં અત્યંત નિર્મળતા પામેલું વાણીરૂપી પાણીનું પૂર જ્ઞાન-દર્શન-ચારિત્રનાં ત્રણ ગરનાળા દ્વારા મનના માનસરોવરમાં ફેલાઈ ગયું. || પ૧ ||.
ત્યાં મનના સરોવરમાં શાંતરસના તરંગોમાં સ્નાનના આનંદથી પૂર્ણ, અનંત પરબ્રહ્મની લક્ષ્મી સહિત શ્રી જિનેશ્વરદેવ શોભી રહ્યા છે.
ગૌણાર્થ : ક્ષીર સાગરમાં ઊંચા પાણીના તરંગોમાં સ્નાનના આનંદથી અભિનંદિત, શેષનાગ પર સૂતેલા, પરબ્રહ્મમય, લક્ષ્મીસહિત શ્રીવિષ્ણુ શોભી રહ્યા છે. || પર //
82828282828282828282828282828282888
||
૪
||