________________
પ્રકમ-૫
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ગૌણાર્થ : રાજહંસો પાણીમાંથી દૂધને સુખપૂર્વક જુદું કરી શકે છે, પણ એક જ રૂપવાળું અમૃત જુદું કરી શકતા નથી. | ૩૨ //.
રાજાઓ દ્વારા જડ-આશયવાળા લોકો ધન-દાનથી અનુગૃહીત અને ધન-ગ્રહણથી નિગૃહીત થાય છે, પરંતુ તે રાજાઓને મુનિઓની સમતારૂપી સ્વર્ગગંગા હાથ લાગતી નથી કે દંડનો વિષય બની શકતી નથી.
ગૌણાર્થ : ચંદ્ર અને સૂર્ય સરોવરોને ઠંડક આપે છે કે તાપ આપે છે, પણ આકાશગંગા તેમનાં કિરણનો વિષય બની શકતી નથી. // ૩૩ ||
તો મનસ્વી લોકોના માણેકના મુગટમાં હીરા સમાન ઓ શાલિભદ્ર ! જે મુનિઓ ત્રણ યોગથી શુદ્ધ, રત્નત્રયીથી પવિત્રિત, ત્રણ દોષથી દૂર, ત્રણ ગુપ્તિથી વિભૂષિત હોય છે, તેઓ જ ત્રણેય લોકને વંદનીય અને ત્રણેય લોકના અધિપતિ બને છે. / ૩૪ || ૩૫ //
ત્યાર પછી આનંદથી મલકાતા ગૌરવશાલી શાલિભદ્ર ગુરુને કહ્યું : ઓ ગુરુદેવ ! હું આપની શિક્ષાથી મન મોક્ષમાં લગાડીશ અને સંસારને છોડીશ. || ૩૬ //
ભીરુ ચિત્તવાળી વાત્સલ્યમયી માને હું પૂછીને આવું છું એમ બોલી તે ફરી નગરમાં પેઠો. || ૩૭ //
દેવ વિમાનના પ્રતિબિંબ સરખા, નષ્ટમોહી લોકોને મંત્રણા કરવા માટે મંડપ સમા, પોતાના ઉત્તમ મહેલમાં તે પ્રવેશ્યો. || ૩૦ ||
ARRARAUAYA8A82828282828282888
| $$? |