________________
પ્રકમ-૫
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
મતિ-શ્રુતાદિ ચાર જ્ઞાન સહિત, ક્ષમા-સુંદરીના પતિ, શ્રીધર્મમહારાજાના રાજ્યમાં સાધુઓના રાજા આચાર્યદેવ રાજાની જેમ બોલ્યા.
ગૌણાર્થ : ખૂબ જ નિપુણતાથી બનાવેલા ચોક સહિત, પૃથ્વી-સુંદરીનો પતિ, લક્ષ્મી અને ધર્મના સામ્રાજયમાં શ્રેષ્ઠ રાજા બોલ્યો. || ૨૮ ||
લક્ષ્મીને ક્રીડા કરવા માટે વિશાળ ચોથાળ (ઘર) સમા તને જ હૃદયમાં સ્તૂરી રહેલો આ સ્વામી-સેવકનો પ્રશ્ન શોભે છે. (સામાન્ય લોકોને ન શોભે.) || ૨૯ //
સંસાર-સંગ-ત્યાગના મોટા લાકડા પર ચોંટેલી સદ્બુદ્ધિરૂપી માટી વડે બનેલી ચારિત્રરૂપી પાળથી તે તરત જ અટકાવી શકાય છે. || ૩૦ ||
રાજાઓ દ્વારા મહાત્કંધવાળા શ્રેષ્ઠ પુરુષો કદર્થના પામે છે, પણ મુનિઓને પીડવા જતાં તેમના (રાજાઓના) દાંત ખાટા થઇ જાય.
ગૌણાર્થ : હાથીઓ દ્વારા મોટી ડાળવાળા સુરપર્ણિકાના ઝાડ કદર્થના પામે, પરંતુ પર્વતો પર તો તેમના દાંત જ તૂટી જાય. ૩૧ //
જડ માણસો પાસેથી રાજાઓ સુખેથી ધન લઇ શકે છે, પણ સબુદ્ધિવાળા મુનિ પાસેથી એક જ રૂપવાળું પ્રશમામૃત લઈ શકતા નથી.
828282828282828282828282828282828282
| $$o |