________________
પ્રક્રમ-૪
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
શાલિભદ્રને ભદ્રા માતા કહેવા લાગી : ઓ સગુણી વિચક્ષણ બેટા ! સાંભળ. ઘેર આવેલા શ્રેણિકને જાતે આવીને જરા જોઇ લે. || ૧૧૪ ||
તે એકદમ ઉદ્વેગપૂર્વક બોલ્યો : આ શ્રેણિક નામનું કરીયાણું પારખી અને તોલીને યોગ્ય કિંમતથી ખરીદી લે. મને પૂછવાની જરૂર નથી. || ૧૧૫ ||
રોમાંચિત થયેલી માતા વિચારવા લાગી : ખરેખર સ્ત્રીઓમાં હું એક ધન્ય છું, જેનો આવો લીલાયુક્ત ગર્ભશ્રીમંત પુત્ર છે. જુઓ તો ખરા ! | ૧૧૬ //
આ પ્રમાણે વિચારીને તેણે નિર્દોષ પુત્રને કહ્યું : પૃથ્વી-મંડળ પર આ શ્રેણિક તો સ્વામી (રાજા) છે, પરંતુ ખરીદવાનું કોઇ કરીયાણું નથી. / ૧૧૭ ||
સ્વામી’ શબ્દથી શાલિભદ્રને ઝાટકો :
સૂર્યના પ્રકાશથી જેમ હાથમાં રહેલું કમળ, વરસાદ પડવાથી જેમ બ્રહ્માનું વાહન હંસ, અંકુશરૂપ સોયથી જેમ દિગ્ગજ (દિશાનો હાથી) પીડાય, તેમ આ શ્રેણિક સ્વામી છે-આવી વાતથી, જન્મથી માંડીને કદી આવી વાતોથી નહિ ટેવાયેલો, સર્વ રીતે સુકોમળ શરીરવાળો શાલિભદ્ર સાધુધર્મની જેમ પીડા પામ્યો. (‘હું તમારો માલિક છું' આવી વાતથી સાધુ પીડા પામે છે, કારણ કે તેઓ અનિશ્ચિત રહેતા હોય છે.) || ૧૧૮ || ૧૧૯ ||
કાનના મૂળમાં જનારી શતપદી (સો પગવાળો કાનખજૂરો અથવા તો પદોવાળું વાક્ય)ની જેમ એકપદી 8િ (‘સ્વામી’ આ પ્રમાણે એક પદવાળી)ના શ્રવણે પણ તેનામાં ચિંતા-સંતાપ પેદા કર્યો-એ આશ્ચર્ય છે. |૧૨૦||
8A%A88888A YAUAAAAAAAA