________________
પ્રક્રમ-૪
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ક્ષમાશીલ મુનિઓના ખભા પર ચડેલા આ રત્નકંબલો કામના પ્રતિકૂળ છે. તેથી શાલિભદ્રની પત્નીઓ તે રત્નકંબલોને ધરતી પર રગડતી હતી. || ૩૪ ||
ઉદાર ભદ્રાએ પુત્રવધૂઓ માટે લાખ (સોનૈયા) વાપરી નાખ્યા પરંતુ તેણીએ પોતે વાત્સલ્ય કરવાથી સાસુઓમાં ઉત્તમ કોટિ (ક્રોડ સોનૈયા) મેળવી. (લાખ આપી ક્રોડ લીધા) || ૩૫ //
ઘણું કરીને પુત્રવધૂ વરસાદ જેવી હોય છે. ન આવે ત્યાં સુધી પ્રિય લાગે છે. આવ્યા પછી તે ગુણાધિક હોય કે ગુણહીન-સાસુ તેને ભાંડે જ છે. જેમ વરસાદ થોડો પડે કે ઘણો, લોકો તેને ભાંડતા જ હોય છે. (‘વરસાદને અને વહુને માન નહિ.” આ કહેવત ઘણી જૂની લાગે છે.) |. ૩૬ //
જૈન-ધર્મથી અજાણ માણસ જેમ કાચી આમલીનો આદર કરે (ખાય) તેમ કોઇક સાસુ નાની વહુનો આદર કરે છે, પણ મોટી પ૨ ફેષ કરે છે. (જૈન ધર્મનો જાણે કાચાં અને તુચ્છ ફળ ન ખાય.) || ૩૦ ||
વહુ નાની હોય કે મોટી સર્વ પ્રસંગોમાં કોઇક સાસુ તેને બહુમાન આપે છે. જેમ લોકો આંબાના ફળોનો સર્વ અવસ્થામાં આદર કરે છે. || ૩૦ ||
પશ્યના કારણે જ તે પુરુષોને સારી પત્ની મળતી હોય છે. પરંતુ ત્યાં પણ માતા અને વહનો પ્રેમ તો સૌભાગ્યની પરાકાષ્ઠા કહેવાય. || ૩૯ ||
જેના ઘરે આ લોક-પરલોકમાં હિતકારી માતા અને મનગમતી પત્ની-બંને પરસ્પર પ્રેમથી શીતલ થઈને રહે છે. તેને ખરેખર મોક્ષ આપનારી ધર્મની સિદ્ધિ અને પૈસો આપનારી પ્રસિદ્ધિ મળી છે, કવિતા અને સંગીત તેના
ARRARAUAYA8A82828282828282888
// ૪૬૫ II