________________
किञ्चित्
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
કવિવરશ્રી બાણ જયારે મૃત્યુ પથારીએ પડેલા હતા ત્યારે તેમને ચિંતા થઇ : મારો અધૂરો ‘કાદંબરી' ગ્રંથ કોણ પૂરો કરશે ? જો કે મારા બંને પુત્રો ભણેલા છે, પણ બધા જ ભણેલાઓ કાંઇ કવિ નથી બની શકતા. વ્યાકરણ, કાવ્ય, ન્યાય, તર્ક વગેરે ગ્રંથો ભણી જવા એ જુદી વાત છે અને કોઇ સર્જન કરવું તે જુદી વાત છે. સર્જન માટે સહજ શક્તિ જોઇએ, ક્રાન્ત દૃષ્ટિ જોઇએ. લાવ, બંને પુત્રોની પરીક્ષા તો કરી લઉં, જોઉં તો ખરો કોણ કવિ બની મારા અધૂરા ગ્રંથને પૂર્ણ કરી શકે એમ છે ?
બંને પુત્રો સેવા માટે હાજર જ હતા. સામે ઝાડના ઠુંઠા પર એક કાગડો બેઠો હતો. કાગડા તરફ આંગળી ચીંધી પિતાએ બંને પુત્રોને કહ્યું : આ દશ્યનું વર્ણન કરો. મોટો પુત્ર અભિમાનપૂર્વક બોલ્યો : ઓહ ! એમાં કઇ મોટી વાત છે ? લો, સાંભળો : ‘ો વૃક્ષ: તિર્ણત છે, તદુપરિ તણુતિ વ: 1:"
આવી રૂક્ષ વાણી સાંભળતાં જ બાણે કાન બંધ કરી દીધા અને કહ્યું : બસ... બસ... હવે બંધ કર. સાંભળી લીધું તારું વર્ણન. નાના પુત્રની સામે જોતાં તે બોલ્યો :
"नीरसतरुवरः विलसति पुरतः, तदुपरि विलसति वायस एकः" આ વાક્ય સાંભળતાં જ મહાકવિ શ્રી બાણનું હૃદય આનંદવિભોર બની ગયું.
828282828282828282828282828282828288
in
9
II