________________
પ્રક્રમ-૨
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
અનાસક્ત શાલિભદ્ર :
સોના જેવા રૂપવાળી નદી સમી તે સ્ત્રીઓના અંતઃકરણમાં પ્રતિબિંબિત થયેલો, સ્નેહના જલ-તરંગો વડે નવડાવાયેલો હોવા છતાં અમૃતભર્યા શરીરવાળો શાલિભદ્ર આસક્તિ ન પામ્યો. // ૧૩૩ છે.
ગજરાજ જેવી ચાલની લીલાથી નૃત્ય-ભૂમિ પર મળતી, પ્રીતિથી તૃમ તે પ્રિયતમાઓની સાથે શાલિભદ્રા સ્ત્રીઓમાં કુંજરપણાને પામ્યો. ૧૩૪ ||
પોતાના ઉત્તમ મહેલમાં કુલશ્રેષ્ઠ તે શાલિભદ્ર, સુખ માટે ઑકારના નાદ જેવા તબલાંઓના જોરદાર ધોમ્... ધો...... એવા નાદો વડે, મનને આપવામાં વહેંચવામાં) સૂથી સરખા શ્રેષ્ઠ વીણાના ઝંકાર વડે, જાણે સ્વર્ગથી આણેલા, આનંદના મુખ સરખા સંગીત અને નૃત્ય વડે, મહારાજાશ્રી કામદેવના સૈન્યસમા નાટકો વડે, મોહરાજાની મંત્રણામાં મિત્ર સરખા પાંચેય ઇન્દ્રિયોના સુખો વડે તે શાલિભદ્ર કાળ પસાર કરી રહ્યો હતો, / ૧૩૫ / ૧૩૬ // ૧૩૭ ||
આદિ અને અંતના ગ્રહણમાં મધ્યનું ગ્રહણ પણ હોય જ છે-આ ન્યાયે તેણે દેવની જેમ ત્રિવર્ગ (ધર્મ-અર્થકામ)માં માત્ર આદિ (ધર્મ) અને અંત (કામ) જ લીધાં. (દેવો જેમ પૈસાની જરૂર ન હોવાથી વેપાર વગેરે નથી કરતા... તેમ તે પણ કરતો ન હતો.) || ૧૩૮ ||
રત્નથી બનેલાં જેના કંકણોમાં દેહની કાંતિનું પાણી પડી રહ્યું છે, જે સોના જેવા ચમકતા ખભાવાળો, માણેક જેવા લાલ સુંદર પગવાળો, મરકત રત્નોની દેદીપ્યમાન પત્ર રચનાવાળો, મોતી અને ફૂલોનો સમૂહ ધારનારો,
8A%A88888A YAUAAAAAAAA
/ રૂ૮
|