________________
પ્રક્રમ-૨
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
સ્વામી આદિ ૭ અંગો .......................... જિનમંદિરાદિ ૭ ક્ષેત્રો વિજયેછૂઆદિ ૧૨ રાજા ........................ પ્રાણાતિપાત વિરમણાદિ ૧૨ વ્રતો કમરંભ-ઉપાય આદિ પાંચ મંત્રણા .............. પંચ પરમેષ્ઠી નમસ્કાર મિત્રને જાણતા.
.... પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રને જાણતો. || ૩૫ // ૩૬ // ગોભદ્ર શેઠ, ભદ્રા શેઠાણી :
ત્યાં ધર્મની ધુરા ધારણ કરવામાં ભદ્ર વૃષભ સમા, શ્રેષ્ઠ દાનથી (સ-રસ મદઝરવાથી) ભદ્ર હાથી સમા, ત્રણેયકાળમાં ભદ્રરૂપ ગોભદ્ર નામે શેઠ હતા. તેઓ કીર્તિમાં કૈલાસપર્વત જેવા, રત્નોમાં રોહણાચલ જેવા, આશ્રિત દીન-ગરીબ આદિને (બાવળ આદિ લાકડાને) સમૃદ્ધ કરવામાં સુગંધી બનાવવામાં) મલયાચલ સમા હતા. / ૩૭ || ૩૮ છે. | ગગનચુંબી મેરુ પર્વત તો સૂર્ય અને ચંદ્રને ભ્રાન્તિ આપી રહ્યો હતો (ભમાડી રહ્યો હતો), જયારે અભ્રાન્ત અને નિપુણ આ ગોભદ્ર શેઠ સોનું આપીને મિત્ર અને સોનીઓની ભ્રાન્તિ છેદી નાખતો હતો. / ૩૯ //
કરોડો રત્નો હોવા છતાં પણ શાહુકારોમાં શિરોમણિ તે ગોભદ્ર શેઠને રત્નત્રયી એ જ પરમ નકલંક ભૂષણ હતું. || ૪૦ ||
તે શેઠના મન-વચન-કાયામાં ધર્મનો નિવાસ હતો. અર્થ (ધન)નો વચન અને કાયામાં, કામનો કાયામાં ક્યારેક જ નિવાસ હતો. / ૪૧ ||
આકાશગંગાની જેમ નિર્મળ, પૃથ્વી-ગંગાની જેમ દોષોને હરનારી, પાતાળગંગાની જેમ સંતાપરહિત નિર્મળ અંતઃકરણવાળી, ચંદ્રને જોઇ મસ્ત રહેતી ચકોરીની જેમ સદા આનંદમય આંખોવાળી, સર્વઋતુઓના બગીચાની
82828282828282828282828282828282888
/ રૂકુo ||