________________
પ્રક્રમ-૧
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
દાન પછી માતાની પાસે સંગમે જે મૌન સેવ્યું ત્યારે જ ખરેખર “મૌનું સર્વાર્થસાધકમ્’ એ લોકપ્રસિદ્ધ સૂત્ર સત્ય બન્યું એમ હું માનું છું. || ૧૩૧ //
સંગમની તે સરળતા ! તે ઉત્કૃષ્ટ ભાવના ! કલિયુગમાં માણસોને ભલે દુર્લભ હોય, પરંતુ દાન આપ્યા પછી જે તેનું મૌન હતું, એ પણ આજે દુષ્કર છે. || ૧૩૨ //.
તેના આવા મહાદાનમાં પણ દેવોએ જે સોનૈયા ન વરસાવ્યા તે તો આવતા ભવમાં વધુ આપવા માટે વિલંબ કર્યો હતો. || ૧૩૩ //
મોહરાજાએ વિચાર્યું હશે : આની પાસે કોઈ ધર્મનું સ્થાન નથી. નિર્મળ કુળ નથી, કોઈનો ઉપદેશ નથી. પુણ્યનો લેશ નથી. ધનનો કે બુદ્ધિનો ખજાનો નથી-(આ બાપડો શું કરવાનો છે ?) આમ અસાવધાન રહેલા મોહરાજાથી ઉપેક્ષિત થયેલા તે સંગમે કર્મવિવર પામીને પોતાનું કામ કરી લીધું-એમ હું માનું છું. // ૧૩૪ / ૧૩૫ //
ખીરનો આપનારો આ ‘દાનવીર’ ખવાયેલી ખીરને તો તણખલા જેવી નથી ગણતો-આમ અતિક્રોધથી પેટમાં રહેલી નહિ પચેલી ખીરે જાણે બળવો કર્યો. (વિકાર પામી) . || ૧૩૬ /
સંગમને પેટનો રોગ થયો :
હવે તેને ગૂઢ વિશૂચિકા (પેટનો રોગ) થઇ. તે પુણ્યરૂપ તિજોરીની ચાવી સમી અને ગુણ (દોરા)ના યોગની સૂચક (સોય) હતી, પરંતુ દોષની સૂચક નહોતી. || ૧૩૭ ||
મા ન હોવા છતાં ઘણું કરીને દુ:ખી બાળક ‘વોય મા !' એમ બોલી માને યાદ કરે છે. પરંતુ તેને તો મુનિધ્યાનના પ્રભાવથી નજીકમાં રહેલી મા પણ ભુલાઇ ગઇ. // ૧૩૮ ||
828282828282828282828282828282828282
// રૂ૬૦ ||