________________
પ્રક્રમ-૧
शालिभद्र महाकाव्यम्
82828282 8282828282828282828282828282
તરત જ મને વિત્ત (ખીર) મળ્યું. તરત જ મને પાત્ર (મુનિ) મળ્યું. તરત જ ચિત્ત હર્ષથી છલકાયું. તો તરત જ પુણ્યની કમાણી કરી લઉં ! // ૯૫ //
શ્રી રામચંદ્રજીએ અને સર્વરત્નોમાં પ્રધાન માન્યું છે. તો પાત્રમાં અપાયેલું આ પરમાન્ન (પરમ + અન્ન) ચિન્તામણી રત્ન જેવું બનો ! || ૯૬ ||.
તે જ અમૃત-આહાર કહેવાય, જે સુપાત્રમાં અપાય અને જેનો રસ કરોડો યુગો વીતવા છતાં ઓછો ન થાય. || ૯૭ ||
આમ વિચારી થાળી લઇ સ્થિર થઇ તે ઉભો થયો. હર્ષથી ઊંચા થયેલા રોમાંચથી કવચિત (બશ્વરયુક્ત) થયેલો તે શોભવા લાગ્યો. તેના શરીર પર જાણે પુણ્યના અંકુરો ઊગ્યા ! ધર્મ-વૃક્ષની ચોફેર તેણે જાણે વાડ કરી ! શુદ્ધિબુદ્ધિવાળો તે ગરીબાઇરૂપ શત્રુ સાથેના યુદ્ધ માટે બન્નર પહેરી જાણે સજજ થયો. || ૯૮ | ૯૯ ||
તેણે મુનિને વિનંતી કરી : હે મુનિરાજ ! આપ ચંદ્ર જેવા છો. આપનો પવિત્ર અભિલાષ (કિરણ) રાજા કે રંક-સૌ પર સમાન છે. || ૧૦૦ //
અણધાર્યા મળેલા આપના પારસમણિ શા ચરણસ્પર્શથી, આપના ગુણથી રક્ત ધાતુવાળા મારું સુંદર કલ્યાણ થયું. ગૌણાર્થ : તારા સ્પર્શથી (હે પારસમણિ !) મુજ તામ્રધાતુનું સોનું થયું. // ૧૦૧ //
ઓ મૈત્રી-વિલાસના મંદિર મુનિ ! ઓ કરૂણારૂપી કામિની દ્વારા પવિત્ર યૌવનવાળા સ્વામી ! મહેરબાની કરો અને મને તારો. / ૧૦૨ //.
ARRARAUAYA8A82828282828282888
// રૂ
I