________________
श्री शालिभद्र
महाकाव्यम्
ભક્તિવાળો (પ્રવચન-માતાનો પાલક), ઉદાત્ત મતિવાળો સંગમ રાતના સમયે સુખ શય્યામાં સાધુની જેમ સૂઇ જતો હતો. ॥ ૩૬ || ૩૭ ||
સંગમની ખીર માટેની ઇચ્છા :
એક વખતે ક્યાંક કોઇ તહેવારમાં તુચ્છ આહાર કરનાર ઉંચા મુખવાળા તે બાળ સંગમે ઘેર ઘેર ખીર જોઇ. ॥ ૩૮ ॥ આ મહાન ઉત્સવ છે-એમ માનીને સાચું ખોટું નહિ વિચારનાર તે સંગમ પોતાની માતા પાસે શેઠના દીકરાની જેમ સભ્યતાપૂર્વક બોલ્યો. ।। ૩૯ ।।
ઓ મા ! આજે નીરોગી એવા મારા માટે-મારા દેહના પોષણ માટે જલદી ખીર બનાવી દે. સાકરવાળી
અને ઘીથી લચપચતી ! || ૪૦ ||
મા બોલી : ઓ વત્સ ! તું રૂપમાં કનૈયો છે. પોતાની રમતમાં મસ્ત છે. ઓ બાળ ! તારા માટે હું મારું બલિદાન આપી દઉં ! || ૪૧ ||
તારી આંખોનું હું લુછણું લઉં છું. તારા વચનના હું ઓવારણું લઉં છું. ઓ બટકબોલા બાબા ! તારી ભુજાઓની આસપાસ હું આંટા મારું ! તારા માટે હું મરી ફીટું. ॥ ૪૨ ॥
આનંદિત ચિત્તવાળા સદા સંતોષી ઓ પુત્ર ! તું બાળ હોવા છતાં અબાલ છે-પંડિત છે. તને કદી કદાગ્રહ થયો નથી. ॥ ૪૩ ||
| SE
RERERERER
પ્રક્રમ-૧
॥ ૩૪૭ ||